આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમા કરાઈ સ્થાપિત, CJIએ કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-11-27 14:06:11

બંધારણ દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભીમરાવ આબેંડકરની પ્રતિમા સ્થાપિત કરવાની પહેલ વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. 7 ફિટ ઉંચી પંચધાતુની આ પ્રતિમામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એક વકીલના પોશાકમાં ગાઉન અને બેંડ પહરેલા છે. તેમના હાથમાં બંધારણની પ્રતિમા છે, તેને ભારતીય શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર  કરી છે. આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશે કરેલા પ્રાસંગિક પ્રવચનમાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રસંશા કરી હતી. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ડૉ. ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમુદાયના નેતા નથી, પરંતુ તેમના પર સમગ્ર દેશનો અધિકાર છે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે સુપ્રીમ કોર્ટમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા CJIએ કહ્યું કે, ડૉ. આંબેડકરે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને સંગઠિત કરવા માટે અથાક પ્રયાસો કર્યા તે અનન્ય છે.


ડો. આંબેડકર સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે


ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘ડૉ. આંબેડકર દરેકના છે. તેઓ (માત્ર) અસ્પૃશ્યોના નેતા નથી, તેઓ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને એક કરવાનો પ્રયાસ કર્યો…સામાજિક ન્યાય માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી સીમિત નથી…’મુખ્ય પ્રવાહ સાથે ઓળખવા અને તેમાં સુધારો કરવાના ડો. આંબેડરના પ્રયાસોને હાઇલાઇટ કરતા CJIએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટમાં આંબેડકરની પ્રતિમા સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ CJIએ કહ્યું કે, “તેઓ (ડૉ. આંબેડકરે) પોતાને મુખ્ય પ્રવાહના ભાગ તરીકે ઓળખ્યા અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રતિમા સ્વતંત્રતા અને ભાઈચારાની સાથે સમાનતાની કાયમી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે." જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, આવી પ્રતિમાની સ્થાપના એ વિચારનું વિસ્તરણ છે કે, કોર્ટમાં જવાનો અધિકાર એ બંધારણનું “હૃદય અને આત્મા” છે. આ સાથે તેમણે કહ્યું કે, “તેથી જ્યારે આપણે આજે કહીએ છીએ કે, અમે બંધારણને અપનાવવાનો આદર કરીએ છીએ, સૌ પ્રથમ અને અગ્રણી, અમે એ હકીકતનો આદર કરીએ છીએ કે, બંધારણ ‘અસ્તિત્વમાં છે’, અને બંધારણ ‘કાર્ય કરે છે’.


ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું


ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી અંગે વાત કરતાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, બાર અને જિલ્લા ન્યાયતંત્રમાં મર્યાદિત પ્રતિભા હોવાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. CJIએ કહ્યું કે, તાજેતરના સમયમાં જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. નવી ભરતીઓમાં 60-80 ટકા મહિલાઓ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.