આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમા કરાઈ સ્થાપિત, CJIએ કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-11-27 14:06:11

બંધારણ દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભીમરાવ આબેંડકરની પ્રતિમા સ્થાપિત કરવાની પહેલ વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. 7 ફિટ ઉંચી પંચધાતુની આ પ્રતિમામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એક વકીલના પોશાકમાં ગાઉન અને બેંડ પહરેલા છે. તેમના હાથમાં બંધારણની પ્રતિમા છે, તેને ભારતીય શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર  કરી છે. આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશે કરેલા પ્રાસંગિક પ્રવચનમાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રસંશા કરી હતી. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ડૉ. ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમુદાયના નેતા નથી, પરંતુ તેમના પર સમગ્ર દેશનો અધિકાર છે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે સુપ્રીમ કોર્ટમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા CJIએ કહ્યું કે, ડૉ. આંબેડકરે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને સંગઠિત કરવા માટે અથાક પ્રયાસો કર્યા તે અનન્ય છે.


ડો. આંબેડકર સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે


ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘ડૉ. આંબેડકર દરેકના છે. તેઓ (માત્ર) અસ્પૃશ્યોના નેતા નથી, તેઓ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને એક કરવાનો પ્રયાસ કર્યો…સામાજિક ન્યાય માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી સીમિત નથી…’મુખ્ય પ્રવાહ સાથે ઓળખવા અને તેમાં સુધારો કરવાના ડો. આંબેડરના પ્રયાસોને હાઇલાઇટ કરતા CJIએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટમાં આંબેડકરની પ્રતિમા સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ CJIએ કહ્યું કે, “તેઓ (ડૉ. આંબેડકરે) પોતાને મુખ્ય પ્રવાહના ભાગ તરીકે ઓળખ્યા અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રતિમા સ્વતંત્રતા અને ભાઈચારાની સાથે સમાનતાની કાયમી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે." જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, આવી પ્રતિમાની સ્થાપના એ વિચારનું વિસ્તરણ છે કે, કોર્ટમાં જવાનો અધિકાર એ બંધારણનું “હૃદય અને આત્મા” છે. આ સાથે તેમણે કહ્યું કે, “તેથી જ્યારે આપણે આજે કહીએ છીએ કે, અમે બંધારણને અપનાવવાનો આદર કરીએ છીએ, સૌ પ્રથમ અને અગ્રણી, અમે એ હકીકતનો આદર કરીએ છીએ કે, બંધારણ ‘અસ્તિત્વમાં છે’, અને બંધારણ ‘કાર્ય કરે છે’.


ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું


ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી અંગે વાત કરતાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, બાર અને જિલ્લા ન્યાયતંત્રમાં મર્યાદિત પ્રતિભા હોવાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. CJIએ કહ્યું કે, તાજેતરના સમયમાં જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. નવી ભરતીઓમાં 60-80 ટકા મહિલાઓ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.