તુર્કીમાં ધરતીકંપને કારણે ધ્રુજી ધરા, અનેક બિલ્ડિંગો થઈ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-02-06 16:19:22

તુર્કીમાં અતિતીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.  ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગો ધારાશાયી થયા હતા. તુર્કીના નૂર્દગીથી 23 કિલોમીટરના અંતરે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. એક મિનીટ સુધી આવેલા આ આંચકાને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઈમારતો પડી જવાને કારણે અંદાજીત 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 


અનેક લોકોના મોત થયા હોવાની આશંકા 

અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે ભયંકર આંચકાનો અનુભવ તુર્કીમાં સોમવારના દિવસે થયો છે. રેક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગને આને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ છે. આ ઝટકા સીરિયા સુધી મહેસૂસ થયા હતા. આ ભૂકંપને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે.   


इस तस्वीर में भूकंप से तबाह एक इमारत दिख रही है। यहां कई लोगों के मलबे में फंसे होने की आशंका है।


ये तस्वीर एर्बिल शहर की है। यहां भूकंप आने के बाद लोग घरों से बाहर निकल आए।


પંદર મિનીટની અંદર આવ્યા ભૂકંપના બે આંચકા 

મળતી માહિતી અનુસાર આ ભૂકંપ સવારના 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર હતું અને જમીનથી 24 કિલોમીટર અંદર હતું. પહેલી વાર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. તે બાદ અંદાજીત 11 મિનીટની અંદર બીજો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 6.7 હતી. આનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર અંદર હતું. ભૂકંપના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.