તુર્કીમાં ધરતીકંપને કારણે ધ્રુજી ધરા, અનેક બિલ્ડિંગો થઈ ધરાશાયી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-06 16:19:22

તુર્કીમાં અતિતીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.  ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગો ધારાશાયી થયા હતા. તુર્કીના નૂર્દગીથી 23 કિલોમીટરના અંતરે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. એક મિનીટ સુધી આવેલા આ આંચકાને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઈમારતો પડી જવાને કારણે અંદાજીત 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 


અનેક લોકોના મોત થયા હોવાની આશંકા 

અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે ભયંકર આંચકાનો અનુભવ તુર્કીમાં સોમવારના દિવસે થયો છે. રેક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગને આને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ છે. આ ઝટકા સીરિયા સુધી મહેસૂસ થયા હતા. આ ભૂકંપને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે.   


इस तस्वीर में भूकंप से तबाह एक इमारत दिख रही है। यहां कई लोगों के मलबे में फंसे होने की आशंका है।


ये तस्वीर एर्बिल शहर की है। यहां भूकंप आने के बाद लोग घरों से बाहर निकल आए।


પંદર મિનીટની અંદર આવ્યા ભૂકંપના બે આંચકા 

મળતી માહિતી અનુસાર આ ભૂકંપ સવારના 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર હતું અને જમીનથી 24 કિલોમીટર અંદર હતું. પહેલી વાર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. તે બાદ અંદાજીત 11 મિનીટની અંદર બીજો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 6.7 હતી. આનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર અંદર હતું. ભૂકંપના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 



શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.