તુર્કીમાં ધરતીકંપને કારણે ધ્રુજી ધરા, અનેક બિલ્ડિંગો થઈ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-02-06 16:19:22

તુર્કીમાં અતિતીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.  ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગો ધારાશાયી થયા હતા. તુર્કીના નૂર્દગીથી 23 કિલોમીટરના અંતરે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. એક મિનીટ સુધી આવેલા આ આંચકાને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઈમારતો પડી જવાને કારણે અંદાજીત 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 


અનેક લોકોના મોત થયા હોવાની આશંકા 

અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે ભયંકર આંચકાનો અનુભવ તુર્કીમાં સોમવારના દિવસે થયો છે. રેક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગને આને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ છે. આ ઝટકા સીરિયા સુધી મહેસૂસ થયા હતા. આ ભૂકંપને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે.   


इस तस्वीर में भूकंप से तबाह एक इमारत दिख रही है। यहां कई लोगों के मलबे में फंसे होने की आशंका है।


ये तस्वीर एर्बिल शहर की है। यहां भूकंप आने के बाद लोग घरों से बाहर निकल आए।


પંદર મિનીટની અંદર આવ્યા ભૂકંપના બે આંચકા 

મળતી માહિતી અનુસાર આ ભૂકંપ સવારના 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર હતું અને જમીનથી 24 કિલોમીટર અંદર હતું. પહેલી વાર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. તે બાદ અંદાજીત 11 મિનીટની અંદર બીજો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 6.7 હતી. આનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર અંદર હતું. ભૂકંપના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.