તુર્કીમાં ધરતીકંપને કારણે ધ્રુજી ધરા, અનેક બિલ્ડિંગો થઈ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-02-06 16:19:22

તુર્કીમાં અતિતીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.  ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગો ધારાશાયી થયા હતા. તુર્કીના નૂર્દગીથી 23 કિલોમીટરના અંતરે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. એક મિનીટ સુધી આવેલા આ આંચકાને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઈમારતો પડી જવાને કારણે અંદાજીત 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 


અનેક લોકોના મોત થયા હોવાની આશંકા 

અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે ભયંકર આંચકાનો અનુભવ તુર્કીમાં સોમવારના દિવસે થયો છે. રેક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગને આને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ છે. આ ઝટકા સીરિયા સુધી મહેસૂસ થયા હતા. આ ભૂકંપને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે.   


इस तस्वीर में भूकंप से तबाह एक इमारत दिख रही है। यहां कई लोगों के मलबे में फंसे होने की आशंका है।


ये तस्वीर एर्बिल शहर की है। यहां भूकंप आने के बाद लोग घरों से बाहर निकल आए।


પંદર મિનીટની અંદર આવ્યા ભૂકંપના બે આંચકા 

મળતી માહિતી અનુસાર આ ભૂકંપ સવારના 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર હતું અને જમીનથી 24 કિલોમીટર અંદર હતું. પહેલી વાર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. તે બાદ અંદાજીત 11 મિનીટની અંદર બીજો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 6.7 હતી. આનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર અંદર હતું. ભૂકંપના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .