શું 2050 સુધીમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા ડૂબી જશે?, UNની આ એજન્સીની રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો


  • Published By :
  • Published Date : 2023-02-21 21:07:34

દેશમાં હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો થયો નથી ત્યાં તોઉનાળાની ગરમી વધવા લાગી છે. ઘણા શહેરોમાં તાપમાન 26 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દરમિયાન, જળવાયુ પરિવર્તન સંબંધિત બે રિપોર્ટ ચર્ચામાં છે. તેમાં ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટના મતે આગામી 27 વર્ષમાં માલદીવ જેવા દેશ વિશ્વના નકશા પર નહીં દેખાય. જ્યારે, ભારતમાં ચેન્નાઈ અને મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરો પણ દરિયામાં ડૂબી જવાનું જોખમ છે.

 

ગ્લોબલ વોર્મિગ માટે માણસ જવાબદાર 


XDIએ વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના વાતાવરણમાં બદલાવ અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે માનવ સર્જિત પર્યાવરણને થતા નુકસાનની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આના આધારે રેન્કિંગ કરવામાં આવ્યું હતું. અહીં પૂર, જંગલમાં આગ, લૂ, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના તરફ ઈશારો કરવામાં આવ્યો છે.


મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા જેવાં શહેરો પર ડૂબવાનું જોખમ!


સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા પ્રકાશિત તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દરિયાઈ સપાટીમાં સતત વધારો ભારત અને ચીન તેમજ બાંગ્લાદેશ, નેધરલેન્ડ, માલદીવ અને અન્ય દેશો માટે મોટો ખતરો છે. રિપોર્ટ અનુસાર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દેશના અન્ય દરિયાકાંઠાના શહેરોમાં ભારે અસર જોવા મળી રહી છે. WMO રિપોર્ટ જણાવે છે કે 2013 અને 2022 વચ્ચે દર વર્ષે દરિયાની સપાટી સરેરાશ 4.5 મિલીમીટર વધી છે. આ વધારો1901 અને 1971 વચ્ચેના સમયગાળાની તુલનામાં ત્રણ ગણાથી વધુ વધારો છે. 4.5 મીમીનો વધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ, શાંઘાઈ, ઢાકા, બેંગકોક, જકાર્તા, લાગોસ, કૈરો, લંડન, ન્યૂયોર્ક, લોસ એન્જલસ જેવા શહેરો દરિયાની સપાટી વધવાથી સૌથી વધુ જોખમમાં છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે દરિયાની સપાટીમાં વધારો સૂચવે છે કે માલદીવ જેવા નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારો 2050 સુધીમાં ડૂબી શકે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .