વિધાનસભાની પ્રથમ તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસો, 13% પર ગંભીર આરોપો


  • Published By :
  • Published Date : 2022-11-24 20:36:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 788માંથી કુલ 167 ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જેમાંથી 100 સામે હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગુરુવારે જણાવ્યું હતું. આ સાથે જ મેદાનમાં ઉતરેલા 21 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જ્યારે 13 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


AAPના 36 ટકા ઉમેદવારો કલંકિત


આમ આદમી પાર્ટી (AAP) કે જે કુલ 89માંથી 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેના 36 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેના ત્રીસ ટકા ઉમેદવારો સામે હત્યા, બળાત્કાર, હુમલો, અપહરણ જેવા ગંભીર કેસોનો સામનો કરવો પડી રહ્યો છે, એમ ADRએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. AAPના ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 32 છે.


કોંગ્રેસના 31 ઉમેદવારો 


ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસે  ફોજદારી કેસ ધરાવતા તેના 35 ટકા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આવા 20 ટકા ઉમેદવારો ગંભીર કેસોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પ્રથમ તબક્કામાં તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના દ્વારા ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 31 છે.


ભાજપના 14 ઉમેદવારોનો રેકોર્ડ ગુનાહિત


સત્તાધારી ભાજપ પ્રથમ તબક્કામાં તમામ બેઠકો પર પણ ચૂંટણી લડી રહી છે, ભાજપે ગુનાહિત રેકોર્ડ ધરાવતા 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ટકાવારીની રીતે, આવા ઉમેદવારો તેની કુલ સંખ્યાના 16 ટકા છે અને 12 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


BTPના 4 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ


ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ પ્રથમ તબક્કામાં 14 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, તેના ચાર ઉમેદવારો (29 ટકા) છે જેની સામે ફોજદારી કેસ જાહેર થયા છે. તેના કુલ સાત ટકા ઉમેદવારો પર આ વખતે ગંભીર ગુનાહિત કેસ છે.


2017ની ચૂંટણીમાં 15 ટકા ઉમેદવારો કલંકિત


2017ની વિધાનસભાની ચૂંટણીમાં, પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 15 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો હતા, જ્યારે આઠ ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ, ભાજપ અને BTPએ પ્રથમ તબક્કામાં અનુક્રમે 36, 25 અને 67 ટકા ઉમેદવારોને ફોજદારી કેસ સાથે મેદાનમાં ઉતાર્યા હતા.


100 ઉમેદવારો પર ગંભીર ગુનાના કેસ


પ્રથમ તબક્કાના 167 ઉમેદવારોમાંથી 100 ઉમેદવારોએ ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામામાં તેમની સામે ગંભીર કેસ જાહેર કર્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના નવ કેસ, હત્યાના ત્રણ કેસ અને હત્યાના પ્રયાસના 12 કેસનો સમાવેશ થાય છે. 2017 માં, પ્રથમ તબક્કામાં આવા 78 ઉમેદવારો મેદાનમાં હતા.


આમની સામે છે ગંભીર ફોજદારી કેસ


ગંભીર ફોજદારી કેસ ધરાવતા કેટલાક ઉમેદવારોમાં જનક તલાવિયા (ભાજપ), વસંત પટેલ (કોંગ્રેસ), અમરદાસ દેસાણી (અપક્ષ)નો સમાવેશ થાય છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા અન્ય ઉમેદવારોમાં ભાજપના પરશોત્તમ સોલંકી, કોંગ્રેસના ગનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા અને AAPના અલ્પેશ કથેરિયાનો સમાવેશ થાય છે.


25 બેઠકો અતિસંવેદનશીલ


ADRએ પણ પ્રથમ તબક્કામાં કુલ 89 મતવિસ્તારોમાંથી 25 બેઠકોને "રેડ એલર્ટ" સીટો તરીકે ટેગ કરી છે અથવા જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ ફોજદારી કેસ જાહેર કર્યા છે.






રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.