વિધાનસભાની પ્રથમ તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસો, 13% પર ગંભીર આરોપો


  • Published By :
  • Published Date : 2022-11-24 20:36:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 788માંથી કુલ 167 ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જેમાંથી 100 સામે હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગુરુવારે જણાવ્યું હતું. આ સાથે જ મેદાનમાં ઉતરેલા 21 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જ્યારે 13 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


AAPના 36 ટકા ઉમેદવારો કલંકિત


આમ આદમી પાર્ટી (AAP) કે જે કુલ 89માંથી 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેના 36 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેના ત્રીસ ટકા ઉમેદવારો સામે હત્યા, બળાત્કાર, હુમલો, અપહરણ જેવા ગંભીર કેસોનો સામનો કરવો પડી રહ્યો છે, એમ ADRએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. AAPના ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 32 છે.


કોંગ્રેસના 31 ઉમેદવારો 


ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસે  ફોજદારી કેસ ધરાવતા તેના 35 ટકા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આવા 20 ટકા ઉમેદવારો ગંભીર કેસોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પ્રથમ તબક્કામાં તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના દ્વારા ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 31 છે.


ભાજપના 14 ઉમેદવારોનો રેકોર્ડ ગુનાહિત


સત્તાધારી ભાજપ પ્રથમ તબક્કામાં તમામ બેઠકો પર પણ ચૂંટણી લડી રહી છે, ભાજપે ગુનાહિત રેકોર્ડ ધરાવતા 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ટકાવારીની રીતે, આવા ઉમેદવારો તેની કુલ સંખ્યાના 16 ટકા છે અને 12 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


BTPના 4 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ


ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ પ્રથમ તબક્કામાં 14 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, તેના ચાર ઉમેદવારો (29 ટકા) છે જેની સામે ફોજદારી કેસ જાહેર થયા છે. તેના કુલ સાત ટકા ઉમેદવારો પર આ વખતે ગંભીર ગુનાહિત કેસ છે.


2017ની ચૂંટણીમાં 15 ટકા ઉમેદવારો કલંકિત


2017ની વિધાનસભાની ચૂંટણીમાં, પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 15 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો હતા, જ્યારે આઠ ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ, ભાજપ અને BTPએ પ્રથમ તબક્કામાં અનુક્રમે 36, 25 અને 67 ટકા ઉમેદવારોને ફોજદારી કેસ સાથે મેદાનમાં ઉતાર્યા હતા.


100 ઉમેદવારો પર ગંભીર ગુનાના કેસ


પ્રથમ તબક્કાના 167 ઉમેદવારોમાંથી 100 ઉમેદવારોએ ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામામાં તેમની સામે ગંભીર કેસ જાહેર કર્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના નવ કેસ, હત્યાના ત્રણ કેસ અને હત્યાના પ્રયાસના 12 કેસનો સમાવેશ થાય છે. 2017 માં, પ્રથમ તબક્કામાં આવા 78 ઉમેદવારો મેદાનમાં હતા.


આમની સામે છે ગંભીર ફોજદારી કેસ


ગંભીર ફોજદારી કેસ ધરાવતા કેટલાક ઉમેદવારોમાં જનક તલાવિયા (ભાજપ), વસંત પટેલ (કોંગ્રેસ), અમરદાસ દેસાણી (અપક્ષ)નો સમાવેશ થાય છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા અન્ય ઉમેદવારોમાં ભાજપના પરશોત્તમ સોલંકી, કોંગ્રેસના ગનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા અને AAPના અલ્પેશ કથેરિયાનો સમાવેશ થાય છે.


25 બેઠકો અતિસંવેદનશીલ


ADRએ પણ પ્રથમ તબક્કામાં કુલ 89 મતવિસ્તારોમાંથી 25 બેઠકોને "રેડ એલર્ટ" સીટો તરીકે ટેગ કરી છે અથવા જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ ફોજદારી કેસ જાહેર કર્યા છે.






સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.