Income Tax: ટેક્સ કલેક્શનથી ભરાઈ સરકારની તિજોરી, ટેક્સપેયર્સની સંખ્યામાં પણ રેકોર્ડ બ્રેક ઉછાળો


  • Published By :
  • Published Date : 2024-01-24 16:31:11

દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR Filing) કરનારાઓના આંકડાએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ITR ભરનારાઓની સંખ્યા બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 10 વર્ષમાં ITR ફાઈલ કરનારાઓની સંખ્યા  7.78 કરોડ પર પહોંચી ગઈ છે. CBDT દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે નાણાકિય વર્ષ 2022-23માં 7.78 કરોડ જેટલા આઈ ટી રિટર્ન ભરવામાં આવ્યા છે. આ વર્ષ 2013-14માં ભરવામાં આવેલા IT રિટર્નની તુલનામાં 104.91 ટકાથી પણ વધુ છે. 


રિટર્ન ફાઈલિંગમાં 104.91નો ઉછાળો

વર્ષ 2022-23ના આ સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 160.52 ટકા વધીને 16,63,686 કરોડ રૂપિયા જેટલું થયું છે. જે વર્ષ 2013-14 માં 6,38,596 કરોડ રૂપિયા હતું. એટલે કે દાયકામાં 10,25,090 કરોડ રૂપિયા આવકવેરાને ટેક્સરૂપે મળ્યા છે. સરકારે વર્ષ 2023-24ના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ( પર્સનલ ઈન્કમ ટેક્સ અને કંપની ટેક્સ) થી 18.23 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ગત વર્ષમાં એકઠા કરાયેલા 16.61 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 9.75 ટકા વધુ છે. 2013-14માં ઈન્કમટેક્સ વિભાગને 7,21,604 કરોડ ગ્રોસ ટેક્સની આવક થઈ હતી અને તેની સામે 2022-23માં 19,72,248 કરોડ રૂપિયા ઈન્કમ થઈ હતી. એ હિસાબે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 173.31% ગ્રોથ થયો હતો. છેલ્લા દાયકામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં જબરો ઉછાળો આવ્યો છે. વર્ષ 2013-14માં 3.80 કરોડ ભારતીયો રિટર્ન ફાઈલ કરતા હતા તેની સામે 2022-23માં 7.78 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે, આ રીતે રિટર્ન ફાઈલ કરવામાં 104.91% ગ્રોથ જોવા મળી રહ્યો છે.


ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધ્યો 

CBDTના આંકડા પ્રમાણે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધીને 19,72,248 કરોડ રૂપિયા રહ્યું જે 2013-14 માં 7,21,604 કરોડ રૂપિયા હતું. આ સાથે જ  ડાયરેક્ટ ટેક્સ -જીડીપીનો રેશિયો 5.62 ટકાથી વધીને 6.11 ટકા રહી ગયું છે. જો કે ટેક્સ કલેક્શન ખર્ચ વધીને 2022-23 માં 0.57 ટકા થઈ ગઈ જે 2013-14માં 0.51 ટકા હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.