Income Tax: ટેક્સ કલેક્શનથી ભરાઈ સરકારની તિજોરી, ટેક્સપેયર્સની સંખ્યામાં પણ રેકોર્ડ બ્રેક ઉછાળો


  • Published By :
  • Published Date : 2024-01-24 16:31:11

દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR Filing) કરનારાઓના આંકડાએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ITR ભરનારાઓની સંખ્યા બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 10 વર્ષમાં ITR ફાઈલ કરનારાઓની સંખ્યા  7.78 કરોડ પર પહોંચી ગઈ છે. CBDT દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે નાણાકિય વર્ષ 2022-23માં 7.78 કરોડ જેટલા આઈ ટી રિટર્ન ભરવામાં આવ્યા છે. આ વર્ષ 2013-14માં ભરવામાં આવેલા IT રિટર્નની તુલનામાં 104.91 ટકાથી પણ વધુ છે. 


રિટર્ન ફાઈલિંગમાં 104.91નો ઉછાળો

વર્ષ 2022-23ના આ સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 160.52 ટકા વધીને 16,63,686 કરોડ રૂપિયા જેટલું થયું છે. જે વર્ષ 2013-14 માં 6,38,596 કરોડ રૂપિયા હતું. એટલે કે દાયકામાં 10,25,090 કરોડ રૂપિયા આવકવેરાને ટેક્સરૂપે મળ્યા છે. સરકારે વર્ષ 2023-24ના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ( પર્સનલ ઈન્કમ ટેક્સ અને કંપની ટેક્સ) થી 18.23 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ગત વર્ષમાં એકઠા કરાયેલા 16.61 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 9.75 ટકા વધુ છે. 2013-14માં ઈન્કમટેક્સ વિભાગને 7,21,604 કરોડ ગ્રોસ ટેક્સની આવક થઈ હતી અને તેની સામે 2022-23માં 19,72,248 કરોડ રૂપિયા ઈન્કમ થઈ હતી. એ હિસાબે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 173.31% ગ્રોથ થયો હતો. છેલ્લા દાયકામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં જબરો ઉછાળો આવ્યો છે. વર્ષ 2013-14માં 3.80 કરોડ ભારતીયો રિટર્ન ફાઈલ કરતા હતા તેની સામે 2022-23માં 7.78 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે, આ રીતે રિટર્ન ફાઈલ કરવામાં 104.91% ગ્રોથ જોવા મળી રહ્યો છે.


ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધ્યો 

CBDTના આંકડા પ્રમાણે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધીને 19,72,248 કરોડ રૂપિયા રહ્યું જે 2013-14 માં 7,21,604 કરોડ રૂપિયા હતું. આ સાથે જ  ડાયરેક્ટ ટેક્સ -જીડીપીનો રેશિયો 5.62 ટકાથી વધીને 6.11 ટકા રહી ગયું છે. જો કે ટેક્સ કલેક્શન ખર્ચ વધીને 2022-23 માં 0.57 ટકા થઈ ગઈ જે 2013-14માં 0.51 ટકા હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.