India Q1 GDP: વર્ષ 2023 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશનો GDP 7.8 ટકા રહ્યો, રાજકોષીય ખાધ બજેટ અંદાજના 33.9 ટકા પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-31 20:49:01

ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ચાલુ નાણાકીય વર્ષ (2023-2024) ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા રહ્યો છે, જે નાણાકીય વર્ષ 2022-23ના અગાઉના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા જેટલો રહ્યો હતો.જોકે, આ ગ્રોથ રેટ RBIના 8 ટકાના અંદાજ કરતાં ઓછો છે. નેશનલ સ્ટેટીકલ ઓફિસ (NSO) દ્વારા આ આકડા જાહેર કરવામાં આવ્યા હતા.  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા 31 ઓગસ્ટે જાહેર થયેલા આંકડા અનુસાર, પ્રથમ ક્વાર્ટરનો વૃદ્ધિદર છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચો છે. અગાઉ માર્ચ ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6.1 ટકા જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 13.1 ટકા હતો. RBIએ જૂન-2023 ક્વાર્ટર માટે 8 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો જ્યારે વિવિધ અર્થશાસ્ત્રીઓએ સરેરાશ 7.7 ટકાની આસપાસનો આંકડાનું અનુમાન લગાવ્યું હતું.


કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વધ્યો, ઉત્પાદન ક્ષેત્રનો ઘટ્યો


NSOના ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં 3.5 ટકા રહ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.4 ટકા હતો. જોકે, જૂન ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડીને 4.7 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 6.1 ટકા હતી. 2022-23ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.5 ટકા હતો.


મુખ્ય ઉદ્યોગોનું પ્રદર્શન કેવું રહ્યું?


આ વર્ષે જૂન ત્રિમાસિક દરમિયાન કૃષિ અને ફાયનાન્સિયલ સર્વિસીસ સેક્ટરને બાદ કરતા દરેક સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. માઈનિંગ સેક્ટરનો ગ્રોથ 5.8 ટકા રહ્યો છે, જે ગયા વર્ષે 9.5 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ 4.7 ટકા રહ્યો છે, જે ગયા વર્ષે 6.1 ટકા હતો. બાંધકામ પ્રવૃત્તિ 7.9 ટકાના દરે વધી છે, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 16 ટકાના દરે વધી હતી. જો કે કૃષિ અને ફાયનાન્સિયલ સેક્ટરમાં જુન ત્રિમાસિક દરમિયાન સારો ગ્રોથ નોંધવામાં આવી છે. કૃષિ સેક્ટરની ગ્રોથ 3.5 ટકા રહી છે અને ફાયનાન્સિયલ લેક્ટરની ગ્રોથ 12.5 ટકા રહી છે.


એપ્રિલ-જુલાઈમાં રાજકોષીય ખાધ બજેટ અંદાજના 33.9 ટકા પર પહોંચી 


ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ચાર મહિનામાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ આખા વર્ષના લક્ષ્યાંકના 33.9 ટકા પર પહોંચી ગઈ છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલથી જુલાઈના અંત સુધીમાં વાસ્તવિક રીતે રાજકોષીય ખાધ રૂ. 6.06 લાખ કરોડ હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં રાજકોષીય ખાધ કુલ બજેટ અંદાજના 20.5 ટકા હતી.


સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 5.9 ટકા પર લાવવાનો અંદાજ મૂક્યો હતો. ગયા નાણાકીય વર્ષ (2022-23)માં રાજકોષીય ખાધ GDPના 6.4 ટકા રહ્યું હતું, જ્યારે પ્રારંભિક અનુમાન 6.71 ટકા હતો. સરકારની આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. આ સરકાર દ્વારા જરૂરી કુલ ઉધારનો સંકેત છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.