જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે જજને કરી વિનવણી, 'મેં જીવનની આશા ગુમાવી દીધી છે, જેલમાં જ મરી જાઉં તો સારું'


  • Published By :
  • Published Date : 2024-01-07 16:06:10

જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડના સંસ્થાપક નરેશ ગોયલ પર કાનુનનો સકંજો કસાયો છે. ​​​​​કેનેરા બેંક સાથે છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ શનિવારે 6 જાન્યુઆરીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરાયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે મેં જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ લથડી ગઈ છે. સારું થશે કે હું જેલમાં જ મરી જાઉ. આટલું કહેતા કોર્ટમાં નરેશ ગોયલે જજ સામે હાથ જોડી દીધા હતા.


કોર્ટને કરી વિનવણી 


નરેશ ગોયલ કોર્ટે વિનવણી કરતા વધુમાં કહ્યું કે હું મારી પત્ની અનિતાને ખૂબ જ મિસ કરું છું. તે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. આ પછી ન્યાયાધીશે કહ્યું કે તમને નિરાધાર નહીં છોડવામાં આવે. નરેશે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન તેમણે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી, જેને ન્યાયાધીશે સ્વીકારી હતી. ઉલ્લેખનિય છે કે ગોયલ પર કેનેરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે નરેશ ગોયલની કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરી હતી. તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.


સુનાવણી દરમિયાન જજે શું કહ્યું?


ન્યાયાધીશે કહ્યું કે 'મેં તેમની વાત ધ્યાનથી સાંભળી અને જ્યારે તેઓ પોતાની વાત જણાવી રહ્યા હતા ત્યારે તેમને ધ્યાનથી જોયા. મેં જોયું કે તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે ટેકાની જરૂર છે. મેં નરેશ ગોયલની દરેક વાત પર ધ્યાન આપ્યું. મેં આરોપીને ખાતરી આપી હતી કે તેમને નિરાધાર નહીં છોડવામાં આવે. તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરેક શક્ય કાળજી લેવામાં આવશે અને તેને સારવાર આપવામાં આવશે.'


નરેશ ગોયલ પર રુપિયાની હેરાફેરીનો આરોપ


કેનેરા બેંકે આરોપ લગાવ્યો હતો કે જેટ એરવેઝના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું છે કે જેટે તેની સંલગ્ન કંપનીઓને 1,410.41 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. ગોયલ પરિવારના અંગત ખર્ચ - જેમ કે સ્ટાફના પગાર, ફોન બિલ અને વાહન ખર્ચ - આ બધું જેટ એરવેઝમાંથી જ થતું હતું. ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી. 2019માં એરલાઇન ચેરમેન પદ છોડી દીધું હતું.


અર્સથી ફર્સ પર કેવી રીતે આવ્યા


નરેશ ગોયલે વર્ષ 1990ના દાયકાની શરૂઆતમાં, ટિકિટિંગ એજન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ શરૂ કરીને લોકોને એર ઈન્ડિયાનો વિકલ્પ આપ્યો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતા અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.જ્યારે 'ધ જોય ઓફ ફ્લાઈંગ' ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યા હતા. માર્ચ 2019 સુધીમાં કંપનીની ખોટ 5,535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.