જાણો વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળ શું છે ઈતિહાસ, પ્રથમ વખત ક્યારે કરાઈ હતી આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-22 15:56:03

કહેવાય છે કે જળ છે તો જીવન છે.. આપણા જીવનમાં પાણીની મહત્તા સમજાવવા વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવે છે. પાણીનું મહત્વ લોકો સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના એવા અનેક દેશો છે જ્યાં પાણી માટે લોકો આજે પણ વલખા મારે છે. પાણીની સમસ્યાનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. પાણીનું મહત્વ સમજાવવા ઉપરાંત પાણી કેવી રીતે બચાવી શકાય તે માટે લોકોને જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 

1993માં પ્રથમ વખત ઉજવાયો હતો વિશ્વ જળ દિવસ 

જો વિશ્વ જળ દિવસના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1992માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ એક ઠરાવ પાસ કર્યો હતો. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવાય છે. 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. લોકો પાણી સંરક્ષણનું મહત્વ સમજે તે માટે આ દિવસને મનાવવાની ફરજ પડી હતી. પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચ 1993ના રોજ કરવામાં આવી હતી.


ચોખ્ખું પાણી ન મળતા થાય છે અનેક ગંભીર બિમારી 

એવું માનવામાં આવે છે કે વિશ્વની ઉત્પત્તિ થઈ તે પહેલા દરેક જગ્યા પર પાણી જ હતું. પૃથ્વીની સપાટીનો લગભગ ત્રણ- ચતુર્થાંશ ભાગ પાણીથી ઢંકાયેલો હતો. પરંતુ પીવા માટે ઉપયોગી પાણી માત્ર દોઢ ટકા જેટલું જ હતું. બાકી બધું પાણી ખારાશ વાળું હતું. મળતી માહિતી મુજબ વિશ્વમાં લગભગ બે અબજ લોકો એવા છે જેમને પીવા માટે શુદ્ધ જળ નથી મળતું. જેને કારણે લોકોને ગંભીર બિમારીઓથી પીડાવું પડે છે. 


 

અલગ અલગ થીમ પર મનાવાય છે દિવસ

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે પાણી અને સ્વચ્છતાની કટોકટીના ઉકેલ માટે પરિવર્તનને વેગ આપવો. વર્ષ 2022ના થીમની વાત કરીએ તો ભૂગર્ભજળ અદ્રશ્યને દ્રશ્યમાન બનાવું એવી હતી. અનેક જગ્યાઓ પર આ દિવસને લઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, કવિતાઓ, પોસ્ટરો, સ્લોગનોના માધ્યમથી લોકોને પાણી માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે વિશ્વ જળ દિવસે આપણે પણ પાણીને બચાવવાનો સંકલ્પ લઈએ.                




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.