જાણો વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળ શું છે ઈતિહાસ, પ્રથમ વખત ક્યારે કરાઈ હતી આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-22 15:56:03

કહેવાય છે કે જળ છે તો જીવન છે.. આપણા જીવનમાં પાણીની મહત્તા સમજાવવા વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવે છે. પાણીનું મહત્વ લોકો સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના એવા અનેક દેશો છે જ્યાં પાણી માટે લોકો આજે પણ વલખા મારે છે. પાણીની સમસ્યાનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. પાણીનું મહત્વ સમજાવવા ઉપરાંત પાણી કેવી રીતે બચાવી શકાય તે માટે લોકોને જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 

1993માં પ્રથમ વખત ઉજવાયો હતો વિશ્વ જળ દિવસ 

જો વિશ્વ જળ દિવસના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1992માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ એક ઠરાવ પાસ કર્યો હતો. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવાય છે. 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. લોકો પાણી સંરક્ષણનું મહત્વ સમજે તે માટે આ દિવસને મનાવવાની ફરજ પડી હતી. પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચ 1993ના રોજ કરવામાં આવી હતી.


ચોખ્ખું પાણી ન મળતા થાય છે અનેક ગંભીર બિમારી 

એવું માનવામાં આવે છે કે વિશ્વની ઉત્પત્તિ થઈ તે પહેલા દરેક જગ્યા પર પાણી જ હતું. પૃથ્વીની સપાટીનો લગભગ ત્રણ- ચતુર્થાંશ ભાગ પાણીથી ઢંકાયેલો હતો. પરંતુ પીવા માટે ઉપયોગી પાણી માત્ર દોઢ ટકા જેટલું જ હતું. બાકી બધું પાણી ખારાશ વાળું હતું. મળતી માહિતી મુજબ વિશ્વમાં લગભગ બે અબજ લોકો એવા છે જેમને પીવા માટે શુદ્ધ જળ નથી મળતું. જેને કારણે લોકોને ગંભીર બિમારીઓથી પીડાવું પડે છે. 


 

અલગ અલગ થીમ પર મનાવાય છે દિવસ

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે પાણી અને સ્વચ્છતાની કટોકટીના ઉકેલ માટે પરિવર્તનને વેગ આપવો. વર્ષ 2022ના થીમની વાત કરીએ તો ભૂગર્ભજળ અદ્રશ્યને દ્રશ્યમાન બનાવું એવી હતી. અનેક જગ્યાઓ પર આ દિવસને લઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, કવિતાઓ, પોસ્ટરો, સ્લોગનોના માધ્યમથી લોકોને પાણી માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે વિશ્વ જળ દિવસે આપણે પણ પાણીને બચાવવાનો સંકલ્પ લઈએ.                




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.