મનોજ મોદીને મુકેશ અંબાણીએ આપી 1500 કરોડની ભેટ! જાણો કોણ છે મનોજ મોદી જેમને મળ્યું 22 માળનું ઘર!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:35:59

અંબાણી પરિવાર તેમની રહેણી કરણી તેમજ દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી એક વખત તેમના સ્વભાવને કારણે ચર્ચમાં આવ્યા છે. લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે પરંતુ તેમને અંબાણી પરિવારના નજીકના મિત્ર પણ માનવામાં આવે છે. 

manoj modi ambani gifted house of 1500 crore

અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં નિભાવી છે ભૂમિકા!

મુકેશ અંબાણી જેમને 1500 કરોડનું ઘર ભેટમાં આપતા હોય તે નાની વ્યક્તિ તો હોય નહી. જો મનોજ મોદી વિશે વાત કરીએ તો મનોજ મોદીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેમણે સંભાળ્યા છે. જેવા કે હજીરા પેટ્રોક્ટસ, જામનગર રિફાઈનરી, ટેલીકોમ બિજનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ તે સંભાળી ચૂક્યા છે. રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું જીઓમાં પણ મનોજ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


22 માળનું ઘર મુકેશ અંબાણીએ કર્યું ગિફ્ટ!

મનોજ મોદીએ ન માત્ર મુકેશ અંબાણી સાથે કામ કર્યું છે પરંતુ ધીરૂભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે. તે ઉપરાંત ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે પણ કામ કર્યું છે. મતલબ મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણ પેઢી જોડે કામ કર્યું છે. જેમ એન્ટિલિયા 27 માળનું આલિશાન ઘર છે તેમ જ મનોજ મોદીને ભેટમાં મળેલું ઘર આલીશાન છે. 1500 કરોડના ઘરની વાત કરીએ તો ઘરનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે. આ ઘર નેપિયન-સી રોડ પર સ્થિત છે. 7 ફ્લોર તો માત્ર કાર પાર્કિંગ માટે જ બનાવામાં આવ્યા છે. ત્યારે આવા બોસની દિલદારીને જોઈને તમને પણ થતું હશે આવા બોસ ભગવાન બધાને આપે...            




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.