મનોજ મોદીને મુકેશ અંબાણીએ આપી 1500 કરોડની ભેટ! જાણો કોણ છે મનોજ મોદી જેમને મળ્યું 22 માળનું ઘર!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:35:59

અંબાણી પરિવાર તેમની રહેણી કરણી તેમજ દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી એક વખત તેમના સ્વભાવને કારણે ચર્ચમાં આવ્યા છે. લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે પરંતુ તેમને અંબાણી પરિવારના નજીકના મિત્ર પણ માનવામાં આવે છે. 

manoj modi ambani gifted house of 1500 crore

અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં નિભાવી છે ભૂમિકા!

મુકેશ અંબાણી જેમને 1500 કરોડનું ઘર ભેટમાં આપતા હોય તે નાની વ્યક્તિ તો હોય નહી. જો મનોજ મોદી વિશે વાત કરીએ તો મનોજ મોદીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેમણે સંભાળ્યા છે. જેવા કે હજીરા પેટ્રોક્ટસ, જામનગર રિફાઈનરી, ટેલીકોમ બિજનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ તે સંભાળી ચૂક્યા છે. રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું જીઓમાં પણ મનોજ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


22 માળનું ઘર મુકેશ અંબાણીએ કર્યું ગિફ્ટ!

મનોજ મોદીએ ન માત્ર મુકેશ અંબાણી સાથે કામ કર્યું છે પરંતુ ધીરૂભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે. તે ઉપરાંત ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે પણ કામ કર્યું છે. મતલબ મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણ પેઢી જોડે કામ કર્યું છે. જેમ એન્ટિલિયા 27 માળનું આલિશાન ઘર છે તેમ જ મનોજ મોદીને ભેટમાં મળેલું ઘર આલીશાન છે. 1500 કરોડના ઘરની વાત કરીએ તો ઘરનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે. આ ઘર નેપિયન-સી રોડ પર સ્થિત છે. 7 ફ્લોર તો માત્ર કાર પાર્કિંગ માટે જ બનાવામાં આવ્યા છે. ત્યારે આવા બોસની દિલદારીને જોઈને તમને પણ થતું હશે આવા બોસ ભગવાન બધાને આપે...            




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.