મનોજ મોદીને મુકેશ અંબાણીએ આપી 1500 કરોડની ભેટ! જાણો કોણ છે મનોજ મોદી જેમને મળ્યું 22 માળનું ઘર!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:35:59

અંબાણી પરિવાર તેમની રહેણી કરણી તેમજ દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી એક વખત તેમના સ્વભાવને કારણે ચર્ચમાં આવ્યા છે. લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે પરંતુ તેમને અંબાણી પરિવારના નજીકના મિત્ર પણ માનવામાં આવે છે. 

manoj modi ambani gifted house of 1500 crore

અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં નિભાવી છે ભૂમિકા!

મુકેશ અંબાણી જેમને 1500 કરોડનું ઘર ભેટમાં આપતા હોય તે નાની વ્યક્તિ તો હોય નહી. જો મનોજ મોદી વિશે વાત કરીએ તો મનોજ મોદીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેમણે સંભાળ્યા છે. જેવા કે હજીરા પેટ્રોક્ટસ, જામનગર રિફાઈનરી, ટેલીકોમ બિજનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ તે સંભાળી ચૂક્યા છે. રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું જીઓમાં પણ મનોજ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


22 માળનું ઘર મુકેશ અંબાણીએ કર્યું ગિફ્ટ!

મનોજ મોદીએ ન માત્ર મુકેશ અંબાણી સાથે કામ કર્યું છે પરંતુ ધીરૂભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે. તે ઉપરાંત ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે પણ કામ કર્યું છે. મતલબ મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણ પેઢી જોડે કામ કર્યું છે. જેમ એન્ટિલિયા 27 માળનું આલિશાન ઘર છે તેમ જ મનોજ મોદીને ભેટમાં મળેલું ઘર આલીશાન છે. 1500 કરોડના ઘરની વાત કરીએ તો ઘરનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે. આ ઘર નેપિયન-સી રોડ પર સ્થિત છે. 7 ફ્લોર તો માત્ર કાર પાર્કિંગ માટે જ બનાવામાં આવ્યા છે. ત્યારે આવા બોસની દિલદારીને જોઈને તમને પણ થતું હશે આવા બોસ ભગવાન બધાને આપે...            




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.