ગીર-સોમનાથના વેરાવળમાં યુવકે પાડોશીના બાથરુમમાં લગાવ્યો સ્પાય કેમેરો, યુવાન સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-08-18 19:00:33

હોટલો, રેસ્ટોરન્ટ્સ અને સાયબર કાફેમાં સ્પાય કેમેરા મળી આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હમણા થોડા દિવસ પહેલા જ જામનગર નજીક દરેડમાં આવેલી પીએનબીની બ્રાન્ચના ટોયલેટમાંથી સ્પાય કેમેરા મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હવે આવો જ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળમાંથી સામે આવ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં એક વિકૃત મગજના યુવકે પોતાના પાડોશીના બાથરુમમાં સ્પાય કેમેરા ગોઠવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.


વિકૃત યુવકનું કારસ્તાન 


વેરાવળના 80 ફૂટ રોડના પોશ વિસ્તારમાં યુવકે પાડોશીના બાથરુમમાં કેમેરા મુકી દીધા હતા. જે પછી તે બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હતો. ગોપાલ વણિક નામના યુવકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યુ છે. ગઈ કાલે સાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલો કેમેરો નજરે આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. જે પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મહિલા સ્પાય કેમેરો જોઈ ચોંકી ઉઠી 


આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો છે. મકાનના બાંધકામ સમયે તેણે પાડોશી સાથે અડીને બનતી દિવાલમાં બાથરૂમમાં સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. મહિલાએ જ્યારે બાજુમાં પાડોશીના મકાનમાં જઈને જોયું તો સ્પાય કેમેરાની આખી હકીકત સામે આવી હતી. આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો છે. મકાનના બાંધકામ સમયે તેણે પાડોશી સાથે અડીને બનતી દિવાલમાં બાથરૂમમાં સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. જો કે મહિલાએ કેમેરો પકડી લેતા યુવકના કારસ્તાનનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે વેરાવળ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગરની દરેડ PNBની બ્રાન્ચમાંથી ઝડપાયો હતો કેમેરો


ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા જામનગર નજીકના દરેડ ગામમાં પીએનબીની બ્રાન્ચના મહિલા વોશરૂમમાંથી સ્પાય કેમેરો ઝડપાયો હતો.  આ સ્પાય કેમેરા બ્રાન્ચના ઈન્ચાર્જ મેનેજરે જ લગાવ્યો હોવાનું બેંકની જ એક મહિલા કર્મચારીએ જ ફરિયાદ કરી જણાવ્યું હતું. મહિલા કર્મચારીની ફરિયાદની થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.