અર્થતંત્રના મોરચે રાહતના સમાચાર, ચાલુ ખાતાની ખાધ ઝડપથી ઘટી, સર્વિસ સેક્ટરની નિકાસ વધતા રાહત


  • Published By :
  • Published Date : 2023-12-26 22:15:39

RBIએ ભારતની ચાલુ ખાતાની ખાધ  (current account deficit)ના આંકડા જાહેર કર્યા છે. RBIના મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ચાલુ ખાતાની ખાધ ઝડપથી ઘટીને GDPના 1 ટકા અથવા 8.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ ઘટીને 8.3 અબજ ડૉલર થઈ છે, જે આપણી GDPના 1 ટકા બરાબર છે. RBIએ જણાવ્યું છે કે, માલસામાનની વેપાર ખાધ નીચી રહેવાથી તેમજ સર્વિસ સેક્ટરની નિકાસમાં વધારો થવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળી છે.


અગાઉ કેટલી હતી ખાધ?


એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ 9.2 અબજ ડૉલર (GDPના 1.1 ટકા) હતી જ્યારે એક વર્ષ પહેલાંના ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર 2022) 30.9 અબજ ડૉલર (GDPના 3.8 ટકા) નોંધાઈ હતી, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 26 ડિસેમ્બરે જાહેર કરેલા અખબારી નિવેદનમાં જણાવ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં માલસામાનની વેપાર ખાધ 78.3 અબજ ડૉલર હતી, જે જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ઘટીને 61 અબજ ડૉલર થવાથી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થયો છે.


સર્વિસ સેક્ટરની નિકાસ વધી


સર્વિસ સેક્ટર જેવા કે સોફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સર્વિસની નિકાસમાં 4.2 ટકાનો વધારો થયો છે. સર્વિસિસની ચોખ્ખી આવકમાં ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે વધારો થયો છે. જોકે, ઓક્ટોબરમાં માલસામાનની વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરનો ચાલુ ખાતાની ખાધનો ડેટા માર્ચ 2024માં જાહેર થશે.


ઓક્ટોબરમાં ઓલ-ટાઈમ હાઈ સ્તરે


ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં ભારતની માલાસામાનની આયાત 31.5 અબજ ડૉલર જ્યારે માલાસામનની વેપાર ખાધ 65 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, નવેમ્બરમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને આયાત ઘટીને 54.5 અબજ ડૉલર જ્યારે વેપાર ખાધ ઘટીને 20.6 અબજ ડૉલર થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં ભારતની ચાલુ ખાતાની ખાધ 67 અબજ ડૉલર એટલે કે, GDPના 2 ટકા રહી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.