નીતિશ કુમાર બનશે JDUના નવા અધ્યક્ષ, લલન સિંહે આપ્યું રાજીનામું શા માટે, જાણો


  • Published By :
  • Published Date : 2023-12-29 21:45:58

આખરે રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલન સિંહનું રાજીનામું બિહારના રાજકીય વર્તુળોમાં ઘણી  ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. હવે સવાલ એ છે કે લલન સિંહે શા માટે JDU પ્રમુખ પદ છોડવું પડ્યું, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નીતિશ કુમારને પણ ઘરભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. લન સિંહે રાજીનામુ આપ્યું તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે, જેનું એક કારણ લાલુ યાદવ સાથેની તેમની વધી રહેલની ઘનિષ્ઠતા પણ છે. લલન સિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપને તેમાં સૌથી મોટી તક દેખાઈ રહી છે. નિતીશ કુમાર પણ NDA સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા ચાલી રહી છે.  


 નીતિશે કમાન સંભાળી


હવે બિહારના રાજકીય વર્તુળોમાં મોટો સવાલ એ છે કે નીતિશ કુમારનું આગળનું પગલું શું હશે. આ અંગે બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. પહેલી વાત એ છે કે નીતીશ પાસે હવે પક્ષના નિર્ણયો લેવાનો બંધારણીય અધિકાર છે. તે હાલમાં I.N.D.I.A એલાયન્સ સાથે છે. તેમની NDAમાં વાપસીની અટકળો પણ ચાલી રહી છે. નીતિશ કુમાર એ પણ જાણે છે કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને ચણાના ઝાડ પર ચડાવી દીધા હતા, પરંતુ જ્યારે તેમનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે મૌન જાળવી રાખ્યું હતું. નીતિશ આ માટે લલન સિંહને પણ કાઁઈ ઓછા જવાબદાર નથી માનતા. નીતીશના નજીકના લોકોનું કહેવું છે કે I.N.D.I.A એલાયન્સમાં વાતચીત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં લલન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લલન સિંહે નીતિશનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો ન હતો. જ્યારે મમતા બેનર્જીએ સંયોજક પદને બિનજરૂરી ગણાવ્યું અને પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો સીધો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લાલુ યાદવ પણ મૌન રહ્યા હતા. આ બે બાબતો સિવાય નીતીશના લલનસિંહ સાથે અનેક મુદ્દે મતભેદ પણ હતા, જે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાનું કારણ બન્યા હતા.


શું હતો લલન સિંહનો પ્લાન?


પહેલાથી જ તૈયાર કરાયેલી યોજના મુજબ પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે પીએમ પદ માટે નીતીશના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી વર બનશે અને વિરોધ પક્ષો જાનૈયા બનશે. બાદમાં નીતીશના સંયોજક બનવાની શક્યતા પર પણ લાલુના મૌનથી પાણી ફરી વળ્યું હતું. નીતીશ વિપક્ષી ગઠબંધનમાં તેમની અવગણનાથી એટલા જ નાખુશ હતા અને મનમાને મનમા લલનને કોસતા હતા કે ગઠબંધનમાં વાતચીત માટે તેમને નામાંકિત કરીને તેમણે મોટી ભૂલ કરી છે. આ દરમિયાન નીતિશના જાસૂસોએ નીતિશને સનસનાટીભર્યો સંદેશ આપ્યો હતો. લલન સિંહે નીતિશને ઘેરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી, જે તેમના જાસૂસોએ જાણી લીધો હતો. લલન ઈચ્છતા હતા કે જો નીતીશ જેડીયુના આરજેડીમાં વિલય માટે તૈયાર નથી તો જેડીયુને જ તોડી નાખવામાં આવે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે