નીતિશ કુમાર બનશે JDUના નવા અધ્યક્ષ, લલન સિંહે આપ્યું રાજીનામું શા માટે, જાણો


  • Published By :
  • Published Date : 2023-12-29 21:45:58

આખરે રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલન સિંહનું રાજીનામું બિહારના રાજકીય વર્તુળોમાં ઘણી  ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. હવે સવાલ એ છે કે લલન સિંહે શા માટે JDU પ્રમુખ પદ છોડવું પડ્યું, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નીતિશ કુમારને પણ ઘરભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. લન સિંહે રાજીનામુ આપ્યું તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે, જેનું એક કારણ લાલુ યાદવ સાથેની તેમની વધી રહેલની ઘનિષ્ઠતા પણ છે. લલન સિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપને તેમાં સૌથી મોટી તક દેખાઈ રહી છે. નિતીશ કુમાર પણ NDA સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા ચાલી રહી છે.  


 નીતિશે કમાન સંભાળી


હવે બિહારના રાજકીય વર્તુળોમાં મોટો સવાલ એ છે કે નીતિશ કુમારનું આગળનું પગલું શું હશે. આ અંગે બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. પહેલી વાત એ છે કે નીતીશ પાસે હવે પક્ષના નિર્ણયો લેવાનો બંધારણીય અધિકાર છે. તે હાલમાં I.N.D.I.A એલાયન્સ સાથે છે. તેમની NDAમાં વાપસીની અટકળો પણ ચાલી રહી છે. નીતિશ કુમાર એ પણ જાણે છે કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને ચણાના ઝાડ પર ચડાવી દીધા હતા, પરંતુ જ્યારે તેમનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે મૌન જાળવી રાખ્યું હતું. નીતિશ આ માટે લલન સિંહને પણ કાઁઈ ઓછા જવાબદાર નથી માનતા. નીતીશના નજીકના લોકોનું કહેવું છે કે I.N.D.I.A એલાયન્સમાં વાતચીત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં લલન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લલન સિંહે નીતિશનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો ન હતો. જ્યારે મમતા બેનર્જીએ સંયોજક પદને બિનજરૂરી ગણાવ્યું અને પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો સીધો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લાલુ યાદવ પણ મૌન રહ્યા હતા. આ બે બાબતો સિવાય નીતીશના લલનસિંહ સાથે અનેક મુદ્દે મતભેદ પણ હતા, જે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાનું કારણ બન્યા હતા.


શું હતો લલન સિંહનો પ્લાન?


પહેલાથી જ તૈયાર કરાયેલી યોજના મુજબ પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે પીએમ પદ માટે નીતીશના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી વર બનશે અને વિરોધ પક્ષો જાનૈયા બનશે. બાદમાં નીતીશના સંયોજક બનવાની શક્યતા પર પણ લાલુના મૌનથી પાણી ફરી વળ્યું હતું. નીતીશ વિપક્ષી ગઠબંધનમાં તેમની અવગણનાથી એટલા જ નાખુશ હતા અને મનમાને મનમા લલનને કોસતા હતા કે ગઠબંધનમાં વાતચીત માટે તેમને નામાંકિત કરીને તેમણે મોટી ભૂલ કરી છે. આ દરમિયાન નીતિશના જાસૂસોએ નીતિશને સનસનાટીભર્યો સંદેશ આપ્યો હતો. લલન સિંહે નીતિશને ઘેરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી, જે તેમના જાસૂસોએ જાણી લીધો હતો. લલન ઈચ્છતા હતા કે જો નીતીશ જેડીયુના આરજેડીમાં વિલય માટે તૈયાર નથી તો જેડીયુને જ તોડી નાખવામાં આવે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.