નીતિશ કુમાર બનશે JDUના નવા અધ્યક્ષ, લલન સિંહે આપ્યું રાજીનામું શા માટે, જાણો


  • Published By :
  • Published Date : 2023-12-29 21:45:58

આખરે રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલન સિંહનું રાજીનામું બિહારના રાજકીય વર્તુળોમાં ઘણી  ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. હવે સવાલ એ છે કે લલન સિંહે શા માટે JDU પ્રમુખ પદ છોડવું પડ્યું, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નીતિશ કુમારને પણ ઘરભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. લન સિંહે રાજીનામુ આપ્યું તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે, જેનું એક કારણ લાલુ યાદવ સાથેની તેમની વધી રહેલની ઘનિષ્ઠતા પણ છે. લલન સિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપને તેમાં સૌથી મોટી તક દેખાઈ રહી છે. નિતીશ કુમાર પણ NDA સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા ચાલી રહી છે.  


 નીતિશે કમાન સંભાળી


હવે બિહારના રાજકીય વર્તુળોમાં મોટો સવાલ એ છે કે નીતિશ કુમારનું આગળનું પગલું શું હશે. આ અંગે બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. પહેલી વાત એ છે કે નીતીશ પાસે હવે પક્ષના નિર્ણયો લેવાનો બંધારણીય અધિકાર છે. તે હાલમાં I.N.D.I.A એલાયન્સ સાથે છે. તેમની NDAમાં વાપસીની અટકળો પણ ચાલી રહી છે. નીતિશ કુમાર એ પણ જાણે છે કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને ચણાના ઝાડ પર ચડાવી દીધા હતા, પરંતુ જ્યારે તેમનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે મૌન જાળવી રાખ્યું હતું. નીતિશ આ માટે લલન સિંહને પણ કાઁઈ ઓછા જવાબદાર નથી માનતા. નીતીશના નજીકના લોકોનું કહેવું છે કે I.N.D.I.A એલાયન્સમાં વાતચીત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં લલન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લલન સિંહે નીતિશનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો ન હતો. જ્યારે મમતા બેનર્જીએ સંયોજક પદને બિનજરૂરી ગણાવ્યું અને પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો સીધો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લાલુ યાદવ પણ મૌન રહ્યા હતા. આ બે બાબતો સિવાય નીતીશના લલનસિંહ સાથે અનેક મુદ્દે મતભેદ પણ હતા, જે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાનું કારણ બન્યા હતા.


શું હતો લલન સિંહનો પ્લાન?


પહેલાથી જ તૈયાર કરાયેલી યોજના મુજબ પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે પીએમ પદ માટે નીતીશના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી વર બનશે અને વિરોધ પક્ષો જાનૈયા બનશે. બાદમાં નીતીશના સંયોજક બનવાની શક્યતા પર પણ લાલુના મૌનથી પાણી ફરી વળ્યું હતું. નીતીશ વિપક્ષી ગઠબંધનમાં તેમની અવગણનાથી એટલા જ નાખુશ હતા અને મનમાને મનમા લલનને કોસતા હતા કે ગઠબંધનમાં વાતચીત માટે તેમને નામાંકિત કરીને તેમણે મોટી ભૂલ કરી છે. આ દરમિયાન નીતિશના જાસૂસોએ નીતિશને સનસનાટીભર્યો સંદેશ આપ્યો હતો. લલન સિંહે નીતિશને ઘેરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી, જે તેમના જાસૂસોએ જાણી લીધો હતો. લલન ઈચ્છતા હતા કે જો નીતીશ જેડીયુના આરજેડીમાં વિલય માટે તૈયાર નથી તો જેડીયુને જ તોડી નાખવામાં આવે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.