બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા સાથે રશિયા અને યુક્રેનની બે સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:35:04


વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરષ્કારની જાહેરાત કરવામાં આવી છે. નોર્વેની નોબેલ કમિટીએ વર્ષ 2022ના શાંતિ પુરષ્કાર માટે બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિઆત્સ્કી, રશિયાની માનવાધિકાર સંસ્થા મેમોરિયલ અને યુક્રેનની માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝની પસંદગી કરી છે.


1. એલેસ બિયાલિઆત્સ્કી


એલેસ બિયાલિઆત્સ્કી 1980 ના દાયકાના મધ્યમાં બેલારુસમાં ઉદ્ભવેલી લોકશાહી ચળવળના આરંભકર્તાઓમાંના એક હતા. તેમણે તેમના દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે 1996માં Viasna (વસંત) સંસ્થાની સ્થાપના કરી હતી. Viasna એક માનવાધિકાર સંગઠન તરીકે વિકસ્યું છે. આ સંગઠન રાજકીય કેદીઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને તેમને કાનુની મદદ પુરી પાડે છે. એલેસ બિયાલિઆત્સ્કી વર્ષ 2011થી 2014 સુધી જેલમાં રહ્યા હતા. વળી 2020માં ફરી તેમની ધરપકડ કરવામાં આવી અને હજુ પણ જેલમાં જ છે.



2. રશિયાનું હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન મેમોરિયલ


વર્ષ 1987 માં માનવ અધિકાર સંગઠન મેમોરિયલની સ્થાપના ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં માનવ અધિકાર કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. તેના સ્થાપક સભ્યોમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એંદ્રેઈ સખારોવ તથા માનવાધિકારવાદી વકીલ સ્વેતલાના ગનુશકિનાનો સમાવેશ થાય છે. સંસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે સામ્યવાદી શાસનના જુલમનો ભોગ બનેલા લોકોને ક્યારેય ભૂલવામાં ન આવે. ચેચન્યાના વિગ્રહ દરમિયાન, મેમોરિયલએ રશિયા અને રશિયા તરફી દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અને યુદ્ધ અપરાધો વિશે વિશ્વને માહિતી પહોચાડી. રશિયાની સરકાર આ સંગઠનને વિદેશી જાસુસોનું સંગઠન ગણાવે છે.


3. ધ સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ


યુક્રેનમાં માનવ અધિકારો અને લોકશાહીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ લિબર્ટીઝ સેન્ટરની સ્થાપના વર્ષ  2007માં કરવામાં આવી હતી. તેણે યુક્રેનના નાગરિક સમાજને મજબૂત કરવા અને યુક્રેનને સંપૂર્ણ લોકશાહી બનાવવા માટે સત્તાવાળાઓ પર દબાણ લાવવાનું વલણ અપનાવ્યું.  આ સંગઠનનું કહેવું છે કે યુક્રેનમાં હજુ પણ સાચી લોકશાહી અસ્તિત્વમાં નથી. આ સંગઠનની માંગ છે કે યુક્રેનને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો ભાગ બનવું જોઈએ.

ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના લશ્કરી ભંગાણથી, સંગઠને યુક્રેનિયન વસ્તી સામે રશિયન યુદ્ધ અપરાધોને ઓળખવા અને દસ્તાવેજ કરવા માટે નિર્ભયતાથી કામ કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે આ સંગઠને યુદ્ધ અપરાધોના કેસોની તપાસ કરી હતી. હવે આ કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં દાખલ થઈ રહ્યા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.