GST: 5 વર્ષમાં 65 ટકા કરદાતા વધ્યા, GST કલેક્શનનો આંકડો રૂ.1.13 કરોડ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 22:16:26

દેશમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે તેની સાથે-સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. એપ્રિલ 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં GST રિટર્નમાં મોટો વધારો થયો છે અને કરદાતાઓની સંખ્યા પણ 65 ટકા જેટલી વધી છે. દેશમાં હવે આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. કરદાતાઓના અનુપાલનમાં સુધારો કરવાને કારણે એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષમાં ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની સંખ્યા લગભગ 65 ટકા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. 


સક્રિય કરદાતાઓની સંખ્યા  1.40 કરોડએ પહોંચી


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2018માં 1.06 કરોડથી વધીને 1.40 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં, 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GST લાગુ થયાના એક વર્ષ પહેલા 2017-18માં આ આંકડો 68 ટકા હતો. મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, "GST નિયમો અને પ્રક્રિયાઓમાં સરળીકરણને કારણે લાયક કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા રિટર્નની ટકાવારીમાં વધારો થયો છે." GST 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થતો હતો.


GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર 


GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. GSTR-3B એ આઉટવર્ડ સપ્લાયની વિગતો અને કર ચૂકવણી કરવા માટેનું માસિક રિટર્ન ફોર્મ છે. "જીએસટીમાં અસરકારક નીતિ અને પ્રણાલીગત ફેરફારોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં GST રિટર્ન ભરવામાં અનુપાલન સ્તરમાં સુધારો થયો છે," મંત્રાલયે X પરની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો અનુપાલન સ્તરમાં સુધારો દર્શાવે છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.