GST: 5 વર્ષમાં 65 ટકા કરદાતા વધ્યા, GST કલેક્શનનો આંકડો રૂ.1.13 કરોડ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 22:16:26

દેશમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે તેની સાથે-સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. એપ્રિલ 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં GST રિટર્નમાં મોટો વધારો થયો છે અને કરદાતાઓની સંખ્યા પણ 65 ટકા જેટલી વધી છે. દેશમાં હવે આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. કરદાતાઓના અનુપાલનમાં સુધારો કરવાને કારણે એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષમાં ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની સંખ્યા લગભગ 65 ટકા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. 


સક્રિય કરદાતાઓની સંખ્યા  1.40 કરોડએ પહોંચી


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2018માં 1.06 કરોડથી વધીને 1.40 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં, 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GST લાગુ થયાના એક વર્ષ પહેલા 2017-18માં આ આંકડો 68 ટકા હતો. મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, "GST નિયમો અને પ્રક્રિયાઓમાં સરળીકરણને કારણે લાયક કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા રિટર્નની ટકાવારીમાં વધારો થયો છે." GST 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થતો હતો.


GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર 


GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. GSTR-3B એ આઉટવર્ડ સપ્લાયની વિગતો અને કર ચૂકવણી કરવા માટેનું માસિક રિટર્ન ફોર્મ છે. "જીએસટીમાં અસરકારક નીતિ અને પ્રણાલીગત ફેરફારોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં GST રિટર્ન ભરવામાં અનુપાલન સ્તરમાં સુધારો થયો છે," મંત્રાલયે X પરની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો અનુપાલન સ્તરમાં સુધારો દર્શાવે છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.