GST: 5 વર્ષમાં 65 ટકા કરદાતા વધ્યા, GST કલેક્શનનો આંકડો રૂ.1.13 કરોડ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 22:16:26

દેશમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે તેની સાથે-સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. એપ્રિલ 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં GST રિટર્નમાં મોટો વધારો થયો છે અને કરદાતાઓની સંખ્યા પણ 65 ટકા જેટલી વધી છે. દેશમાં હવે આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. કરદાતાઓના અનુપાલનમાં સુધારો કરવાને કારણે એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષમાં ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની સંખ્યા લગભગ 65 ટકા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. 


સક્રિય કરદાતાઓની સંખ્યા  1.40 કરોડએ પહોંચી


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2018માં 1.06 કરોડથી વધીને 1.40 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં, 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GST લાગુ થયાના એક વર્ષ પહેલા 2017-18માં આ આંકડો 68 ટકા હતો. મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, "GST નિયમો અને પ્રક્રિયાઓમાં સરળીકરણને કારણે લાયક કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા રિટર્નની ટકાવારીમાં વધારો થયો છે." GST 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થતો હતો.


GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર 


GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. GSTR-3B એ આઉટવર્ડ સપ્લાયની વિગતો અને કર ચૂકવણી કરવા માટેનું માસિક રિટર્ન ફોર્મ છે. "જીએસટીમાં અસરકારક નીતિ અને પ્રણાલીગત ફેરફારોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં GST રિટર્ન ભરવામાં અનુપાલન સ્તરમાં સુધારો થયો છે," મંત્રાલયે X પરની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો અનુપાલન સ્તરમાં સુધારો દર્શાવે છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું હતું.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.