ન્યૂઝ ચેનલોને રેગ્યુલેટ કરવાની PIL Supreme Court પહોંચી, અરજી ફગાવતા SCએ કહ્યું કે 'જો તમને પસંદ નથી તો....'


  • Published By :
  • Published Date : 2023-08-09 11:58:42

મીડિયાને લોકતંત્રનો ચોથો પાયો માનવામાં આવે છે. સમાજમાં મીડિયાનો એક મહત્વપૂર્ણ ફાળો છે, સમાજમાં, દેશમા બનતા કિસ્સાઓ લોકો સુધી સમાચાર પહોચાડવા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલોને રેગ્યુલેટ કરવામાં આવે તેવી અરજકર્તાની માગ હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ચેનોલો પર બતવાતા કન્ટેન્ટ ખૂબ ઘાતક છે, તેથી તેના માટે કડક નિયમો બનાવવામાં આવે. આ અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી અને આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. ન્યુઝ ચેનલોને લઈ એક નહીં પરંતુ બે અરજી કરવામાં આવી પરંતુ બંને અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. 

Supreme Court directs all states, UTs to register cases against those  making hate speeches even without any complaint : The Tribune India

અરજકર્તાઓની અરજી પર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર 

આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી ઉપરાંત સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર્શકોને આ ચેનલો જોવી કે ન જોવી તે પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ અભય ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે મીડિયા ચેનલોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે દર્શકો આવી ચેનલો જોવાનું છોડી દે. અરજીઓમાં ચેનલો પર પ્રસારિત થતી સામગ્રી સંબંધિત ફરિયાદ નિવારણ માટે સ્વતંત્ર બોર્ડની પણ માંગ કરવામાં આવી હતી.


'તમે સ્વતંત્ર, ન પસંદ હોય તો રિમોટ તમારા હાથમાં છે...'

વધુમાં ઉમેર્યું કે "તમને આ બધી ચેનલો જોવા માટે કોણ મજબૂર કરે છે? જો તમને તે ગમતી નથી, તો પછી તેને જોશો નહીં. જ્યારે કોઈ ખોટી વસ્તુ બતાવવામાં આવે છે, તે દ્રષ્ટિ વિશે પણ છે. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી? ભલે આપણે કહીએ કે મીડિયા ટ્રાયલ નથી. , અમે ઇન્ટરનેટ અને બધી બાબતોને કેવી રીતે રોકી શકીએ? અમે આવી પ્રાર્થના કેવી રીતે મંજૂર કરી શકીએ? કોણ તેને ગંભીરતાથી લે છે, અમને કહો? ટીવીનું બટન દબાવવાની પૂર્ણ સ્વતંત્રતા છે" જસ્ટિસ ઓકાએ કહ્યું, જેમ બાર અને બેંચ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.

    

સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કરી હતી પીઆઈએલ 

સુપ્રીમ કોર્ટમાં જે અરજી ફગાવવામાં આવી તેની પીઆઈએલ દિલ્હી સ્થિત વકીલ રીપક કંસલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં તેમણે સ્વતંત્ર નિયમનકારી સત્તાની રચનાની માંગ કરી હતી અને જે બીજી પીઆઈએલ હતી તે  ફિલ્મ નિર્માતા નિલેશ નવલખા અને કાર્યકર્તા નીતિન મેમાણે દ્વારા કરવામાં આવી હતી  જેમણે મીડિયા ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી હતી. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.