ન્યૂઝ ચેનલોને રેગ્યુલેટ કરવાની PIL Supreme Court પહોંચી, અરજી ફગાવતા SCએ કહ્યું કે 'જો તમને પસંદ નથી તો....'


  • Published By :
  • Published Date : 2023-08-09 11:58:42

મીડિયાને લોકતંત્રનો ચોથો પાયો માનવામાં આવે છે. સમાજમાં મીડિયાનો એક મહત્વપૂર્ણ ફાળો છે, સમાજમાં, દેશમા બનતા કિસ્સાઓ લોકો સુધી સમાચાર પહોચાડવા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલોને રેગ્યુલેટ કરવામાં આવે તેવી અરજકર્તાની માગ હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ચેનોલો પર બતવાતા કન્ટેન્ટ ખૂબ ઘાતક છે, તેથી તેના માટે કડક નિયમો બનાવવામાં આવે. આ અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી અને આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. ન્યુઝ ચેનલોને લઈ એક નહીં પરંતુ બે અરજી કરવામાં આવી પરંતુ બંને અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. 

Supreme Court directs all states, UTs to register cases against those  making hate speeches even without any complaint : The Tribune India

અરજકર્તાઓની અરજી પર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર 

આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી ઉપરાંત સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર્શકોને આ ચેનલો જોવી કે ન જોવી તે પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ અભય ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે મીડિયા ચેનલોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે દર્શકો આવી ચેનલો જોવાનું છોડી દે. અરજીઓમાં ચેનલો પર પ્રસારિત થતી સામગ્રી સંબંધિત ફરિયાદ નિવારણ માટે સ્વતંત્ર બોર્ડની પણ માંગ કરવામાં આવી હતી.


'તમે સ્વતંત્ર, ન પસંદ હોય તો રિમોટ તમારા હાથમાં છે...'

વધુમાં ઉમેર્યું કે "તમને આ બધી ચેનલો જોવા માટે કોણ મજબૂર કરે છે? જો તમને તે ગમતી નથી, તો પછી તેને જોશો નહીં. જ્યારે કોઈ ખોટી વસ્તુ બતાવવામાં આવે છે, તે દ્રષ્ટિ વિશે પણ છે. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી? ભલે આપણે કહીએ કે મીડિયા ટ્રાયલ નથી. , અમે ઇન્ટરનેટ અને બધી બાબતોને કેવી રીતે રોકી શકીએ? અમે આવી પ્રાર્થના કેવી રીતે મંજૂર કરી શકીએ? કોણ તેને ગંભીરતાથી લે છે, અમને કહો? ટીવીનું બટન દબાવવાની પૂર્ણ સ્વતંત્રતા છે" જસ્ટિસ ઓકાએ કહ્યું, જેમ બાર અને બેંચ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.

    

સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કરી હતી પીઆઈએલ 

સુપ્રીમ કોર્ટમાં જે અરજી ફગાવવામાં આવી તેની પીઆઈએલ દિલ્હી સ્થિત વકીલ રીપક કંસલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં તેમણે સ્વતંત્ર નિયમનકારી સત્તાની રચનાની માંગ કરી હતી અને જે બીજી પીઆઈએલ હતી તે  ફિલ્મ નિર્માતા નિલેશ નવલખા અને કાર્યકર્તા નીતિન મેમાણે દ્વારા કરવામાં આવી હતી  જેમણે મીડિયા ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી