Rajasthanમાં થતા Paper Leakની ચિંતા PM Modiને થાય છે પરંતુ Gujaratમાં બનતી પેપર લીકની ઘટનાઓ તેમને ક્યારે દેખાશે?


  • Published By :
  • Published Date : 2023-10-17 16:30:16

ગુજરાતમાં અનેક વખત પેપર લીક થતા હોય છે. તાજેતરમાં જ મહેસાણાથી પેપર લીકનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. શાળાના પેપરો ફૂટી રહ્યા છે ત્યારે પીએમ મોદી દ્વારા ચૂંટણી પ્રચારમાં કરવામાં આવતા નિવેદનો યાદ આવે છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ પેપર ફૂટવાના મુદ્દા પર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત.

 

રાજસ્થાન પેપરલીક મામલે અનેક વખત બોલ્યા છે પીએમ મોદી

રાજસ્થાનમાં હમણા ચૂંટણી છે. ચૂંટણી પહેલા વચનોની લ્હાણી ચાલતી હોય છે. જે તમામ રાજકીય પક્ષો કરતી હોય છે એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ પણ વાંધો ત્યારે હોય જ્યારે એ રાજકીય પક્ષ લોકોને આપેલું વચન ભૂલી જાય છે અથવા વચન ચૂકે છે. ચૂંટણીના કારણે ખુદ પ્રધાન પ્રચારક રાજસ્થાનમાં જઈને પેપર લીકની એકવાર નહીં પણ બે-બેવાર વાતો કરતા હોય અને ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત. ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટવાના કિસ્સાઓ બની રહ્યા છે. 

ગુજરાતમાં તો અનેક વખત પેપર થયા લીક 

હમણા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. મધ્યપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન. આમાંથી મોટા ભાગના જિલ્લામાં સ્થાનિક સરકારમાં  કોંગ્રેસ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ વિધાનસભા ચૂંટણી જીતવા માટે દમ લગાવી રહી છે. એવામાં સ્લોગન મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જેમ 2014માં સ્લોગન ચાલ્યા હતા કે અબકી બાર મોદી સરકાર, જેમ ઈંદિરા ગાંધીના સમયમાં સ્લોગન ચાલ્યા હતા ગરીબીવાળા એવી જ રીતે લાલુ સરકારમાં પણ સ્લોગન ચાલ્યા  હતા. બધી સરકારો ચૂંટણી જીતવા અને લોકોને લુભાવવા માટે આવું કરતા જ હોય છે. પણ ઘરના છોકરા ઘંટી ચાટતા હોય અને પાડોશીને આટો મળે તો સ્વાભાવિક છે ગુજરાતી તરીકે ગુજરાતની જનતાને થોડું લાગી આવે. રાજસ્થાનમાં સ્લોગન ચલાવવામાં આવી રહ્યા છે કે પેપર લીક સે યુવા પરેશાન નહીં સહેગા રાજસ્થાન. એના પર ગુજરાતના પેપર ફૂટવાની લાંબી સૂચિને યાદ કરીએ તો વીડિયો બહુ લાંબો થઈ જાય.


મહેસાણાની શાળામાં ફૂટ્યા 13 પેપર 

ગુજરાતમાં પણ આવું કેમ્પેઈન શરૂ કરવું જોઈએ એટલે ગુજરાતને પેપર ફૂટવાની ઘટનાઓથી મુક્તિ મળે, હમણા ગઈકાલે જ એક ઘટના હતી કે મહેસાણામાં 1-2 નહીં પણ 13-13 પેપર ફૂટ્યા. એ પણ શાળામાં. ગજબ કહેવાય. ખૈર ચૂંટણીની વાત કરીએ તો હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ પૂરતો પ્રયાસ કરી રહી છે કે વિધાનસભા ચૂંટણીમાં બાજી મારે. અને રાજસ્થાનની ફિતરત પણ અત્યાર સુધીની એવી રહી છે કે એકવાર ભાજપ અને એકવાર કોંગ્રેસની સરકાર આવે છે. તો આ વખતેની સરકાર પહેલા ભાજપની સરકાર હતી પછી આ વખતે કોંગ્રેસની સરકાર છે તો એ પાંચ વર્ષવાળો ઈતિહાસ જોઈએ તો ભાજપની સરકાર આવી શકે. પણ વાત અહીં એ કરવી છે કે પક્ષ અને વિપક્ષના નામ, ચહેરા, સરનામા બધુ જ બદલાઈ જાય છે. સત્તાનું ચરિત્ર અને વિપક્ષનો દંભ ક્યારેક નથી બદલાતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.