Rajasthanમાં થતા Paper Leakની ચિંતા PM Modiને થાય છે પરંતુ Gujaratમાં બનતી પેપર લીકની ઘટનાઓ તેમને ક્યારે દેખાશે?


  • Published By :
  • Published Date : 2023-10-17 16:30:16

ગુજરાતમાં અનેક વખત પેપર લીક થતા હોય છે. તાજેતરમાં જ મહેસાણાથી પેપર લીકનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. શાળાના પેપરો ફૂટી રહ્યા છે ત્યારે પીએમ મોદી દ્વારા ચૂંટણી પ્રચારમાં કરવામાં આવતા નિવેદનો યાદ આવે છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ પેપર ફૂટવાના મુદ્દા પર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત.

 

રાજસ્થાન પેપરલીક મામલે અનેક વખત બોલ્યા છે પીએમ મોદી

રાજસ્થાનમાં હમણા ચૂંટણી છે. ચૂંટણી પહેલા વચનોની લ્હાણી ચાલતી હોય છે. જે તમામ રાજકીય પક્ષો કરતી હોય છે એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ પણ વાંધો ત્યારે હોય જ્યારે એ રાજકીય પક્ષ લોકોને આપેલું વચન ભૂલી જાય છે અથવા વચન ચૂકે છે. ચૂંટણીના કારણે ખુદ પ્રધાન પ્રચારક રાજસ્થાનમાં જઈને પેપર લીકની એકવાર નહીં પણ બે-બેવાર વાતો કરતા હોય અને ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત. ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટવાના કિસ્સાઓ બની રહ્યા છે. 

ગુજરાતમાં તો અનેક વખત પેપર થયા લીક 

હમણા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. મધ્યપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન. આમાંથી મોટા ભાગના જિલ્લામાં સ્થાનિક સરકારમાં  કોંગ્રેસ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ વિધાનસભા ચૂંટણી જીતવા માટે દમ લગાવી રહી છે. એવામાં સ્લોગન મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જેમ 2014માં સ્લોગન ચાલ્યા હતા કે અબકી બાર મોદી સરકાર, જેમ ઈંદિરા ગાંધીના સમયમાં સ્લોગન ચાલ્યા હતા ગરીબીવાળા એવી જ રીતે લાલુ સરકારમાં પણ સ્લોગન ચાલ્યા  હતા. બધી સરકારો ચૂંટણી જીતવા અને લોકોને લુભાવવા માટે આવું કરતા જ હોય છે. પણ ઘરના છોકરા ઘંટી ચાટતા હોય અને પાડોશીને આટો મળે તો સ્વાભાવિક છે ગુજરાતી તરીકે ગુજરાતની જનતાને થોડું લાગી આવે. રાજસ્થાનમાં સ્લોગન ચલાવવામાં આવી રહ્યા છે કે પેપર લીક સે યુવા પરેશાન નહીં સહેગા રાજસ્થાન. એના પર ગુજરાતના પેપર ફૂટવાની લાંબી સૂચિને યાદ કરીએ તો વીડિયો બહુ લાંબો થઈ જાય.


મહેસાણાની શાળામાં ફૂટ્યા 13 પેપર 

ગુજરાતમાં પણ આવું કેમ્પેઈન શરૂ કરવું જોઈએ એટલે ગુજરાતને પેપર ફૂટવાની ઘટનાઓથી મુક્તિ મળે, હમણા ગઈકાલે જ એક ઘટના હતી કે મહેસાણામાં 1-2 નહીં પણ 13-13 પેપર ફૂટ્યા. એ પણ શાળામાં. ગજબ કહેવાય. ખૈર ચૂંટણીની વાત કરીએ તો હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ પૂરતો પ્રયાસ કરી રહી છે કે વિધાનસભા ચૂંટણીમાં બાજી મારે. અને રાજસ્થાનની ફિતરત પણ અત્યાર સુધીની એવી રહી છે કે એકવાર ભાજપ અને એકવાર કોંગ્રેસની સરકાર આવે છે. તો આ વખતેની સરકાર પહેલા ભાજપની સરકાર હતી પછી આ વખતે કોંગ્રેસની સરકાર છે તો એ પાંચ વર્ષવાળો ઈતિહાસ જોઈએ તો ભાજપની સરકાર આવી શકે. પણ વાત અહીં એ કરવી છે કે પક્ષ અને વિપક્ષના નામ, ચહેરા, સરનામા બધુ જ બદલાઈ જાય છે. સત્તાનું ચરિત્ર અને વિપક્ષનો દંભ ક્યારેક નથી બદલાતો. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.