હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને રાહુલ ગાંધીએ એલન મસ્કને કરી મોટી અપીલ


  • Published By :
  • Published Date : 2022-10-29 13:53:37

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. માલિક બન્યા બાદ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે શુભકામના પાઠવતા એક આશા વ્યક્ત કરી છે. ટ્વિટ કરી રાહુલએ કહ્યું કે  એલન મસ્કને અભિનંદન. હું આશા રાખું છું કે ટ્વિટર હવે હેટ સ્પીટ વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને ભારત સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO સોશિયલ મીડિયા મંચના નવા માલિક બની ગયા છે.


શા માટે રાહુલે વ્યક્ત કરવી આશા???

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે અનેક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  આ વાત રાહુલે એટલા માટે કરી છે કારણ કે ગત વર્ષે દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન બતાવી થોડા દિવસ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટ્વિટર અકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓના અકાઉન્ટ પણ ટ્વિટરે લોક કરી દીધા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.