હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને રાહુલ ગાંધીએ એલન મસ્કને કરી મોટી અપીલ


  • Published By :
  • Published Date : 2022-10-29 13:53:37

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. માલિક બન્યા બાદ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે શુભકામના પાઠવતા એક આશા વ્યક્ત કરી છે. ટ્વિટ કરી રાહુલએ કહ્યું કે  એલન મસ્કને અભિનંદન. હું આશા રાખું છું કે ટ્વિટર હવે હેટ સ્પીટ વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને ભારત સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO સોશિયલ મીડિયા મંચના નવા માલિક બની ગયા છે.


શા માટે રાહુલે વ્યક્ત કરવી આશા???

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે અનેક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  આ વાત રાહુલે એટલા માટે કરી છે કારણ કે ગત વર્ષે દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન બતાવી થોડા દિવસ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટ્વિટર અકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓના અકાઉન્ટ પણ ટ્વિટરે લોક કરી દીધા હતા.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?