હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને રાહુલ ગાંધીએ એલન મસ્કને કરી મોટી અપીલ


  • Published By :
  • Published Date : 2022-10-29 13:53:37

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. માલિક બન્યા બાદ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે શુભકામના પાઠવતા એક આશા વ્યક્ત કરી છે. ટ્વિટ કરી રાહુલએ કહ્યું કે  એલન મસ્કને અભિનંદન. હું આશા રાખું છું કે ટ્વિટર હવે હેટ સ્પીટ વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને ભારત સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO સોશિયલ મીડિયા મંચના નવા માલિક બની ગયા છે.


શા માટે રાહુલે વ્યક્ત કરવી આશા???

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે અનેક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  આ વાત રાહુલે એટલા માટે કરી છે કારણ કે ગત વર્ષે દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન બતાવી થોડા દિવસ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટ્વિટર અકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓના અકાઉન્ટ પણ ટ્વિટરે લોક કરી દીધા હતા.  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .