વિદેશમાં વસતા ભારતીયોએ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા, વર્ષમાં 26 ટકાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-17 21:02:13

ભારતના લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના દરેક ક્ષેત્રમાં વિશ્વના ખૂણે ખૂણે શ્રેષ્ઠતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. ભારતીયોએ વિદેશમાં કમાણી કર્યા બાદ ડોલર મોકલવામાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. રેમિટન્સ મોકલવાની બાબતમાં ભારત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં NRIએ ભારતમાં 26 ટકા વધુ પૈસા મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે. કમાવવા માટે પરદેશ ગયેલા લોકો જે પૈસા માદરે વતન મોકલે તેને ઈનવર્ડ રેમિટન્સ (Inward Remittance) કહે છે. ભારતમાં સિંગલ વર્ષમાં આટલું બધું રેમિટન્સ આવ્યું નથી.


વર્ષ  2022-23માં આવ્યું સૌથી વધુ રેમિટન્સ


વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2017-18માં ભારતમાં 69.1 અબજ ડૉલર મોકલ્યા હતા. ત્યારબાદ 2018-19માં 76.4 અબજ ડૉલર, 2019-20માં 83.2 અબજ ડૉલર, 2020-21માં 80.2 અબજ ડૉલર, 2021-22માં 89.1 અબજ ડૉલર અને 2022-23માં 112.5 અબજ ડૉલર મોકલ્યા હોવાની માહિતી RBIના ડેટા પરથી મળે છે. 2022-23માં આવેલું રેમિટન્સ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં આવેલા રેમિટન્સમાં સૌથી વધારે છે.


ચાલુ વર્ષે રેમિટન્સ વધવાની ધારણા


ચાલુ નાણાકીય વર્ષે પણ ભારતમાં 100 અબજ ડૉલરથી વધુ રેમિટન્સ આવવાની ધારણા છે. જોકે, 2022ની સરખામણીએ 2023માં રેમિટન્સ ઘટી શકે છે, કારણ કે, વૈશ્વિક અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે. 2022માં તો માઈગ્રન્ટ વર્કર્સના પગાર વધ્યા હતા, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્લ્ડ બેન્કને અપેક્ષા છે કે, આ વખતે દક્ષિણ એશિયામાં ફોરેન રેમિટન્સનો વૃદ્ધિ દર ધીમો પડશે અને માત્ર 0.3 ટકા વધારો નોંધાશે, કારણ કે યુરોપ અને અમેરિકા સહિતનાં દેશોની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી રહી છે. ખાસ તો આઈટી કર્મચારીઓની કમાણી પર અસર પડવાની સંભાવના છે.


આ દેશનો મોટો ફાળો 


ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2020-21 માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના આધારે ભારતમાં ઈનવર્ડ રેમિટન્સમાં 10 મોટા દેશોનું મોટું યોગદાન રહ્યું છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં આવતા આ ઈનવર્ડ રેમિટન્સમાં સૌથી વધુ હિસ્સો અમેરિકા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE)નો રહ્યો છે. દેશમાં કુલ રેમિટન્સમાં 23.4% હિસ્સા સાથે અમેરિકા ટોચનો સ્ત્રોત હતું. તે પછી 18% સાથે , UAE, UK (6.8%), સિંગાપોર (5.7%) અને સાઉદી અરેબિયા (5.1%) છે.


વિકાસ અને GDPમાં રેમિટન્સનું મોટું યોગદાન  


 દેશના અર્થતંત્રના વિકાસમાં અને GDPમાં રેમિટન્સનું યોગદાન છે. રેમિટન્સ વધવાથી ભારતને રાહત મળી છે.  2022માં ભારતમાં જે રેમિટન્સ આવ્યું તેનો હિસ્સો જીડીપીના 3.2 ટકા જેટલો હતો. 2022-21માં ભારતમાં ઠલવાયેલું રેમિટન્સ જીડીપીના 2.75 ટકા હતું. ભારતની તિજોરીમાં રહેલું વિદેશી હૂંડિયામણ 603 અબજ ડૉલરની આસપાસ છે.

 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.