વિદેશમાં વસતા ભારતીયોએ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા, વર્ષમાં 26 ટકાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-17 21:02:13

ભારતના લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના દરેક ક્ષેત્રમાં વિશ્વના ખૂણે ખૂણે શ્રેષ્ઠતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. ભારતીયોએ વિદેશમાં કમાણી કર્યા બાદ ડોલર મોકલવામાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. રેમિટન્સ મોકલવાની બાબતમાં ભારત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં NRIએ ભારતમાં 26 ટકા વધુ પૈસા મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે. કમાવવા માટે પરદેશ ગયેલા લોકો જે પૈસા માદરે વતન મોકલે તેને ઈનવર્ડ રેમિટન્સ (Inward Remittance) કહે છે. ભારતમાં સિંગલ વર્ષમાં આટલું બધું રેમિટન્સ આવ્યું નથી.


વર્ષ  2022-23માં આવ્યું સૌથી વધુ રેમિટન્સ


વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2017-18માં ભારતમાં 69.1 અબજ ડૉલર મોકલ્યા હતા. ત્યારબાદ 2018-19માં 76.4 અબજ ડૉલર, 2019-20માં 83.2 અબજ ડૉલર, 2020-21માં 80.2 અબજ ડૉલર, 2021-22માં 89.1 અબજ ડૉલર અને 2022-23માં 112.5 અબજ ડૉલર મોકલ્યા હોવાની માહિતી RBIના ડેટા પરથી મળે છે. 2022-23માં આવેલું રેમિટન્સ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં આવેલા રેમિટન્સમાં સૌથી વધારે છે.


ચાલુ વર્ષે રેમિટન્સ વધવાની ધારણા


ચાલુ નાણાકીય વર્ષે પણ ભારતમાં 100 અબજ ડૉલરથી વધુ રેમિટન્સ આવવાની ધારણા છે. જોકે, 2022ની સરખામણીએ 2023માં રેમિટન્સ ઘટી શકે છે, કારણ કે, વૈશ્વિક અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે. 2022માં તો માઈગ્રન્ટ વર્કર્સના પગાર વધ્યા હતા, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્લ્ડ બેન્કને અપેક્ષા છે કે, આ વખતે દક્ષિણ એશિયામાં ફોરેન રેમિટન્સનો વૃદ્ધિ દર ધીમો પડશે અને માત્ર 0.3 ટકા વધારો નોંધાશે, કારણ કે યુરોપ અને અમેરિકા સહિતનાં દેશોની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી રહી છે. ખાસ તો આઈટી કર્મચારીઓની કમાણી પર અસર પડવાની સંભાવના છે.


આ દેશનો મોટો ફાળો 


ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2020-21 માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના આધારે ભારતમાં ઈનવર્ડ રેમિટન્સમાં 10 મોટા દેશોનું મોટું યોગદાન રહ્યું છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં આવતા આ ઈનવર્ડ રેમિટન્સમાં સૌથી વધુ હિસ્સો અમેરિકા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE)નો રહ્યો છે. દેશમાં કુલ રેમિટન્સમાં 23.4% હિસ્સા સાથે અમેરિકા ટોચનો સ્ત્રોત હતું. તે પછી 18% સાથે , UAE, UK (6.8%), સિંગાપોર (5.7%) અને સાઉદી અરેબિયા (5.1%) છે.


વિકાસ અને GDPમાં રેમિટન્સનું મોટું યોગદાન  


 દેશના અર્થતંત્રના વિકાસમાં અને GDPમાં રેમિટન્સનું યોગદાન છે. રેમિટન્સ વધવાથી ભારતને રાહત મળી છે.  2022માં ભારતમાં જે રેમિટન્સ આવ્યું તેનો હિસ્સો જીડીપીના 3.2 ટકા જેટલો હતો. 2022-21માં ભારતમાં ઠલવાયેલું રેમિટન્સ જીડીપીના 2.75 ટકા હતું. ભારતની તિજોરીમાં રહેલું વિદેશી હૂંડિયામણ 603 અબજ ડૉલરની આસપાસ છે.

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .