શું સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સંભળાવશે મહત્વનો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-10-16 22:33:45

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 11 મેના રોજ સુનાવણી પૂર્ણ કરી અને સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગે લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ જટિલ કેસની દસ દિવસ સુધી સુનાવણી કરી હતી. 8 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસે સંકેત આપ્યો હતો કે બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો લખવાની પ્રક્રિયામાં છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશની સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ ભટ્ટ 20 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર શરૂઆતથી અંત સુધી ગે લગ્નને કાનૂની માન્યતાની માંગનો વિરોધ કરી રહી છે.


સરકારે સુપ્રીમમાં કર્યો છે વિરોધ 


કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમમાં તેનો જવાબ રજુ કરતા કહ્યું હતું કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાની વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાની 160 જોગવાઈઓમાં ફેરફાર કરીને પર્સનલ લોમાં પણ ફેરફાર કરવો પડશે. સુનાવણી દરમિયાન બેન્ચે એક વખત તો એમ પણ કહ્યું હતું કે કાયદાકીય માન્યતા વિના સરકાર આ લોકોને રાહત આપવા માટે શું કરી શકે? એટલે કે બેંક ખાતા, વારસો, વીમો, બાળક દત્તક વગેરે માટે સરકાર સંસદમાં શું કરી શકે? સરકારે એમ પણ કહ્યું હતું કે તે કેબિનેટ સચિવની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવીને સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે.


શું છે સમગ્ર મામલો?

 

દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ ગે યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે અધિકારીઓની પરવાનગી માંગી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને જોડીને તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે