શું સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સંભળાવશે મહત્વનો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-10-16 22:33:45

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 11 મેના રોજ સુનાવણી પૂર્ણ કરી અને સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગે લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ જટિલ કેસની દસ દિવસ સુધી સુનાવણી કરી હતી. 8 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસે સંકેત આપ્યો હતો કે બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો લખવાની પ્રક્રિયામાં છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશની સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ ભટ્ટ 20 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર શરૂઆતથી અંત સુધી ગે લગ્નને કાનૂની માન્યતાની માંગનો વિરોધ કરી રહી છે.


સરકારે સુપ્રીમમાં કર્યો છે વિરોધ 


કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમમાં તેનો જવાબ રજુ કરતા કહ્યું હતું કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાની વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાની 160 જોગવાઈઓમાં ફેરફાર કરીને પર્સનલ લોમાં પણ ફેરફાર કરવો પડશે. સુનાવણી દરમિયાન બેન્ચે એક વખત તો એમ પણ કહ્યું હતું કે કાયદાકીય માન્યતા વિના સરકાર આ લોકોને રાહત આપવા માટે શું કરી શકે? એટલે કે બેંક ખાતા, વારસો, વીમો, બાળક દત્તક વગેરે માટે સરકાર સંસદમાં શું કરી શકે? સરકારે એમ પણ કહ્યું હતું કે તે કેબિનેટ સચિવની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવીને સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે.


શું છે સમગ્ર મામલો?

 

દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ ગે યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે અધિકારીઓની પરવાનગી માંગી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને જોડીને તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .