શું સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સંભળાવશે મહત્વનો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-10-16 22:33:45

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 11 મેના રોજ સુનાવણી પૂર્ણ કરી અને સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગે લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ જટિલ કેસની દસ દિવસ સુધી સુનાવણી કરી હતી. 8 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસે સંકેત આપ્યો હતો કે બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો લખવાની પ્રક્રિયામાં છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશની સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ ભટ્ટ 20 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર શરૂઆતથી અંત સુધી ગે લગ્નને કાનૂની માન્યતાની માંગનો વિરોધ કરી રહી છે.


સરકારે સુપ્રીમમાં કર્યો છે વિરોધ 


કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમમાં તેનો જવાબ રજુ કરતા કહ્યું હતું કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાની વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાની 160 જોગવાઈઓમાં ફેરફાર કરીને પર્સનલ લોમાં પણ ફેરફાર કરવો પડશે. સુનાવણી દરમિયાન બેન્ચે એક વખત તો એમ પણ કહ્યું હતું કે કાયદાકીય માન્યતા વિના સરકાર આ લોકોને રાહત આપવા માટે શું કરી શકે? એટલે કે બેંક ખાતા, વારસો, વીમો, બાળક દત્તક વગેરે માટે સરકાર સંસદમાં શું કરી શકે? સરકારે એમ પણ કહ્યું હતું કે તે કેબિનેટ સચિવની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવીને સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે.


શું છે સમગ્ર મામલો?

 

દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ ગે યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે અધિકારીઓની પરવાનગી માંગી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને જોડીને તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.