Nano કેસમાં ટાટાની મોટી જીત, બંગાળની મમતા સરકારે ચૂકવવું પડશે 766 કરોડનું વળતર, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-10-31 15:13:10

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકીના એક ટાટા ગ્રુપને પશ્ચિમ બંગાળમાં મોટી જીત મળી છે.  ટાટા ગ્રુપને વર્ષો જુના જૂના સિંગુર જમીન વિવાદમાં મોટી સફળતા મળી છે. ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે. હવે મમતા બેનર્જીની સરકારે ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સને 766 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું હતું કે, મધ્યસ્થા પેનલે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી વ્યાજ સહિત રૂ. 766 કરોડની વસૂલાત કરવા માટેનો ચુકાદો આપ્યો છે. 


Nano પ્લાન્ટને લઈને વિવાદ થયો હતો


વર્ષ 2006માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત્યા બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ઝડપી ઔદ્યોગિકીકરણ પર કામ શરૂ કર્યું હતુ. તેમણે પગલું ભર્યું હતું કે જે રાજ્યની રાજનીતિ અને તેમની પાર્ટીની વિચારધારાથી એકદમ વિરુદ્ધ હતું. 18 મે 2006ના રોજ તેમણે હુગલી જિલ્લાના સિંગુર વિસ્તારમાં લગભગ 1000 એકર જમીન ટાટાને સોંપવાની જાહેરાત કરી હતી. ટાટાની લખટકિયા 'નેનો' કારની ફેક્ટરી અહીં સ્થાપવાની હતી.  સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જીની અગાઉની બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. આ પરવાનગી હેઠળ, રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ (રતન ટાટા) નેનોના ઉત્પાદન માટે બંગાળમાં આ જમીન પર ફેક્ટરી સ્થાપવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા અને આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી જ્યારે મમલા બેનર્જીની સરકાર બની, સત્તામાં આવતાની સાથે જ તેમણે ટાટા ગ્રુપને મોટો ઝટકો આપ્યો.


મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ સિંગુરની લગભગ 1000 એકર જમીન તે 13 હજાર ખેડૂતોને પરત કરવા માટે કાયદો ઘડવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે આ એ જ જમીન હતી જે ટાટા મોટર્સે પોતાનો નેનો પ્લાન્ટ લગાવવા માટે હસ્તગત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ ટાટા મોટર્સે તેનો નેનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં શિફ્ટ કરવો પડ્યો હતો.


ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આપ્યો ચુકાદો


ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં નેનો પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે રાજ્ય સરકારનમી ઉદ્યોગ, વાણિજ્ય અને એન્ટરપ્રાઇઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી WBIDC પાસેથી વળતર મેળવવા માટે દાવો રજૂ કર્યો હતો, સોમવારે ટાટા મોટર્સને આ મામલે મોટી જીત મળી હતી. આ નિર્ણય વિશે માહિતી આપતાં, ટાટા મોટર્સ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ કેસમાં, હવે ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી  રૂ. 765.78 કરોડની રકમ વસૂલવા માટે હકદાર છે. આ કેસમાં મમતા બેનરજી સરકારે 1લી સપ્ટેમ્બર 2016 થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11%ના દરે વ્યાજ પણ ચુકવવાનું રહેશે.


આ પ્રોજેક્ટની જાહેરાત 2006માં કરવામાં આવી હતી. રતન ટાટાના આ ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત ટાટા ગ્રુપ દ્વારા 18 મે 2006ના રોજ કરવામાં આવી હતી. તે સમયે રતન ટાટા ગ્રુપના ચેરમેન હતા. થોડા મહિના પછી, પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનને લઈને હોબાળો શરૂ થયો. મે 2006માં, ખેડૂતોએ ટાટા ગ્રૂપ પર બળજબરીથી જમીન સંપાદન કરવાનો આરોપ લગાવીને જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારે ખેડૂતોની સાથે મમતા બેનર્જી પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરતા મમતા બેનર્જી  તે સમયે ભૂખ હડતાળ પર પણ ઉતરી ગયા હતા.


વિરોધ બાદ Nano પ્લાન્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો


TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સ્થાનિક ખેડૂતોના ઉગ્ર વિરોધને કારણે, 3 ઓક્ટોબર, 2008ના રોજ, ટાટા જૂથના તત્કાલિન અધ્યક્ષ રતન ટાટાએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટને બહાર કાઢવાની જાહેરાત કરી. જો કે, રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને ખસેડવા માટે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના ચાલી રહેલા આંદોલનને સીધું જ જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી Nano પ્લાન્ટને  ગુજરાતના સાણંદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.