Nano કેસમાં ટાટાની મોટી જીત, બંગાળની મમતા સરકારે ચૂકવવું પડશે 766 કરોડનું વળતર, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-10-31 15:13:10

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકીના એક ટાટા ગ્રુપને પશ્ચિમ બંગાળમાં મોટી જીત મળી છે.  ટાટા ગ્રુપને વર્ષો જુના જૂના સિંગુર જમીન વિવાદમાં મોટી સફળતા મળી છે. ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે. હવે મમતા બેનર્જીની સરકારે ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સને 766 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું હતું કે, મધ્યસ્થા પેનલે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી વ્યાજ સહિત રૂ. 766 કરોડની વસૂલાત કરવા માટેનો ચુકાદો આપ્યો છે. 


Nano પ્લાન્ટને લઈને વિવાદ થયો હતો


વર્ષ 2006માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત્યા બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ઝડપી ઔદ્યોગિકીકરણ પર કામ શરૂ કર્યું હતુ. તેમણે પગલું ભર્યું હતું કે જે રાજ્યની રાજનીતિ અને તેમની પાર્ટીની વિચારધારાથી એકદમ વિરુદ્ધ હતું. 18 મે 2006ના રોજ તેમણે હુગલી જિલ્લાના સિંગુર વિસ્તારમાં લગભગ 1000 એકર જમીન ટાટાને સોંપવાની જાહેરાત કરી હતી. ટાટાની લખટકિયા 'નેનો' કારની ફેક્ટરી અહીં સ્થાપવાની હતી.  સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જીની અગાઉની બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. આ પરવાનગી હેઠળ, રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ (રતન ટાટા) નેનોના ઉત્પાદન માટે બંગાળમાં આ જમીન પર ફેક્ટરી સ્થાપવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા અને આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી જ્યારે મમલા બેનર્જીની સરકાર બની, સત્તામાં આવતાની સાથે જ તેમણે ટાટા ગ્રુપને મોટો ઝટકો આપ્યો.


મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ સિંગુરની લગભગ 1000 એકર જમીન તે 13 હજાર ખેડૂતોને પરત કરવા માટે કાયદો ઘડવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે આ એ જ જમીન હતી જે ટાટા મોટર્સે પોતાનો નેનો પ્લાન્ટ લગાવવા માટે હસ્તગત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ ટાટા મોટર્સે તેનો નેનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં શિફ્ટ કરવો પડ્યો હતો.


ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આપ્યો ચુકાદો


ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં નેનો પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે રાજ્ય સરકારનમી ઉદ્યોગ, વાણિજ્ય અને એન્ટરપ્રાઇઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી WBIDC પાસેથી વળતર મેળવવા માટે દાવો રજૂ કર્યો હતો, સોમવારે ટાટા મોટર્સને આ મામલે મોટી જીત મળી હતી. આ નિર્ણય વિશે માહિતી આપતાં, ટાટા મોટર્સ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ કેસમાં, હવે ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી  રૂ. 765.78 કરોડની રકમ વસૂલવા માટે હકદાર છે. આ કેસમાં મમતા બેનરજી સરકારે 1લી સપ્ટેમ્બર 2016 થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11%ના દરે વ્યાજ પણ ચુકવવાનું રહેશે.


આ પ્રોજેક્ટની જાહેરાત 2006માં કરવામાં આવી હતી. રતન ટાટાના આ ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત ટાટા ગ્રુપ દ્વારા 18 મે 2006ના રોજ કરવામાં આવી હતી. તે સમયે રતન ટાટા ગ્રુપના ચેરમેન હતા. થોડા મહિના પછી, પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનને લઈને હોબાળો શરૂ થયો. મે 2006માં, ખેડૂતોએ ટાટા ગ્રૂપ પર બળજબરીથી જમીન સંપાદન કરવાનો આરોપ લગાવીને જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારે ખેડૂતોની સાથે મમતા બેનર્જી પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરતા મમતા બેનર્જી  તે સમયે ભૂખ હડતાળ પર પણ ઉતરી ગયા હતા.


વિરોધ બાદ Nano પ્લાન્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો


TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સ્થાનિક ખેડૂતોના ઉગ્ર વિરોધને કારણે, 3 ઓક્ટોબર, 2008ના રોજ, ટાટા જૂથના તત્કાલિન અધ્યક્ષ રતન ટાટાએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટને બહાર કાઢવાની જાહેરાત કરી. જો કે, રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને ખસેડવા માટે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના ચાલી રહેલા આંદોલનને સીધું જ જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી Nano પ્લાન્ટને  ગુજરાતના સાણંદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .