અમે કોઈ પણ બાળકને મારી ન શકીએ, અજન્મા બાળક અને માતાના અધિકારો વચ્ચે સંતુલન જરૂરીઃ સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 17:45:57

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજી પર ગુરુવારે ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ અરજીકર્તા મહિલાના વકીલને પૂછ્યું કે 26 અઠવાડિયાની રાહ જોયા પછી, શું તે વધુ થોડા દિવસો રાહ જોઈ શકે નહીં. બેન્ચે કહ્યું- આપણે માતાના અધિકારો સાથે અજાન્મા બાળકના અધિકારોને સંતુલિત કરવાની જરૂર છે. તે જીવંત ગર્ભ છે. શું તમે ઈચ્છો છો કે અમે AIIMSના ડૉક્ટરોને તેનું હૃદય રોકવા માટે કહીએ, અમે એવું ન કરી શકીએ. અમે કોઈ પણ બાળકને મારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ASG ઐશ્વર્યા ભાટી અને મહિલાના વકીલને આ અંગે અરજી કરનાર મહિલા સાથે વાત કરવા કહ્યું હતું. આ મામલામાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.


ગર્ભાવસ્થા જાળવી રાખવાની સુચના

 

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ હેઠળ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની ઉપલી મર્યાદા પરિણીત મહિલાઓ અને બળાત્કારનો ભોગ બનેલી અને અપંગ અને સગીર સહિતની વિશેષ શ્રેણીઓ માટે 24 અઠવાડિયા છે. બેન્ચે કેન્દ્ર અને મહિલાના વકીલને તેની (અરજીકર્તા) સાથે થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની શક્યતા વિશે વાત કરવા જણાવ્યું હતું.


અરજદારના વકીલને ફટકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું કામ અધિકારો અને ફરજો અને સામાજિક ભલાઈ વચ્ચે સંતુલન જાળવવાનું છે. અગાઉ, અરજદારના વકીલે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી અને પૂછ્યું હતું કે જો કોઈ અપરિણીત ગર્ભવતી મહિલા કોર્ટનો સંપર્ક કરતી હોત તો શું કોર્ટે આ જ વલણ અપનાવ્યું હોત. બેન્ચે કહ્યું, "અમે સુપ્રીમ કોર્ટ છીએ." કહ્યું, "આ આ કોઈ સગીર પીડિતાનો કેસ નથી કે જે ગર્ભવતી થઈ હોય અને ન તો તે કોઈ સ્ત્રીનો કેસ છે જે જાતીય હિંસા અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી હોય. તે (અરજીકર્તા) પરિણીત મહિલા છે. તેને બે બાળકો છે. અલબત્ત, અમે તમને જે પ્રાથમિક પ્રશ્ન પૂછવા માગીએ છીએ તે છે, તે 26 અઠવાડિયા સુધી શું કરી રહી હતી? તે અગાઉ બે વખત ગર્ભવતી રહી હતી. તે ગર્ભાવસ્થાના પરિણામો જાણે છે."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.