અમે કોઈ પણ બાળકને મારી ન શકીએ, અજન્મા બાળક અને માતાના અધિકારો વચ્ચે સંતુલન જરૂરીઃ સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 17:45:57

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજી પર ગુરુવારે ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ અરજીકર્તા મહિલાના વકીલને પૂછ્યું કે 26 અઠવાડિયાની રાહ જોયા પછી, શું તે વધુ થોડા દિવસો રાહ જોઈ શકે નહીં. બેન્ચે કહ્યું- આપણે માતાના અધિકારો સાથે અજાન્મા બાળકના અધિકારોને સંતુલિત કરવાની જરૂર છે. તે જીવંત ગર્ભ છે. શું તમે ઈચ્છો છો કે અમે AIIMSના ડૉક્ટરોને તેનું હૃદય રોકવા માટે કહીએ, અમે એવું ન કરી શકીએ. અમે કોઈ પણ બાળકને મારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ASG ઐશ્વર્યા ભાટી અને મહિલાના વકીલને આ અંગે અરજી કરનાર મહિલા સાથે વાત કરવા કહ્યું હતું. આ મામલામાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.


ગર્ભાવસ્થા જાળવી રાખવાની સુચના

 

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ હેઠળ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની ઉપલી મર્યાદા પરિણીત મહિલાઓ અને બળાત્કારનો ભોગ બનેલી અને અપંગ અને સગીર સહિતની વિશેષ શ્રેણીઓ માટે 24 અઠવાડિયા છે. બેન્ચે કેન્દ્ર અને મહિલાના વકીલને તેની (અરજીકર્તા) સાથે થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની શક્યતા વિશે વાત કરવા જણાવ્યું હતું.


અરજદારના વકીલને ફટકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું કામ અધિકારો અને ફરજો અને સામાજિક ભલાઈ વચ્ચે સંતુલન જાળવવાનું છે. અગાઉ, અરજદારના વકીલે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી અને પૂછ્યું હતું કે જો કોઈ અપરિણીત ગર્ભવતી મહિલા કોર્ટનો સંપર્ક કરતી હોત તો શું કોર્ટે આ જ વલણ અપનાવ્યું હોત. બેન્ચે કહ્યું, "અમે સુપ્રીમ કોર્ટ છીએ." કહ્યું, "આ આ કોઈ સગીર પીડિતાનો કેસ નથી કે જે ગર્ભવતી થઈ હોય અને ન તો તે કોઈ સ્ત્રીનો કેસ છે જે જાતીય હિંસા અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી હોય. તે (અરજીકર્તા) પરિણીત મહિલા છે. તેને બે બાળકો છે. અલબત્ત, અમે તમને જે પ્રાથમિક પ્રશ્ન પૂછવા માગીએ છીએ તે છે, તે 26 અઠવાડિયા સુધી શું કરી રહી હતી? તે અગાઉ બે વખત ગર્ભવતી રહી હતી. તે ગર્ભાવસ્થાના પરિણામો જાણે છે."



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .