અમે કોઈ પણ બાળકને મારી ન શકીએ, અજન્મા બાળક અને માતાના અધિકારો વચ્ચે સંતુલન જરૂરીઃ સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 17:45:57

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજી પર ગુરુવારે ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ અરજીકર્તા મહિલાના વકીલને પૂછ્યું કે 26 અઠવાડિયાની રાહ જોયા પછી, શું તે વધુ થોડા દિવસો રાહ જોઈ શકે નહીં. બેન્ચે કહ્યું- આપણે માતાના અધિકારો સાથે અજાન્મા બાળકના અધિકારોને સંતુલિત કરવાની જરૂર છે. તે જીવંત ગર્ભ છે. શું તમે ઈચ્છો છો કે અમે AIIMSના ડૉક્ટરોને તેનું હૃદય રોકવા માટે કહીએ, અમે એવું ન કરી શકીએ. અમે કોઈ પણ બાળકને મારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ASG ઐશ્વર્યા ભાટી અને મહિલાના વકીલને આ અંગે અરજી કરનાર મહિલા સાથે વાત કરવા કહ્યું હતું. આ મામલામાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.


ગર્ભાવસ્થા જાળવી રાખવાની સુચના

 

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ હેઠળ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની ઉપલી મર્યાદા પરિણીત મહિલાઓ અને બળાત્કારનો ભોગ બનેલી અને અપંગ અને સગીર સહિતની વિશેષ શ્રેણીઓ માટે 24 અઠવાડિયા છે. બેન્ચે કેન્દ્ર અને મહિલાના વકીલને તેની (અરજીકર્તા) સાથે થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની શક્યતા વિશે વાત કરવા જણાવ્યું હતું.


અરજદારના વકીલને ફટકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું કામ અધિકારો અને ફરજો અને સામાજિક ભલાઈ વચ્ચે સંતુલન જાળવવાનું છે. અગાઉ, અરજદારના વકીલે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી અને પૂછ્યું હતું કે જો કોઈ અપરિણીત ગર્ભવતી મહિલા કોર્ટનો સંપર્ક કરતી હોત તો શું કોર્ટે આ જ વલણ અપનાવ્યું હોત. બેન્ચે કહ્યું, "અમે સુપ્રીમ કોર્ટ છીએ." કહ્યું, "આ આ કોઈ સગીર પીડિતાનો કેસ નથી કે જે ગર્ભવતી થઈ હોય અને ન તો તે કોઈ સ્ત્રીનો કેસ છે જે જાતીય હિંસા અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી હોય. તે (અરજીકર્તા) પરિણીત મહિલા છે. તેને બે બાળકો છે. અલબત્ત, અમે તમને જે પ્રાથમિક પ્રશ્ન પૂછવા માગીએ છીએ તે છે, તે 26 અઠવાડિયા સુધી શું કરી રહી હતી? તે અગાઉ બે વખત ગર્ભવતી રહી હતી. તે ગર્ભાવસ્થાના પરિણામો જાણે છે."



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે