પ્રોસ્ટિટ્યૂટ,અફેર, હાઉસવાઈફ... સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ હવે કોર્ટમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે હેન્ડબુક લોન્ચ કરી


  • Published By :
  • Published Date : 2023-08-17 22:30:07

જાહેરમાં ખચકાયા વિના બોલાતા કેટલાક શબ્દો જેવા કે છેડછાડ, હાઉસવાઈફ, લગ્ન ઉંમરલાયક, અનવેડ મધર, પ્રોસટિટ્યુટ જેવા શબ્દોનો ઉપયોગ હવે કોર્ટરૂમમાં નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા આવા શબ્દોની એક યાદી પ્રકાશિત કરવામાં આવી છે, એટલે હવે અદાલતમાં હવેથી આ શબ્દો સાંભળવા નહીં મળે. જો કે આ શબ્દોના બદલે કયા શબ્દો વાપરવા તેવું કોઇક વિચારે છે તો તેની હેન્ડબુક પણ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. બીજા કયા શબ્દોનાં પ્રયોગ પર રોક લગાવી તે અંગે આવો જાણીએ.


ચીફ જસ્ટીસ આપી સુચના


ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કોર્ટના ચુકાદા અને અદાલતી કાર્યવાહીમાં જુના જાતિ વિષયક શબ્દો, વાક્યોને દૂર કરવા હેન્ડબુક પ્રકાશિત કરી. જેમાં chaste women(બદચલન સ્ત્રી) સ્લટ, સેડ્યુસ્ટ્રેસ, મિસ્ટ્રેસ, હારલટ સ્ત્રી જ કહેવાશે, અફેર કહેવાશે- લગ્ન સિવાયના સંબંધ, ડ્યુટી ફુલ વાઈફ, ગુડ વાઈફ, ફેથફુલ વાઈફ, – ફક્ત વાઈફ, બ્રેડવિનર એમપ્લોઈડ બોલાશે.


ચીફ જસ્ટિસે શું કહ્યું?


ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે આ હેન્ડબુકનો હેતુ " ન્યાયાધીશો અને વકીલોને  મહિલાઓ વિશેના સ્ટીરિયોટાઇપ્સને ઓળખવા, સમજવા અને તેને દૂર કરવામાં મદદ કરવાનો છે. જેનો ઉપયોગ દલીલોમાં તેમજ ઓર્ડર અને ચુકાદાઓનો મુસદ્દો તૈયાર કરતી વખતે થાય છે. આ હેન્ડબુકનો ઈરાદો ટીકા કરવાનો કે ચુકાદાઓ પર શંકા કરવાનો નથી, પરંતુ સ્ટીરિયોટાઈપ્સ શબ્દોના ઉપયોગ સામે જાગરૂકતા વધારવાનો છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ." તમે આ યાદી જોશો તેમાં મોટા ભાગના શબ્દો સ્ત્રીઓની આજુબાજુ જ વપરાયેલા છે. જે બતાવે છે કે આપણી આમ બોલચાલ સાથે ન્યાયિક દલીલોમાં પણ આપણે કેવા શબ્દોનો ઊપયોગ કરીએ છીએ?


જાતિય સમાનતા લાવવા ફેરફાર  


સુપ્રિમકોર્ટ દ્વારા જેન્ડર ઈક્વાલીટીમાં જાતિય સમાનતા લાવવા મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે જેની શરૂઆત માર્ચ મહિનાથી જ ચાલુ થઇ ગયી હતી. D.Y. ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયાધીશ જે ભાષા વાપરે છે તે માત્ર કાયદાનું અર્થઘટન નહીં, પરંતુ સમાજની ધારણાનું પણ પ્રતિબિંબિ છે. આવા શબ્દોનો ઉપયોગ કેમ થતો હતો તે કોઈ સમાજશાસ્ત્રી કે ભાષાવિદ્દ સાથે આપણા માટે પણ સંશોધનનો વિષય છે. બીજા કયા શબ્દો ન વાપરવા તેની handbook સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.