પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ આતંકી ઘટના ઓછી થઈઃ UNમાં ભારત


  • Published By :
  • Published Date : 2022-10-29 14:10:13

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં  જણાવ્યું હતું કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓ બંધ થઈ ગયા છે. સંયુક્ત સચિવ સફી રીઝવીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિએ આ અંતરની તપાસ કરવી જોઈએ. યુએનએસસીમાં રીઝવીએ જણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનનું નામ નહોતું લીધું. 


કાશ્મીર પર ટારગેટ હુમલા ઓછા થઈ રહ્યા છેઃ ભારત 

પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર થશે તો આતંકી ઘટનાઓ વધવાની પ્રબળ શક્યતાઓ છે. રિઝવીએ જણાવ્યું હતું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં હાર્ડ ટારગેટ સરકારી કાર્યાલયો, સેના અને પોલીસની શિબિરોને ટારગેટ કરીને હુમલાઓ કરવામાં આવતા હતા. 2015માં પાંચ, 2016માં 15 હુમલાઓ થયા હતા. 2017થી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં માત્ર 3 જ હુમલાઓ થયા હતા. 


કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ઘટ્યા

અધિકારીએ જણાવ્યું હતું કે 2019માં પુલવામામાં બહુ જ મોટો હુમલો થયો હતો. ત્યાર બાદ 2020માં કોઈ પણ મોટો હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં નહોતો આવ્યો. આ ઘટાડો 2018થી 2021 સુધી એટલા માટે થયો કારણ કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.