પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ આતંકી ઘટના ઓછી થઈઃ UNમાં ભારત


  • Published By :
  • Published Date : 2022-10-29 14:10:13

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં  જણાવ્યું હતું કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓ બંધ થઈ ગયા છે. સંયુક્ત સચિવ સફી રીઝવીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિએ આ અંતરની તપાસ કરવી જોઈએ. યુએનએસસીમાં રીઝવીએ જણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનનું નામ નહોતું લીધું. 


કાશ્મીર પર ટારગેટ હુમલા ઓછા થઈ રહ્યા છેઃ ભારત 

પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર થશે તો આતંકી ઘટનાઓ વધવાની પ્રબળ શક્યતાઓ છે. રિઝવીએ જણાવ્યું હતું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં હાર્ડ ટારગેટ સરકારી કાર્યાલયો, સેના અને પોલીસની શિબિરોને ટારગેટ કરીને હુમલાઓ કરવામાં આવતા હતા. 2015માં પાંચ, 2016માં 15 હુમલાઓ થયા હતા. 2017થી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં માત્ર 3 જ હુમલાઓ થયા હતા. 


કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ઘટ્યા

અધિકારીએ જણાવ્યું હતું કે 2019માં પુલવામામાં બહુ જ મોટો હુમલો થયો હતો. ત્યાર બાદ 2020માં કોઈ પણ મોટો હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં નહોતો આવ્યો. આ ઘટાડો 2018થી 2021 સુધી એટલા માટે થયો કારણ કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.