પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ આતંકી ઘટના ઓછી થઈઃ UNમાં ભારત


  • Published By :
  • Published Date : 2022-10-29 14:10:13

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં  જણાવ્યું હતું કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓ બંધ થઈ ગયા છે. સંયુક્ત સચિવ સફી રીઝવીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિએ આ અંતરની તપાસ કરવી જોઈએ. યુએનએસસીમાં રીઝવીએ જણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનનું નામ નહોતું લીધું. 


કાશ્મીર પર ટારગેટ હુમલા ઓછા થઈ રહ્યા છેઃ ભારત 

પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર થશે તો આતંકી ઘટનાઓ વધવાની પ્રબળ શક્યતાઓ છે. રિઝવીએ જણાવ્યું હતું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં હાર્ડ ટારગેટ સરકારી કાર્યાલયો, સેના અને પોલીસની શિબિરોને ટારગેટ કરીને હુમલાઓ કરવામાં આવતા હતા. 2015માં પાંચ, 2016માં 15 હુમલાઓ થયા હતા. 2017થી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં માત્ર 3 જ હુમલાઓ થયા હતા. 


કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ઘટ્યા

અધિકારીએ જણાવ્યું હતું કે 2019માં પુલવામામાં બહુ જ મોટો હુમલો થયો હતો. ત્યાર બાદ 2020માં કોઈ પણ મોટો હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં નહોતો આવ્યો. આ ઘટાડો 2018થી 2021 સુધી એટલા માટે થયો કારણ કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.