Same Sex Marriageને લઈ Supreme Courtએ આપ્યો ચૂકાદો, જાણો સંસદને લઈ શું કહી વાત?


  • Published By :
  • Published Date : 2023-10-17 13:06:53

આજે સુપ્રીમ કોર્ટમાં same sex marraigeને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે તેવી માગ કરતી યાચિકા પર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો.

https://x.com/ANI/status/1714179176247545999?s=20

10 દિવસ સુધી ચાલી હતી સુનાવણી 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટને નાબૂદ કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી સંસદનું કામ છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી. જોકે, CJIએ કહ્યું કે સમલૈંગિક લોકોને લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ, જે અન્ય વિજાતીય લોકોને મળે છે. બાંધરણીય બેંચે 18 એપ્રિલે આ કેસની સુનાવણી શરૂ કરી હતી અને લગભગ 10 દિવસ સુધી આની સુનાવણી ચાલી હતી. ત્યારે આ કેસને લઈ આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.  

સમલૈંગિક

શું કહ્યું CJIએ? 

વાસ્તવમાં, 3 મેના રોજ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ક્વિર સમુદાય સાથે સંબંધિત સમસ્યાઓ પર કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. કેન્દ્ર વતી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ત્યારે કહ્યું હતું કે સમલૈંગિક યુગલોને સામાજિક લાભો આપવા અંગે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સરકાર સકારાત્મક વિચાર ધરાવે છે. પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે તેઓ ધાર્મિક પર્સનલ લૉ છે તેમાં ફેરફાર કરવા નથી માગતા, પરંતુ આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નો માટેનો સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ છે, તેનું વિશેષ રીતે અર્થઘટન કરીને LGBTQ+ સમુદાયના લોકોના લગ્નને કાયદેસર કરી શકે છે કે કેમ તે જોશે.

સરકારે સુપ્રીમ કોર્ટની એફિડેવિટમાં શું કહ્યું? 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સરકારે 56 પાનાનું એફિડેવિટ પણ દાખલ કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ગે લગ્નને મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રએ કહ્યું કે સમલૈંગિક લગ્ન ભારતીય પરિવારના ખ્યાલની વિરુદ્ધ છે. ભારતીય પરિવારની વિભાવનામાં પતિ, પત્ની અને તેમનાથી જન્મેલા બાળકોનો સમાવેશ થાય છે. કેન્દ્રના મતે, લગ્નની વિભાવનાએ શરૂઆતથી જ વિજાતીય બે વ્યક્તિઓના જોડાણને ધ્યાનમાં લીધું છે. આ વ્યાખ્યા સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે લગ્નના વિચાર અને ખ્યાલમાં સમાવિષ્ટ છે. આમાં કોઈ છેડછાડ ન થવી જોઈએ.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

આ દેશોએ આપી છે સમલૈંગિક લગ્નને માન્યતા

ભારતમાં જ્યારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની વાતો થઈ રહી છે ત્યારે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આવા લગ્નોને માન્યતા આપવામાં આવી ગઈ છે. 35 દેશો જેમણે સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી છે તે દેશોની વાત કરીએ તો ક્યુબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઑસ્ટ્રિયા, ઑસ્ટ્રેલિયા, તાઇવાન, એક્વાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ અનેક દેશો એવા પણ છે જ્યાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.