Same Sex Marriageને લઈ Supreme Courtએ આપ્યો ચૂકાદો, જાણો સંસદને લઈ શું કહી વાત?


  • Published By :
  • Published Date : 2023-10-17 13:06:53

આજે સુપ્રીમ કોર્ટમાં same sex marraigeને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે તેવી માગ કરતી યાચિકા પર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો.

https://x.com/ANI/status/1714179176247545999?s=20

10 દિવસ સુધી ચાલી હતી સુનાવણી 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટને નાબૂદ કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી સંસદનું કામ છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી. જોકે, CJIએ કહ્યું કે સમલૈંગિક લોકોને લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ, જે અન્ય વિજાતીય લોકોને મળે છે. બાંધરણીય બેંચે 18 એપ્રિલે આ કેસની સુનાવણી શરૂ કરી હતી અને લગભગ 10 દિવસ સુધી આની સુનાવણી ચાલી હતી. ત્યારે આ કેસને લઈ આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.  

સમલૈંગિક

શું કહ્યું CJIએ? 

વાસ્તવમાં, 3 મેના રોજ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ક્વિર સમુદાય સાથે સંબંધિત સમસ્યાઓ પર કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. કેન્દ્ર વતી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ત્યારે કહ્યું હતું કે સમલૈંગિક યુગલોને સામાજિક લાભો આપવા અંગે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સરકાર સકારાત્મક વિચાર ધરાવે છે. પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે તેઓ ધાર્મિક પર્સનલ લૉ છે તેમાં ફેરફાર કરવા નથી માગતા, પરંતુ આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નો માટેનો સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ છે, તેનું વિશેષ રીતે અર્થઘટન કરીને LGBTQ+ સમુદાયના લોકોના લગ્નને કાયદેસર કરી શકે છે કે કેમ તે જોશે.

સરકારે સુપ્રીમ કોર્ટની એફિડેવિટમાં શું કહ્યું? 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સરકારે 56 પાનાનું એફિડેવિટ પણ દાખલ કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ગે લગ્નને મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રએ કહ્યું કે સમલૈંગિક લગ્ન ભારતીય પરિવારના ખ્યાલની વિરુદ્ધ છે. ભારતીય પરિવારની વિભાવનામાં પતિ, પત્ની અને તેમનાથી જન્મેલા બાળકોનો સમાવેશ થાય છે. કેન્દ્રના મતે, લગ્નની વિભાવનાએ શરૂઆતથી જ વિજાતીય બે વ્યક્તિઓના જોડાણને ધ્યાનમાં લીધું છે. આ વ્યાખ્યા સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે લગ્નના વિચાર અને ખ્યાલમાં સમાવિષ્ટ છે. આમાં કોઈ છેડછાડ ન થવી જોઈએ.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

આ દેશોએ આપી છે સમલૈંગિક લગ્નને માન્યતા

ભારતમાં જ્યારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની વાતો થઈ રહી છે ત્યારે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આવા લગ્નોને માન્યતા આપવામાં આવી ગઈ છે. 35 દેશો જેમણે સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી છે તે દેશોની વાત કરીએ તો ક્યુબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઑસ્ટ્રિયા, ઑસ્ટ્રેલિયા, તાઇવાન, એક્વાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ અનેક દેશો એવા પણ છે જ્યાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.