“બેરોજગારીના આ આંકડા ચિંતાજનક” Jairam Rameshના સરકાર પર પ્રહાર, જાણો દેશમાં કેટલા ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે?


  • Published By :
  • Published Date : 2023-09-29 15:08:09

બેરોજગારી... બેરોજગારી.... બેરોજગારી.... આજના યુવાનો સૌથી વધારે આ વિષય પર બોલતા સંભળાય છે. ભણવાનું પતી ગયું હોય પરંતુ યુવાનો પાસે જોબ નથી હોતી. ડિગ્રી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરી શકે તે માટે નોકરી નથી હોતી. બેરોજગારી ભારતનો સૌથી મોટો પ્રશ્ન  છે. આજે ચર્ચા પણ આ મુદ્દે કરવી છે કારણ કે આ મુદ્દો અતિ આવશ્યક છે. કારણ કે બેરોજગારીએ દેશની પેઢીના નિર્માણ માટોનો મુદ્દો છે. . જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકાનો ઘટાડો!

સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ એ થશે કે આ ખૂબ ગંભીર છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના 42 ટકા ગ્રેજન્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8 હજાર ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની 92 જગ્યા માટે આવેદન કર્યું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં એમએસસી અને એમટેકવાળા પણ લોકો શામેલ છે. 



પીએમ મોદી પર જયરામ રમેશના આક્ષેપ

જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લાર્કના 4 હજાર 600 પદો માટે 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને આમાં ફોર્મ ભરવાવાળા એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર પણ શામેલ છે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં અપાવવોએ નરેન્દ્ર મોદી સરકારની ઘોર નિષ્ફળતા છે. ઈપીએફઓના 2021-22ના આંકડાઓથી ખબર પડી કે જે લોકો રોજનું કમાવીને રોજનું ખાય છે તેમાં 2019-20ના આંકડા મુજબ હાલ 5.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. 



મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં આવ્યો 30 ટકાનો ઘટાડો

આ તો ઈપીએફઓના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમાના આંકડાની વાત કરીએ. તેના મુજબ 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યિફિક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળી રહ્યો. ટુંકમાં બહુ આંકડામાં ન પડતા સમજીએ તો બેરોજગારી વધી છે. 


સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે! 

જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજનાઓ લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે અને રજૂ કરે છે. પણ ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે ટાંકેલા આંકડાઓ મુજબ દેશના 33 ટકા યુવાઓ પાસે ન તો નોકરી છે ન તો શૈક્ષણિક પાઠ્યક્રમ લઈ રહ્યા છે. 




બેરોજગારીએ દેશનો સૌથી મોટો પ્રશ્ન! 

મહત્વનું છે કે બેરોજગારી એક ગંભીર વિષય બની ગયો છે. સારી નોકરી મળે તે માટે વિદ્યાર્થીઓ ભણવા પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ ડિગ્રી પછી પણ તેમને નોકરી નથી મળતી તે ચિંતાનો વિષય છે. આપણા ધ્યાનમાં પણ એવા અનેક લોકો આવ્યા હશે, આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે નોકરીની શોધમાં હશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.