“બેરોજગારીના આ આંકડા ચિંતાજનક” Jairam Rameshના સરકાર પર પ્રહાર, જાણો દેશમાં કેટલા ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે?


  • Published By :
  • Published Date : 2023-09-29 15:08:09

બેરોજગારી... બેરોજગારી.... બેરોજગારી.... આજના યુવાનો સૌથી વધારે આ વિષય પર બોલતા સંભળાય છે. ભણવાનું પતી ગયું હોય પરંતુ યુવાનો પાસે જોબ નથી હોતી. ડિગ્રી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરી શકે તે માટે નોકરી નથી હોતી. બેરોજગારી ભારતનો સૌથી મોટો પ્રશ્ન  છે. આજે ચર્ચા પણ આ મુદ્દે કરવી છે કારણ કે આ મુદ્દો અતિ આવશ્યક છે. કારણ કે બેરોજગારીએ દેશની પેઢીના નિર્માણ માટોનો મુદ્દો છે. . જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકાનો ઘટાડો!

સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ એ થશે કે આ ખૂબ ગંભીર છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના 42 ટકા ગ્રેજન્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8 હજાર ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની 92 જગ્યા માટે આવેદન કર્યું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં એમએસસી અને એમટેકવાળા પણ લોકો શામેલ છે. 



પીએમ મોદી પર જયરામ રમેશના આક્ષેપ

જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લાર્કના 4 હજાર 600 પદો માટે 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને આમાં ફોર્મ ભરવાવાળા એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર પણ શામેલ છે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં અપાવવોએ નરેન્દ્ર મોદી સરકારની ઘોર નિષ્ફળતા છે. ઈપીએફઓના 2021-22ના આંકડાઓથી ખબર પડી કે જે લોકો રોજનું કમાવીને રોજનું ખાય છે તેમાં 2019-20ના આંકડા મુજબ હાલ 5.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. 



મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં આવ્યો 30 ટકાનો ઘટાડો

આ તો ઈપીએફઓના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમાના આંકડાની વાત કરીએ. તેના મુજબ 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યિફિક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળી રહ્યો. ટુંકમાં બહુ આંકડામાં ન પડતા સમજીએ તો બેરોજગારી વધી છે. 


સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે! 

જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજનાઓ લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે અને રજૂ કરે છે. પણ ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે ટાંકેલા આંકડાઓ મુજબ દેશના 33 ટકા યુવાઓ પાસે ન તો નોકરી છે ન તો શૈક્ષણિક પાઠ્યક્રમ લઈ રહ્યા છે. 




બેરોજગારીએ દેશનો સૌથી મોટો પ્રશ્ન! 

મહત્વનું છે કે બેરોજગારી એક ગંભીર વિષય બની ગયો છે. સારી નોકરી મળે તે માટે વિદ્યાર્થીઓ ભણવા પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ ડિગ્રી પછી પણ તેમને નોકરી નથી મળતી તે ચિંતાનો વિષય છે. આપણા ધ્યાનમાં પણ એવા અનેક લોકો આવ્યા હશે, આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે નોકરીની શોધમાં હશે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.