ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માત, કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાતા 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 179થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-02 22:02:48

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઘાયલોને શોધવાની અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એમડીએ જણાવ્યું છે કે 47 ઘાયલ મુસાફરોને બાલાસોરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતને લઈને ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જારી કર્યો છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 179થી વધુ લોકો ઘાયલ થયા છે.


પેસેન્જર ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા


મીડિયા રિપોર્ટ મુજબ કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન સાંજે 6.32 કલાકે બાલેશ્વરથી નીકળી હતી. પરંતુ આજે સાંજે બાલાસોરના બહાનાગા વિસ્તારમાં કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ઓછામાં ઓછા 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના બાદ અનેક મુસાફરોને ઈજા થવાની આશંકા છે. સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને રેલવે દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.


15 એમ્બ્યુલન્સ પહોંચી દુર્ઘટના સ્થળે


એડિશનલ DMETએ જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને સોરો CHCમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાંક ઘાયલોને વધુ સારવાર માટે રિફર પણ કરવામાં આવી રહ્યાં છે.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


બંને ટ્રેનો વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેકમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.