Uttarkashi Tunnel Rescue : કામદારોથી માત્ર પાંચ મીટર દૂર રેસ્ક્યુ ટીમ! ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે


  • Published By :
  • Published Date : 2023-11-28 11:02:07

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 16 દિવસથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા, અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી શ્રમિકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટનલની સામે ડ્રિલીંગ મશીન ફેલ થઈ રહ્યા છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. રેસ્ક્યુની કામગીરી માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી છે અને કેવી પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી છે. 


41 શ્રમિકોના જીવને બચાવવા કરાઈ રહી છે મહેનત 

દિવાળી પહેલા ઉત્તરકાશીમાં એક ઘટના બની હતી જેમાં 41 શ્રમિકોના જીવ પર સંકટ તોળાયેલું હતું. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે 41 શ્રમિકો નીચે દબાયા હતા. 16 દિવસ જેટલો સમય વીતિ ગયો છે રેસ્ક્યુની કામગીરી શરૂ કરે પરંતુ હજી સુધી સફળતા નથી મળી. અલગ અલગ રીતનો ઉપયોગ કરી શ્રમિકોના જીવને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પહેલા ડ્રિલિંગ મશીનની મદદ લેવામાં આવી રહી હતી પરંતુ અનેક વખત ડ્રિલીંગ મશીન બંધ પડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ જતી હતી.

કેટલે પહોંચી રેસ્ક્યુની કામગીરી?

ત્યારે 27 નવેમ્બરથી મેન્યુઅલી ડ્રિલીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિશેષજ્ઞોની ટીમ કરી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે 12 ઉંદર ખાણ કરનારાઓની ટીમે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 મીટર સુધી ખોદકામ કર્યું છે. લગભગ 12 નિષ્ણાતો આમાં સામેલ છે. ટનલમાંથી કાટમાળ હટાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા ટનલ ઉપર રસ્તો બનાવીને કામદારોને બહાર કાઢવામાં આવશે. લગભગ 42 મીટર વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવ્યું છે. વર્ટિકલ ડ્રિલિંગ કુલ 86 મીટરની ઊંડાઈ સુધી કરવાનું છે. 30 નવેમ્બર સુધીમાં આ પૂર્ણ થવાની આશા છે. ત્યારપછી ટનલની અંદર ફસાયેલા કામદારોને આ 1 મીટર પહોળી શાફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવશે.

અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે પ્રાર્થના 

મહત્વનું છે કે અનેક વખત એવા સમાચાર સામે આવતા હતા કે થોડા કલાકોમાં જ શ્રમિકો બહાર આવી શકે છે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. પીએમઓની ઓફિસના અધિકારીઓ ત્યાં હાજર છે તેવી જાણકારી સામે આવી છે. અલગ અલગ જગ્યાઓ પર શ્રમિકો જલ્દી બહાર સુરક્ષિત આવી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે શ્રમિકો ટનલની બહાર ક્યારે આવશે?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.