Uttarkashi Tunnel Rescue : કામદારોથી માત્ર પાંચ મીટર દૂર રેસ્ક્યુ ટીમ! ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે


  • Published By :
  • Published Date : 2023-11-28 11:02:07

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 16 દિવસથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા, અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી શ્રમિકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટનલની સામે ડ્રિલીંગ મશીન ફેલ થઈ રહ્યા છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. રેસ્ક્યુની કામગીરી માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી છે અને કેવી પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી છે. 


41 શ્રમિકોના જીવને બચાવવા કરાઈ રહી છે મહેનત 

દિવાળી પહેલા ઉત્તરકાશીમાં એક ઘટના બની હતી જેમાં 41 શ્રમિકોના જીવ પર સંકટ તોળાયેલું હતું. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે 41 શ્રમિકો નીચે દબાયા હતા. 16 દિવસ જેટલો સમય વીતિ ગયો છે રેસ્ક્યુની કામગીરી શરૂ કરે પરંતુ હજી સુધી સફળતા નથી મળી. અલગ અલગ રીતનો ઉપયોગ કરી શ્રમિકોના જીવને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પહેલા ડ્રિલિંગ મશીનની મદદ લેવામાં આવી રહી હતી પરંતુ અનેક વખત ડ્રિલીંગ મશીન બંધ પડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ જતી હતી.

કેટલે પહોંચી રેસ્ક્યુની કામગીરી?

ત્યારે 27 નવેમ્બરથી મેન્યુઅલી ડ્રિલીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિશેષજ્ઞોની ટીમ કરી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે 12 ઉંદર ખાણ કરનારાઓની ટીમે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 મીટર સુધી ખોદકામ કર્યું છે. લગભગ 12 નિષ્ણાતો આમાં સામેલ છે. ટનલમાંથી કાટમાળ હટાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા ટનલ ઉપર રસ્તો બનાવીને કામદારોને બહાર કાઢવામાં આવશે. લગભગ 42 મીટર વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવ્યું છે. વર્ટિકલ ડ્રિલિંગ કુલ 86 મીટરની ઊંડાઈ સુધી કરવાનું છે. 30 નવેમ્બર સુધીમાં આ પૂર્ણ થવાની આશા છે. ત્યારપછી ટનલની અંદર ફસાયેલા કામદારોને આ 1 મીટર પહોળી શાફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવશે.

અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે પ્રાર્થના 

મહત્વનું છે કે અનેક વખત એવા સમાચાર સામે આવતા હતા કે થોડા કલાકોમાં જ શ્રમિકો બહાર આવી શકે છે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. પીએમઓની ઓફિસના અધિકારીઓ ત્યાં હાજર છે તેવી જાણકારી સામે આવી છે. અલગ અલગ જગ્યાઓ પર શ્રમિકો જલ્દી બહાર સુરક્ષિત આવી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે શ્રમિકો ટનલની બહાર ક્યારે આવશે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે