Uttarkashi Tunnel Rescue : કામદારોથી માત્ર પાંચ મીટર દૂર રેસ્ક્યુ ટીમ! ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે


  • Published By :
  • Published Date : 2023-11-28 11:02:07

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 16 દિવસથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા, અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી શ્રમિકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટનલની સામે ડ્રિલીંગ મશીન ફેલ થઈ રહ્યા છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. રેસ્ક્યુની કામગીરી માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી છે અને કેવી પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી છે. 


41 શ્રમિકોના જીવને બચાવવા કરાઈ રહી છે મહેનત 

દિવાળી પહેલા ઉત્તરકાશીમાં એક ઘટના બની હતી જેમાં 41 શ્રમિકોના જીવ પર સંકટ તોળાયેલું હતું. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે 41 શ્રમિકો નીચે દબાયા હતા. 16 દિવસ જેટલો સમય વીતિ ગયો છે રેસ્ક્યુની કામગીરી શરૂ કરે પરંતુ હજી સુધી સફળતા નથી મળી. અલગ અલગ રીતનો ઉપયોગ કરી શ્રમિકોના જીવને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પહેલા ડ્રિલિંગ મશીનની મદદ લેવામાં આવી રહી હતી પરંતુ અનેક વખત ડ્રિલીંગ મશીન બંધ પડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ જતી હતી.

કેટલે પહોંચી રેસ્ક્યુની કામગીરી?

ત્યારે 27 નવેમ્બરથી મેન્યુઅલી ડ્રિલીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિશેષજ્ઞોની ટીમ કરી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે 12 ઉંદર ખાણ કરનારાઓની ટીમે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 મીટર સુધી ખોદકામ કર્યું છે. લગભગ 12 નિષ્ણાતો આમાં સામેલ છે. ટનલમાંથી કાટમાળ હટાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા ટનલ ઉપર રસ્તો બનાવીને કામદારોને બહાર કાઢવામાં આવશે. લગભગ 42 મીટર વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવ્યું છે. વર્ટિકલ ડ્રિલિંગ કુલ 86 મીટરની ઊંડાઈ સુધી કરવાનું છે. 30 નવેમ્બર સુધીમાં આ પૂર્ણ થવાની આશા છે. ત્યારપછી ટનલની અંદર ફસાયેલા કામદારોને આ 1 મીટર પહોળી શાફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવશે.

અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે પ્રાર્થના 

મહત્વનું છે કે અનેક વખત એવા સમાચાર સામે આવતા હતા કે થોડા કલાકોમાં જ શ્રમિકો બહાર આવી શકે છે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. પીએમઓની ઓફિસના અધિકારીઓ ત્યાં હાજર છે તેવી જાણકારી સામે આવી છે. અલગ અલગ જગ્યાઓ પર શ્રમિકો જલ્દી બહાર સુરક્ષિત આવી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે શ્રમિકો ટનલની બહાર ક્યારે આવશે?  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .