Manipurમાં ફરી ભડકી હિંસા, Rahul Gandhiએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-11-19 12:53:56

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે... હિંસાનું પ્રમાણ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે.... મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે....

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થયે એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક વાર પીએમ મોદીએ મણિપુરની મુલાકાત નથી લીધી... હું મણિપુર ગયો છું અને મેં ત્યાં જોયું છે કે શું પરિસ્થિતિ છે... મણિપુરમાં હિંસાને રોકવા અમારૂં પૂર્ણ સમર્થન છે પરંતુ સરકાર હિંસા નથી રોકી રહી.... અમિત શાહ પર પણ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.... 



મોહન ભાગવતે સરકારને કરી ટકોર

મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે સરકારને ટકોર કરી છે... શનિવારે ફરી મણિપુરમાં હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા..જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરાવનારા છે... મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે શાંત થશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.