Manipurમાં ફરી ભડકી હિંસા, Rahul Gandhiએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-11-19 12:53:56

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે... હિંસાનું પ્રમાણ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે.... મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે....

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થયે એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક વાર પીએમ મોદીએ મણિપુરની મુલાકાત નથી લીધી... હું મણિપુર ગયો છું અને મેં ત્યાં જોયું છે કે શું પરિસ્થિતિ છે... મણિપુરમાં હિંસાને રોકવા અમારૂં પૂર્ણ સમર્થન છે પરંતુ સરકાર હિંસા નથી રોકી રહી.... અમિત શાહ પર પણ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.... 



મોહન ભાગવતે સરકારને કરી ટકોર

મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે સરકારને ટકોર કરી છે... શનિવારે ફરી મણિપુરમાં હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા..જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરાવનારા છે... મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે શાંત થશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...   



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.