Manipurમાં ફરી ભડકી હિંસા, Rahul Gandhiએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-11-19 12:53:56

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે... હિંસાનું પ્રમાણ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે.... મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે....

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થયે એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક વાર પીએમ મોદીએ મણિપુરની મુલાકાત નથી લીધી... હું મણિપુર ગયો છું અને મેં ત્યાં જોયું છે કે શું પરિસ્થિતિ છે... મણિપુરમાં હિંસાને રોકવા અમારૂં પૂર્ણ સમર્થન છે પરંતુ સરકાર હિંસા નથી રોકી રહી.... અમિત શાહ પર પણ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.... 



મોહન ભાગવતે સરકારને કરી ટકોર

મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે સરકારને ટકોર કરી છે... શનિવારે ફરી મણિપુરમાં હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા..જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરાવનારા છે... મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે શાંત થશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...   



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.