Manipurમાં ફરી ભડકી હિંસા, Rahul Gandhiએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-11-19 12:53:56

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે... હિંસાનું પ્રમાણ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે.... મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે....

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થયે એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક વાર પીએમ મોદીએ મણિપુરની મુલાકાત નથી લીધી... હું મણિપુર ગયો છું અને મેં ત્યાં જોયું છે કે શું પરિસ્થિતિ છે... મણિપુરમાં હિંસાને રોકવા અમારૂં પૂર્ણ સમર્થન છે પરંતુ સરકાર હિંસા નથી રોકી રહી.... અમિત શાહ પર પણ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.... 



મોહન ભાગવતે સરકારને કરી ટકોર

મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે સરકારને ટકોર કરી છે... શનિવારે ફરી મણિપુરમાં હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા..જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરાવનારા છે... મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે શાંત થશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...   



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.