શું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ? કેમ 8 માર્ચના દિવસે કરાય છે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-08 17:57:05

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહત્વની ઘટનાઓને દર વર્ષે યાદ કરવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે આજે જાણીશું શા માટે 8 માર્ચના દિવસે જ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

પોતાના અધિકાર માટે મહિલાએ કર્યો હતો સંઘર્ષ 

વર્ષ 1908માં મહિલાઓએ પોતાના અધિકારોની માગ માટે આંદોલન કર્યું હતું. 15000 જેટલી મહિલાઓએ ન્યુયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની માગ કરી હતી. અટલે આ દિવસની શરૂઆત આંદોલનથી થઈ હતી. એક વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું. 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. જે બાદ 1975ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. 


અલગ અલગ થીમ પર થાય છે મહિલા દિવસની ઉજવણી 

મહિલાઓને સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અલગ અલગ થીમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ, લીલો તેમજ જાંબલી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલા રંગને આશાનું પ્રતિનિધિત્વ કરે છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.