શું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ? કેમ 8 માર્ચના દિવસે કરાય છે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-08 17:57:05

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહત્વની ઘટનાઓને દર વર્ષે યાદ કરવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે આજે જાણીશું શા માટે 8 માર્ચના દિવસે જ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

પોતાના અધિકાર માટે મહિલાએ કર્યો હતો સંઘર્ષ 

વર્ષ 1908માં મહિલાઓએ પોતાના અધિકારોની માગ માટે આંદોલન કર્યું હતું. 15000 જેટલી મહિલાઓએ ન્યુયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની માગ કરી હતી. અટલે આ દિવસની શરૂઆત આંદોલનથી થઈ હતી. એક વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું. 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. જે બાદ 1975ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. 


અલગ અલગ થીમ પર થાય છે મહિલા દિવસની ઉજવણી 

મહિલાઓને સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અલગ અલગ થીમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ, લીલો તેમજ જાંબલી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલા રંગને આશાનું પ્રતિનિધિત્વ કરે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.