શું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ? કેમ 8 માર્ચના દિવસે કરાય છે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-08 17:57:05

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહત્વની ઘટનાઓને દર વર્ષે યાદ કરવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે આજે જાણીશું શા માટે 8 માર્ચના દિવસે જ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

પોતાના અધિકાર માટે મહિલાએ કર્યો હતો સંઘર્ષ 

વર્ષ 1908માં મહિલાઓએ પોતાના અધિકારોની માગ માટે આંદોલન કર્યું હતું. 15000 જેટલી મહિલાઓએ ન્યુયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની માગ કરી હતી. અટલે આ દિવસની શરૂઆત આંદોલનથી થઈ હતી. એક વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું. 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. જે બાદ 1975ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. 


અલગ અલગ થીમ પર થાય છે મહિલા દિવસની ઉજવણી 

મહિલાઓને સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અલગ અલગ થીમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ, લીલો તેમજ જાંબલી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલા રંગને આશાનું પ્રતિનિધિત્વ કરે છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.