વિશ્વ ચકલી દિવસ -લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે એક પ્રયાસ..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-20 17:17:37

વિશ્વ ચકલી દિવસની ઉજવણી 2010 માં નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ) દ્વારા શરૂ કરવામાં આવી. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મોહમ્મદ દિલાવર નામના સંરક્ષણવાદીએ ચકલીઓ માટે વિશેષ અભિયાન ચલાવ્યું, જે બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી બન્યું.

ઢાળની પોળમાં બનાવેલા ચકલીના સ્મારકની તકતીમાં તેનું વર્ણન કરેલું જોઈ શકાય છે. સાથે એક નાની સ્પેરો પણ નીચે કોતરેલી જોઈ શકાય છે. 1974 ના ગુજરાતના રોટી રમખાણમાં (નવનિર્માણના આંદોલન) દરમિયાન 2/3/1974 ના રોજ સાંજે 5:25 વાગ્યે ગોળી વાગતા શહીદ થઈ હતી.


ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી તેમની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે.ઉનાળામાં ખાસ કરીને માટીના વાસણમાં પાણી અને દાણા રાખશો તો ચકલીઓને સહાય મળશે. ચકલીઓ માટે માળાઓ લટકાવી શકાય, જેનાથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે. આ રસાયણો ચકલીઓ માટે હાનિકારક સાબિત થાય છે. વૃક્ષોની સંખ્યા વધારવાથી ચકલીઓને રહેવાસ મળશે. 40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.








રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.