વિશ્વ ચકલી દિવસ -લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે એક પ્રયાસ..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-20 17:17:37

વિશ્વ ચકલી દિવસની ઉજવણી 2010 માં નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ) દ્વારા શરૂ કરવામાં આવી. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મોહમ્મદ દિલાવર નામના સંરક્ષણવાદીએ ચકલીઓ માટે વિશેષ અભિયાન ચલાવ્યું, જે બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી બન્યું.

ઢાળની પોળમાં બનાવેલા ચકલીના સ્મારકની તકતીમાં તેનું વર્ણન કરેલું જોઈ શકાય છે. સાથે એક નાની સ્પેરો પણ નીચે કોતરેલી જોઈ શકાય છે. 1974 ના ગુજરાતના રોટી રમખાણમાં (નવનિર્માણના આંદોલન) દરમિયાન 2/3/1974 ના રોજ સાંજે 5:25 વાગ્યે ગોળી વાગતા શહીદ થઈ હતી.


ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી તેમની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે.ઉનાળામાં ખાસ કરીને માટીના વાસણમાં પાણી અને દાણા રાખશો તો ચકલીઓને સહાય મળશે. ચકલીઓ માટે માળાઓ લટકાવી શકાય, જેનાથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે. આ રસાયણો ચકલીઓ માટે હાનિકારક સાબિત થાય છે. વૃક્ષોની સંખ્યા વધારવાથી ચકલીઓને રહેવાસ મળશે. 40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.








ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.