વિશ્વ ચકલી દિવસ -લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે એક પ્રયાસ..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-20 17:17:37

વિશ્વ ચકલી દિવસની ઉજવણી 2010 માં નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ) દ્વારા શરૂ કરવામાં આવી. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મોહમ્મદ દિલાવર નામના સંરક્ષણવાદીએ ચકલીઓ માટે વિશેષ અભિયાન ચલાવ્યું, જે બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી બન્યું.

ઢાળની પોળમાં બનાવેલા ચકલીના સ્મારકની તકતીમાં તેનું વર્ણન કરેલું જોઈ શકાય છે. સાથે એક નાની સ્પેરો પણ નીચે કોતરેલી જોઈ શકાય છે. 1974 ના ગુજરાતના રોટી રમખાણમાં (નવનિર્માણના આંદોલન) દરમિયાન 2/3/1974 ના રોજ સાંજે 5:25 વાગ્યે ગોળી વાગતા શહીદ થઈ હતી.


ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી તેમની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે.ઉનાળામાં ખાસ કરીને માટીના વાસણમાં પાણી અને દાણા રાખશો તો ચકલીઓને સહાય મળશે. ચકલીઓ માટે માળાઓ લટકાવી શકાય, જેનાથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે. આ રસાયણો ચકલીઓ માટે હાનિકારક સાબિત થાય છે. વૃક્ષોની સંખ્યા વધારવાથી ચકલીઓને રહેવાસ મળશે. 40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.








ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.