જનતા તો દર વખતની જેમ મૂરખ જ સાબિત થશે. આ વખતે ઠગવા વાળાઓમાં ભારે સ્પર્ધા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 23:48:27

દરેક ધર્મના માન-અપમાનનો ઠેકો ભારતીય જનતા પાર્ટીએ લઈ રાખ્યો છે?

અત્યાર સુધી માત્ર હિન્દુ અસ્મિતાની વાત કરતો ભારતીય જનતા પક્ષ હવે મુસ્લીમ હિતની પણ વાત કરવા નીકળે ત્યારે અચરજ અને સવાલ થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી મુસલમાનને હિન્દુ અને દેશનો દુશ્મન ચિતરનાર ભારતીય જનતા પક્ષ મુસ્લીમ અસ્મિતા અને એમના ધર્મના અપમાન પર વાત કરે તો થાય કે શું હવે હિન્દુ વોટબેન્ક મેળવવામાં સંતૃપ્ત અવસ્થા આવી ગઈ છે કે જેના કારણે મુસ્લીમ વોટ માટે મુસ્લીમના ધર્મનું અપમાન થાય છે કહીને નીકળવું પડશે?

 

મલ્લિકાર્જુન ખરગે કહેવત બોલ્યા, ભાજપના નેતાએ કહ્યું મુસલમાનોનું અપમાન કર્યું.

આવું ભાજપના નેતા બોલે ત્યારે થાય કે દરેક ધર્મના ઠેકા અને એમના માન-અપમાનની ચિંતા ભારતીય જનતા પાર્ટીને જ શું કામ થાય છે? શહેજાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે, મલ્લિકાર્જુનને સવાલ કરાયો કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે કૉંગ્રેસમાંથી તો એમણે એક કહેવત કહી કે ઈદ પર બચીશું તો મોહર્રમ ઉજવીશું, આ વાતને લઈને શહેજાદ પૂનાવાલા કૉંગ્રેસ પર તુટી પડ્યાં, દરેક વાત અને કહેવતમાંથી વાંધો કાઢવા જઈશું તો કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા નથી બચી શકવાના, પણ મુદ્દા પર સવાલોના જવાબ આપવાથી ભાગતા નેતા ધર્મ આ શબ્દ દુર સંભળાય તો પણ સુંઘતા સુંઘતા પહોંચી જતા હોય છે

ધર્મનો મુદ્દો ઓછો હોય એમ હવે આમ આદમી પાર્ટી પાટીદાર કાર્ડ લઈને આવી

ધર્મના નામ પર તો લોકો એમપણ વહેંચાયેલા છે, હવે ગોપાલ ઈટાલીયાના નામે આમ આદમી પાર્ટી પણ પોતાને પાટીદાર હિતેચ્છું અને ભાજપને પાટીદાર વિરોધ બતાવવા નીકળેલી આપ ગોપાલ ઈટાલીયા પર લેવાતી દરેક એક્શનને પાટીદારોના અપમાન સાથે સાંકળી રહી છે, જો કે એ ભુલી જાય છે કે ભાજપે તો પાટીદાર હિતેચ્છું સાબિત થવા માટે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે.

કોઈક મોટું હિંદુ સાબિત થશે કોઈક મોટું પાટીદાર....જનતા ત્યાંની ત્યાં જ રહેશે એ નક્કી છે.

 



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.