જનતા તો દર વખતની જેમ મૂરખ જ સાબિત થશે. આ વખતે ઠગવા વાળાઓમાં ભારે સ્પર્ધા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 23:48:27

દરેક ધર્મના માન-અપમાનનો ઠેકો ભારતીય જનતા પાર્ટીએ લઈ રાખ્યો છે?

અત્યાર સુધી માત્ર હિન્દુ અસ્મિતાની વાત કરતો ભારતીય જનતા પક્ષ હવે મુસ્લીમ હિતની પણ વાત કરવા નીકળે ત્યારે અચરજ અને સવાલ થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી મુસલમાનને હિન્દુ અને દેશનો દુશ્મન ચિતરનાર ભારતીય જનતા પક્ષ મુસ્લીમ અસ્મિતા અને એમના ધર્મના અપમાન પર વાત કરે તો થાય કે શું હવે હિન્દુ વોટબેન્ક મેળવવામાં સંતૃપ્ત અવસ્થા આવી ગઈ છે કે જેના કારણે મુસ્લીમ વોટ માટે મુસ્લીમના ધર્મનું અપમાન થાય છે કહીને નીકળવું પડશે?

 

મલ્લિકાર્જુન ખરગે કહેવત બોલ્યા, ભાજપના નેતાએ કહ્યું મુસલમાનોનું અપમાન કર્યું.

આવું ભાજપના નેતા બોલે ત્યારે થાય કે દરેક ધર્મના ઠેકા અને એમના માન-અપમાનની ચિંતા ભારતીય જનતા પાર્ટીને જ શું કામ થાય છે? શહેજાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે, મલ્લિકાર્જુનને સવાલ કરાયો કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે કૉંગ્રેસમાંથી તો એમણે એક કહેવત કહી કે ઈદ પર બચીશું તો મોહર્રમ ઉજવીશું, આ વાતને લઈને શહેજાદ પૂનાવાલા કૉંગ્રેસ પર તુટી પડ્યાં, દરેક વાત અને કહેવતમાંથી વાંધો કાઢવા જઈશું તો કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા નથી બચી શકવાના, પણ મુદ્દા પર સવાલોના જવાબ આપવાથી ભાગતા નેતા ધર્મ આ શબ્દ દુર સંભળાય તો પણ સુંઘતા સુંઘતા પહોંચી જતા હોય છે

ધર્મનો મુદ્દો ઓછો હોય એમ હવે આમ આદમી પાર્ટી પાટીદાર કાર્ડ લઈને આવી

ધર્મના નામ પર તો લોકો એમપણ વહેંચાયેલા છે, હવે ગોપાલ ઈટાલીયાના નામે આમ આદમી પાર્ટી પણ પોતાને પાટીદાર હિતેચ્છું અને ભાજપને પાટીદાર વિરોધ બતાવવા નીકળેલી આપ ગોપાલ ઈટાલીયા પર લેવાતી દરેક એક્શનને પાટીદારોના અપમાન સાથે સાંકળી રહી છે, જો કે એ ભુલી જાય છે કે ભાજપે તો પાટીદાર હિતેચ્છું સાબિત થવા માટે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે.

કોઈક મોટું હિંદુ સાબિત થશે કોઈક મોટું પાટીદાર....જનતા ત્યાંની ત્યાં જ રહેશે એ નક્કી છે.

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .