જનતા તો દર વખતની જેમ મૂરખ જ સાબિત થશે. આ વખતે ઠગવા વાળાઓમાં ભારે સ્પર્ધા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 23:48:27

દરેક ધર્મના માન-અપમાનનો ઠેકો ભારતીય જનતા પાર્ટીએ લઈ રાખ્યો છે?

અત્યાર સુધી માત્ર હિન્દુ અસ્મિતાની વાત કરતો ભારતીય જનતા પક્ષ હવે મુસ્લીમ હિતની પણ વાત કરવા નીકળે ત્યારે અચરજ અને સવાલ થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી મુસલમાનને હિન્દુ અને દેશનો દુશ્મન ચિતરનાર ભારતીય જનતા પક્ષ મુસ્લીમ અસ્મિતા અને એમના ધર્મના અપમાન પર વાત કરે તો થાય કે શું હવે હિન્દુ વોટબેન્ક મેળવવામાં સંતૃપ્ત અવસ્થા આવી ગઈ છે કે જેના કારણે મુસ્લીમ વોટ માટે મુસ્લીમના ધર્મનું અપમાન થાય છે કહીને નીકળવું પડશે?

 

મલ્લિકાર્જુન ખરગે કહેવત બોલ્યા, ભાજપના નેતાએ કહ્યું મુસલમાનોનું અપમાન કર્યું.

આવું ભાજપના નેતા બોલે ત્યારે થાય કે દરેક ધર્મના ઠેકા અને એમના માન-અપમાનની ચિંતા ભારતીય જનતા પાર્ટીને જ શું કામ થાય છે? શહેજાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે, મલ્લિકાર્જુનને સવાલ કરાયો કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે કૉંગ્રેસમાંથી તો એમણે એક કહેવત કહી કે ઈદ પર બચીશું તો મોહર્રમ ઉજવીશું, આ વાતને લઈને શહેજાદ પૂનાવાલા કૉંગ્રેસ પર તુટી પડ્યાં, દરેક વાત અને કહેવતમાંથી વાંધો કાઢવા જઈશું તો કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા નથી બચી શકવાના, પણ મુદ્દા પર સવાલોના જવાબ આપવાથી ભાગતા નેતા ધર્મ આ શબ્દ દુર સંભળાય તો પણ સુંઘતા સુંઘતા પહોંચી જતા હોય છે

ધર્મનો મુદ્દો ઓછો હોય એમ હવે આમ આદમી પાર્ટી પાટીદાર કાર્ડ લઈને આવી

ધર્મના નામ પર તો લોકો એમપણ વહેંચાયેલા છે, હવે ગોપાલ ઈટાલીયાના નામે આમ આદમી પાર્ટી પણ પોતાને પાટીદાર હિતેચ્છું અને ભાજપને પાટીદાર વિરોધ બતાવવા નીકળેલી આપ ગોપાલ ઈટાલીયા પર લેવાતી દરેક એક્શનને પાટીદારોના અપમાન સાથે સાંકળી રહી છે, જો કે એ ભુલી જાય છે કે ભાજપે તો પાટીદાર હિતેચ્છું સાબિત થવા માટે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે.

કોઈક મોટું હિંદુ સાબિત થશે કોઈક મોટું પાટીદાર....જનતા ત્યાંની ત્યાં જ રહેશે એ નક્કી છે.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.