લ્યો બોલો! કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ એરએશિયાનું વિમાન ઉડી જતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:21

કોઈ એરલાઈન્સ કંપની કોઈ રાજ્યના ગવર્નરને ફ્લાઈટમાં યાત્રા કરવાનો ઈન્કાર કરી શકે? હા આવી ઘટના બની છે, એર એશિયાના કર્મચારીઓએ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવતા હોબાળો મચી ગયો છે. કર્ણાટક રાજ ભવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને એરએશિયાને પત્ર લખીને તેને રાજ્યપાલના પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો ગણાવ્યો છે. આ મુજબ, ગુરુવારે રાજ્યપાલ ગેહલોત બેંગ્લોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢવા માટે ટેકઓફના 15 મિનિટ પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


સમગ્ર ઘટના શું છે?


સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એરલાઈન્સના કારણે ગવર્નર માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. થાવરચંદ ગેહલોત બેંગલુરુથી હૈદરાબાદ જતી એર એશિયાની 2.05 દિવસની ફ્લાઈટ I5-972માં સવાર થવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સવારે 1.50 વાગ્યે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં પહોંચ્યા હતા. થોડો સમય રેસ્ટરૂમમાં રહ્યા બાદ તેમને એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર પહોંચવા છતાં એરલાઈન્સ સ્ટાફે પ્લેનનો દરવાજો બંધ હોવાનું કહીને તેમને ચઢવા ન દીધા. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આમ છતાં, ઘણી વિનંતીઓ પછી પણ તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટીસી અને ફ્લાઇટ એટેન્ડન્ટએ રાજ્યપાલને વિમાનમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો.


એર એશિયા ખેદ વ્યક્ત કર્યો


રાજ્યપાલને એક કાર્યક્રમના સંબંધમાં હૈદરાબાદ થઈને રાયચુર જવાનું હતું. લગભગ 90 મિનિટ પછી તેમને હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. એરએશિયાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.