લ્યો બોલો! કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ એરએશિયાનું વિમાન ઉડી જતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:21

કોઈ એરલાઈન્સ કંપની કોઈ રાજ્યના ગવર્નરને ફ્લાઈટમાં યાત્રા કરવાનો ઈન્કાર કરી શકે? હા આવી ઘટના બની છે, એર એશિયાના કર્મચારીઓએ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવતા હોબાળો મચી ગયો છે. કર્ણાટક રાજ ભવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને એરએશિયાને પત્ર લખીને તેને રાજ્યપાલના પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો ગણાવ્યો છે. આ મુજબ, ગુરુવારે રાજ્યપાલ ગેહલોત બેંગ્લોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢવા માટે ટેકઓફના 15 મિનિટ પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


સમગ્ર ઘટના શું છે?


સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એરલાઈન્સના કારણે ગવર્નર માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. થાવરચંદ ગેહલોત બેંગલુરુથી હૈદરાબાદ જતી એર એશિયાની 2.05 દિવસની ફ્લાઈટ I5-972માં સવાર થવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સવારે 1.50 વાગ્યે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં પહોંચ્યા હતા. થોડો સમય રેસ્ટરૂમમાં રહ્યા બાદ તેમને એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર પહોંચવા છતાં એરલાઈન્સ સ્ટાફે પ્લેનનો દરવાજો બંધ હોવાનું કહીને તેમને ચઢવા ન દીધા. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આમ છતાં, ઘણી વિનંતીઓ પછી પણ તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટીસી અને ફ્લાઇટ એટેન્ડન્ટએ રાજ્યપાલને વિમાનમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો.


એર એશિયા ખેદ વ્યક્ત કર્યો


રાજ્યપાલને એક કાર્યક્રમના સંબંધમાં હૈદરાબાદ થઈને રાયચુર જવાનું હતું. લગભગ 90 મિનિટ પછી તેમને હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. એરએશિયાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.