લ્યો બોલો! કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ એરએશિયાનું વિમાન ઉડી જતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:21

કોઈ એરલાઈન્સ કંપની કોઈ રાજ્યના ગવર્નરને ફ્લાઈટમાં યાત્રા કરવાનો ઈન્કાર કરી શકે? હા આવી ઘટના બની છે, એર એશિયાના કર્મચારીઓએ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવતા હોબાળો મચી ગયો છે. કર્ણાટક રાજ ભવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને એરએશિયાને પત્ર લખીને તેને રાજ્યપાલના પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો ગણાવ્યો છે. આ મુજબ, ગુરુવારે રાજ્યપાલ ગેહલોત બેંગ્લોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢવા માટે ટેકઓફના 15 મિનિટ પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


સમગ્ર ઘટના શું છે?


સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એરલાઈન્સના કારણે ગવર્નર માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. થાવરચંદ ગેહલોત બેંગલુરુથી હૈદરાબાદ જતી એર એશિયાની 2.05 દિવસની ફ્લાઈટ I5-972માં સવાર થવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સવારે 1.50 વાગ્યે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં પહોંચ્યા હતા. થોડો સમય રેસ્ટરૂમમાં રહ્યા બાદ તેમને એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર પહોંચવા છતાં એરલાઈન્સ સ્ટાફે પ્લેનનો દરવાજો બંધ હોવાનું કહીને તેમને ચઢવા ન દીધા. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આમ છતાં, ઘણી વિનંતીઓ પછી પણ તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટીસી અને ફ્લાઇટ એટેન્ડન્ટએ રાજ્યપાલને વિમાનમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો.


એર એશિયા ખેદ વ્યક્ત કર્યો


રાજ્યપાલને એક કાર્યક્રમના સંબંધમાં હૈદરાબાદ થઈને રાયચુર જવાનું હતું. લગભગ 90 મિનિટ પછી તેમને હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. એરએશિયાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .