સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા વચ્ચે જાણીએ આશા કંડારાની પ્રેરણાત્મક અને સંઘર્ષમય કહાણી વિશે જે તમને ઉર્જાથી ભરી દેશે...


  • Published By :
  • Published Date : 2023-07-29 11:34:26

કહેવાય છે કે જો તમે મજબૂત મનોબળથી કોઈ પણ કાર્ય કરવાનું વિચારી લો છો અને તે તરફ પોતાના પગલા આગળ વધારો છો તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી રહેતી. મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો કોઈ પણ અસંભવ લાગતું કામ સંભવ બની જાય છે. સમાજમાં ફેલાયેલા નકારાત્મકતાઓની વચ્ચે આજે વાત કરવી છે રાજસ્થાનમાં રહેતી આશા કંડારા નામની એક મહિલાની. એ મહિલા, જેને 8 વર્ષ પહેલા પતિ છોડી દે છે, બે દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માથે આવે છે, મા-બાપ બંનેની જવાબદારી આશા કંડારા પર આવી. માથે પરિવારની જવાબદારી હોવા છતાંય 32 વર્ષની ઉંમરે ફરી ભણવાનું શરૂ કરે છે, તનતોડ મહેનત કરે છે.

Motivational Stories - बायोग्राफी एवम् हिंदी कहानियां

આશા કંડારાએ નકારાત્મક્તાને પોતાના પર હાવી ન થવા દીધી

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરવા પોતાના કદમ આગળ વધારે છે અને એમાં ખાસ કરીને મહિલા ત્યારે તેના રસ્તામાં અનેક વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આશા કંડારાએ પાડોશીઓ અને પરિવારની નકારાત્મક વાતોને નકારી, સફાઈ કામદાર તરીકે શેરી સાફ કરવાનું કામ શરૂ કર્યું. અને 40 વર્ષે નાયબ કલેક્ટર બનીને સમાજના એ તમામ લોકોને જોરદાર તમાચો મારે છે જે કહેતા હતા કે આ તે કોઈ ભણવાની ઉંમર છે. મા બાપ જ બુદ્ધિ વગરના છે જે વિધવા છોકરીને ઘરમાં બેસાડવાની જગ્યાએ છૂટ આપીને ભણાવડાવે છે. 

2 साल तक सड़कों पर झाडू लगाया, शादी के बाद पति ने छोड़ा, 2 बच्चों की  जिम्मेदारी उठाई, कुछ ऐसे एक सफाईकर्मी बनी डिप्टी कलेक्टर | Success Story:  Sweeper Asha ...

પરિવાર તરફેણમાં હતો પરંતુ સમાજ વિરૂદ્ધમાં હતો 

આશા કંડારા રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેમના પપ્પા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર છે અને મમ્મી ઘર સંભાળતા હતા. આશાને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારના નિર્ણયો અને દબાણના કારણે 12 સુધી જ ભણી શક્યા અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. લગ્ન જીવન સુંદર ચાલી રહ્યું હતું, તેમને બે બાળકો થયા. પણ જેવા તે 32 વર્ષના થયા તો તેમના છૂટાછેડા થઈ ગયા. જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે તેમના પર બે સંતાનોની જવાબદારી હતી, જ્યારે આશા ઘરે આવ્યા ત્યારે પરિવાર તો આશાની તરફેણમાં હતો પણ સમાજના લોકોએ છૂટાછેડા લેવા પર અનેક ટોણા માર્યા. 


2013માં આશાએ ફરી ભણવાની શરૂઆત કરી

2013માં આશાએ ફરી ભણવાનું શરૂ કર્યું અને 2016માં સ્નાતક પૂરું કર્યું. સ્નાતક પછી આશા મુંજાઈ ગયા હતા કે હવે તે શું કરે કારણ કે ઘણી બધી તક હતી તેમાંથી તેમને શું કરવું તે નક્કી નહોતા કરી શક્તા. ઉપરથી ભણવા બાબતે તેમને કોઈનું સમર્થન પણ મળી ન રહ્યું હતું. છતાંય આવી પરિસ્થિતિમાં આશાએ પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી.લોકો તેમને કેવા કેવા કેવા ટોણા મારતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તું શું કલેક્ટર બનવાની છે... તમારા ખાનદાનમાં કોઈ કલેક્ટર બન્યું છે તો તમે ધંધા કરી રહ્યા છો... 

સફાઈ કામદાર તરીકે આશા કંડારાએ શરૂ કરી નોકરી  

આ ટોણાથી આશાબેન નિરાશ ન થયા. આશા બેન રાજસ્થાન જાહેર સેવા આયોગ માટે પરીક્ષા આપવા તૈયારી કરે છે. આ પહેલા તેમને ગમે ત્યાં નોકરી કરવી જરૂરી હતી. તો 2019માં નગર નિગમમાં સફાઈ કામદાર તરીકે તેમની નોકરી લાગી અને તેમણે કામ શરૂ કરી દીધું. બાળકોને પણ સંભાળતા હતા, તૈયારી પણ કરતા હતા અને સફાઈ પણ કરતા હતા. અંતે આટલા સંઘર્ષ બાદ તે સફળ થાય છે અને નાયબ કલેક્ટર બની જાય છે. 


આશાબેન એ લોકો માટે પ્રેરણા છે જે જલ્દીથી નિરાશ થઈ જાય છે  

આ દર્શાવે છે કે જો તમે મન મક્કમ બનાવીને નક્કી કરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો તો સફળતા તમારા કદમોમાં આવી જશે. આશા બેન સફાઈ કરતા કરતા, બાળકો સંભાળતા સંભાળતા, ઘરનું કામ કરતા કરતા સરકારી અધિકારી બની શકે છે તો આપણે પણ થઈ શકીએ છીએ. જીવનમાં જે પણ બનો, જે પણ સિદ્ધિ હાંસલ કરો, જે પણ જગ્યાએ જોબ કરો જો તમે તેમાં નિષ્ઠાથી કામ કરી રહ્યા છો અને તમે દિલથી ખુશ છો તો તમે સફળ જ કહેવાઓ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.