સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા વચ્ચે જાણીએ આશા કંડારાની પ્રેરણાત્મક અને સંઘર્ષમય કહાણી વિશે જે તમને ઉર્જાથી ભરી દેશે...


  • Published By :
  • Published Date : 2023-07-29 11:34:26

કહેવાય છે કે જો તમે મજબૂત મનોબળથી કોઈ પણ કાર્ય કરવાનું વિચારી લો છો અને તે તરફ પોતાના પગલા આગળ વધારો છો તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી રહેતી. મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો કોઈ પણ અસંભવ લાગતું કામ સંભવ બની જાય છે. સમાજમાં ફેલાયેલા નકારાત્મકતાઓની વચ્ચે આજે વાત કરવી છે રાજસ્થાનમાં રહેતી આશા કંડારા નામની એક મહિલાની. એ મહિલા, જેને 8 વર્ષ પહેલા પતિ છોડી દે છે, બે દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માથે આવે છે, મા-બાપ બંનેની જવાબદારી આશા કંડારા પર આવી. માથે પરિવારની જવાબદારી હોવા છતાંય 32 વર્ષની ઉંમરે ફરી ભણવાનું શરૂ કરે છે, તનતોડ મહેનત કરે છે.

Motivational Stories - बायोग्राफी एवम् हिंदी कहानियां

આશા કંડારાએ નકારાત્મક્તાને પોતાના પર હાવી ન થવા દીધી

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરવા પોતાના કદમ આગળ વધારે છે અને એમાં ખાસ કરીને મહિલા ત્યારે તેના રસ્તામાં અનેક વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આશા કંડારાએ પાડોશીઓ અને પરિવારની નકારાત્મક વાતોને નકારી, સફાઈ કામદાર તરીકે શેરી સાફ કરવાનું કામ શરૂ કર્યું. અને 40 વર્ષે નાયબ કલેક્ટર બનીને સમાજના એ તમામ લોકોને જોરદાર તમાચો મારે છે જે કહેતા હતા કે આ તે કોઈ ભણવાની ઉંમર છે. મા બાપ જ બુદ્ધિ વગરના છે જે વિધવા છોકરીને ઘરમાં બેસાડવાની જગ્યાએ છૂટ આપીને ભણાવડાવે છે. 

2 साल तक सड़कों पर झाडू लगाया, शादी के बाद पति ने छोड़ा, 2 बच्चों की  जिम्मेदारी उठाई, कुछ ऐसे एक सफाईकर्मी बनी डिप्टी कलेक्टर | Success Story:  Sweeper Asha ...

પરિવાર તરફેણમાં હતો પરંતુ સમાજ વિરૂદ્ધમાં હતો 

આશા કંડારા રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેમના પપ્પા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર છે અને મમ્મી ઘર સંભાળતા હતા. આશાને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારના નિર્ણયો અને દબાણના કારણે 12 સુધી જ ભણી શક્યા અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. લગ્ન જીવન સુંદર ચાલી રહ્યું હતું, તેમને બે બાળકો થયા. પણ જેવા તે 32 વર્ષના થયા તો તેમના છૂટાછેડા થઈ ગયા. જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે તેમના પર બે સંતાનોની જવાબદારી હતી, જ્યારે આશા ઘરે આવ્યા ત્યારે પરિવાર તો આશાની તરફેણમાં હતો પણ સમાજના લોકોએ છૂટાછેડા લેવા પર અનેક ટોણા માર્યા. 


2013માં આશાએ ફરી ભણવાની શરૂઆત કરી

2013માં આશાએ ફરી ભણવાનું શરૂ કર્યું અને 2016માં સ્નાતક પૂરું કર્યું. સ્નાતક પછી આશા મુંજાઈ ગયા હતા કે હવે તે શું કરે કારણ કે ઘણી બધી તક હતી તેમાંથી તેમને શું કરવું તે નક્કી નહોતા કરી શક્તા. ઉપરથી ભણવા બાબતે તેમને કોઈનું સમર્થન પણ મળી ન રહ્યું હતું. છતાંય આવી પરિસ્થિતિમાં આશાએ પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી.લોકો તેમને કેવા કેવા કેવા ટોણા મારતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તું શું કલેક્ટર બનવાની છે... તમારા ખાનદાનમાં કોઈ કલેક્ટર બન્યું છે તો તમે ધંધા કરી રહ્યા છો... 

સફાઈ કામદાર તરીકે આશા કંડારાએ શરૂ કરી નોકરી  

આ ટોણાથી આશાબેન નિરાશ ન થયા. આશા બેન રાજસ્થાન જાહેર સેવા આયોગ માટે પરીક્ષા આપવા તૈયારી કરે છે. આ પહેલા તેમને ગમે ત્યાં નોકરી કરવી જરૂરી હતી. તો 2019માં નગર નિગમમાં સફાઈ કામદાર તરીકે તેમની નોકરી લાગી અને તેમણે કામ શરૂ કરી દીધું. બાળકોને પણ સંભાળતા હતા, તૈયારી પણ કરતા હતા અને સફાઈ પણ કરતા હતા. અંતે આટલા સંઘર્ષ બાદ તે સફળ થાય છે અને નાયબ કલેક્ટર બની જાય છે. 


આશાબેન એ લોકો માટે પ્રેરણા છે જે જલ્દીથી નિરાશ થઈ જાય છે  

આ દર્શાવે છે કે જો તમે મન મક્કમ બનાવીને નક્કી કરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો તો સફળતા તમારા કદમોમાં આવી જશે. આશા બેન સફાઈ કરતા કરતા, બાળકો સંભાળતા સંભાળતા, ઘરનું કામ કરતા કરતા સરકારી અધિકારી બની શકે છે તો આપણે પણ થઈ શકીએ છીએ. જીવનમાં જે પણ બનો, જે પણ સિદ્ધિ હાંસલ કરો, જે પણ જગ્યાએ જોબ કરો જો તમે તેમાં નિષ્ઠાથી કામ કરી રહ્યા છો અને તમે દિલથી ખુશ છો તો તમે સફળ જ કહેવાઓ.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે