સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા વચ્ચે જાણીએ આશા કંડારાની પ્રેરણાત્મક અને સંઘર્ષમય કહાણી વિશે જે તમને ઉર્જાથી ભરી દેશે...


  • Published By :
  • Published Date : 2023-07-29 11:34:26

કહેવાય છે કે જો તમે મજબૂત મનોબળથી કોઈ પણ કાર્ય કરવાનું વિચારી લો છો અને તે તરફ પોતાના પગલા આગળ વધારો છો તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી રહેતી. મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો કોઈ પણ અસંભવ લાગતું કામ સંભવ બની જાય છે. સમાજમાં ફેલાયેલા નકારાત્મકતાઓની વચ્ચે આજે વાત કરવી છે રાજસ્થાનમાં રહેતી આશા કંડારા નામની એક મહિલાની. એ મહિલા, જેને 8 વર્ષ પહેલા પતિ છોડી દે છે, બે દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માથે આવે છે, મા-બાપ બંનેની જવાબદારી આશા કંડારા પર આવી. માથે પરિવારની જવાબદારી હોવા છતાંય 32 વર્ષની ઉંમરે ફરી ભણવાનું શરૂ કરે છે, તનતોડ મહેનત કરે છે.

Motivational Stories - बायोग्राफी एवम् हिंदी कहानियां

આશા કંડારાએ નકારાત્મક્તાને પોતાના પર હાવી ન થવા દીધી

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરવા પોતાના કદમ આગળ વધારે છે અને એમાં ખાસ કરીને મહિલા ત્યારે તેના રસ્તામાં અનેક વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આશા કંડારાએ પાડોશીઓ અને પરિવારની નકારાત્મક વાતોને નકારી, સફાઈ કામદાર તરીકે શેરી સાફ કરવાનું કામ શરૂ કર્યું. અને 40 વર્ષે નાયબ કલેક્ટર બનીને સમાજના એ તમામ લોકોને જોરદાર તમાચો મારે છે જે કહેતા હતા કે આ તે કોઈ ભણવાની ઉંમર છે. મા બાપ જ બુદ્ધિ વગરના છે જે વિધવા છોકરીને ઘરમાં બેસાડવાની જગ્યાએ છૂટ આપીને ભણાવડાવે છે. 

2 साल तक सड़कों पर झाडू लगाया, शादी के बाद पति ने छोड़ा, 2 बच्चों की  जिम्मेदारी उठाई, कुछ ऐसे एक सफाईकर्मी बनी डिप्टी कलेक्टर | Success Story:  Sweeper Asha ...

પરિવાર તરફેણમાં હતો પરંતુ સમાજ વિરૂદ્ધમાં હતો 

આશા કંડારા રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેમના પપ્પા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર છે અને મમ્મી ઘર સંભાળતા હતા. આશાને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારના નિર્ણયો અને દબાણના કારણે 12 સુધી જ ભણી શક્યા અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. લગ્ન જીવન સુંદર ચાલી રહ્યું હતું, તેમને બે બાળકો થયા. પણ જેવા તે 32 વર્ષના થયા તો તેમના છૂટાછેડા થઈ ગયા. જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે તેમના પર બે સંતાનોની જવાબદારી હતી, જ્યારે આશા ઘરે આવ્યા ત્યારે પરિવાર તો આશાની તરફેણમાં હતો પણ સમાજના લોકોએ છૂટાછેડા લેવા પર અનેક ટોણા માર્યા. 


2013માં આશાએ ફરી ભણવાની શરૂઆત કરી

2013માં આશાએ ફરી ભણવાનું શરૂ કર્યું અને 2016માં સ્નાતક પૂરું કર્યું. સ્નાતક પછી આશા મુંજાઈ ગયા હતા કે હવે તે શું કરે કારણ કે ઘણી બધી તક હતી તેમાંથી તેમને શું કરવું તે નક્કી નહોતા કરી શક્તા. ઉપરથી ભણવા બાબતે તેમને કોઈનું સમર્થન પણ મળી ન રહ્યું હતું. છતાંય આવી પરિસ્થિતિમાં આશાએ પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી.લોકો તેમને કેવા કેવા કેવા ટોણા મારતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તું શું કલેક્ટર બનવાની છે... તમારા ખાનદાનમાં કોઈ કલેક્ટર બન્યું છે તો તમે ધંધા કરી રહ્યા છો... 

સફાઈ કામદાર તરીકે આશા કંડારાએ શરૂ કરી નોકરી  

આ ટોણાથી આશાબેન નિરાશ ન થયા. આશા બેન રાજસ્થાન જાહેર સેવા આયોગ માટે પરીક્ષા આપવા તૈયારી કરે છે. આ પહેલા તેમને ગમે ત્યાં નોકરી કરવી જરૂરી હતી. તો 2019માં નગર નિગમમાં સફાઈ કામદાર તરીકે તેમની નોકરી લાગી અને તેમણે કામ શરૂ કરી દીધું. બાળકોને પણ સંભાળતા હતા, તૈયારી પણ કરતા હતા અને સફાઈ પણ કરતા હતા. અંતે આટલા સંઘર્ષ બાદ તે સફળ થાય છે અને નાયબ કલેક્ટર બની જાય છે. 


આશાબેન એ લોકો માટે પ્રેરણા છે જે જલ્દીથી નિરાશ થઈ જાય છે  

આ દર્શાવે છે કે જો તમે મન મક્કમ બનાવીને નક્કી કરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો તો સફળતા તમારા કદમોમાં આવી જશે. આશા બેન સફાઈ કરતા કરતા, બાળકો સંભાળતા સંભાળતા, ઘરનું કામ કરતા કરતા સરકારી અધિકારી બની શકે છે તો આપણે પણ થઈ શકીએ છીએ. જીવનમાં જે પણ બનો, જે પણ સિદ્ધિ હાંસલ કરો, જે પણ જગ્યાએ જોબ કરો જો તમે તેમાં નિષ્ઠાથી કામ કરી રહ્યા છો અને તમે દિલથી ખુશ છો તો તમે સફળ જ કહેવાઓ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.