વૈશ્વિક શાંતિની દિશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું પગલું .


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-08 19:28:28

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના યુ - ટર્ન માટે જાણીતા છે . હવે તેમની પ્લેટફોર્મ X પર એક નવી ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવાની વાત કરી છે. આ ટ્વીટમાં બને દેશો રશિયા અને યુક્રેનને સંવાદ અને સમાધાનના મંચ પર આવવાની તેમણે અપીલ કરી છે ,  જે રશિયા - યુક્રેન યુદ્ધ માટે શાંતિની દિશામાં ખુબ મહત્વપૂર્ણ પગલું મનાય છે  . તો આ તરફ યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે કેમ કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની યુક્રેનને અલગથી સૈન્ય સહાય આપવા પર સહેમત નથી .

તો આવો જાણીએ વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો વિશે.

કોઈ પણ યુદ્ધ હોય કે પછી કોઈ સરહદી વિવાદ એ હંમેશા  દ્વિપક્ષીય સંવાદ કે પછી બહુપક્ષીય સંવાદથી જ તેનો  ઉકેલ આવતો હોય છે . ઉદાહરણ તરીકે , બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિ વાર્તા હોય કે પછી ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછીનું સિમલાનું શિખર સંમેલન હોય.

હાલમાં પૂર્વીય યુરોપમાં રશિયા - યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ માટે શાંતિ ઈચ્છે છે . પરંતુ જે રીતે આજ થી અઠવાડિયા પેહલા તેમણે રશિયા સાથે એક તરફી પહેલ કરીને આ યુદ્ધનો નિવેડો લાવવાની પહેલ કરી તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયી ગયું હતું. જે રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ , યુક્રેનિઅન રાષ્ટ્રપતિ ઝેલનેસકી વચ્ચે પ્રેસવાર્તા દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઇ તેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી .

પરંતુ હવે જગતજમાદાર અમેરિકાને બહુપક્ષીય સંવાદની કિંમત થયી હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે રશિયા સાથે યુક્રેનને સાઈડ લાઈન કરી શાંતિ વાર્તા વિશે વાત કરવી તે અન્યાયપૂર્ણ ગણાશે .

હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્લેટફોર્મ X પર એક મહત્વની ટ્વીટ કરી છે . જેમાં તેમણે કહ્યું છે કે , હકીકતોના આધારે જોઈએ તો રશિયા યુક્રેનને યુદ્ધભૂમિમાં બઉ જ ફટકા મારી રહ્યું છે . હું રશિયા પર મોટા પાયે બેંકિંગ પ્રતિબંધો, અન્ય પ્રતિબંધો અને ટેરિફ લાદવાનો વિચાર કરી રહ્યો છું જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ પર અંતિમ સમાધાન ન થાય. રશિયા અને યુક્રેન માટે, ખૂબ મોડું થાય તે પહેલાં, હમણાં જ ટેબલ પર આવવાની ટ્રમ્પએ બેઉ દેશોને આ ટ્વીટમાં ગુહાર પણ લગાવી છે .

અમેરિકા અને યુરોપે અગાઉથી જ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવેલા છે . દાખલા તરીકે , રશિયાને  આંતરરાષ્ટ્રીય પેયમેન્ટ સિસ્ટમ SWIFT માંથી બરતરફ કરવામાં આવ્યું છે તેનાથી VISA અને માસ્ટરકાર્ડ એ રશિયામાં ના ચાલી શકે .

હવે યુએસ રશિયન બેંકો પર પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં છે . તો બીજી તરફ અમેરિકાએ યુક્રેનને મળતી તમામ

 લશ્કરી સહાય અટકાવી દીધી છે .

આમ યુએસ રશિયા અને યુક્રેનને શાંતિ વાર્તા શરુ કરવા માટે દબાણ કરી રહ્યું છે જે વૈશ્વિક શાંતિની દિશામાં ખુબ  મહત્વનું પગલું છે .

વાત કરીએ યુરોપની તો યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે , કેમ કે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે , યુક્રેન યુદ્ધ લડવા માટે યુરોપિઅન દેશોએ પોતાની સેના અલગથી મોકલવી જરૂરી નથી . 

આમ તેમણે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે આ રીતે અલગથી માત્ર યુરોયીયન દેશોની  સેના મોકલવાના વિચાર પર અસેહમતી દર્શાવી છે .

સાથે જ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ યુક્રેનને NATO સિકયોરિટી કવર આપવાની વાત કરી છે પણ યુક્રેનને NATO નું સભ્યપદ આપવાની તો સ્પષ્ટ ના જ કહી છે .

યુરોપિઅન યુનિયનના સભ્ય દેશોમાં આ રીતે અસેહમતીઓ બહાર આવી રહી છે , વાત કરીએ ઇટાલીની તો તે સ્પષ્ટરીતે સમગ્ર યુરોપ અને અમેરિકા વચ્ચે સંવાદનો એક બ્રિજ એટલેકે એક પુલ બનવા માંગે છે .

તો હવે જોવાનું એ છે કે , રશિયા - યુક્રેન યુદ્ધને લઇને કઈ રીતે એક રસ્તો નીકળે છે .

અમે તમને આ વિષય પર સતત અપડેટ આપતા રહીશું .




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.