વૈશ્વિક શાંતિની દિશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું પગલું .


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-08 19:28:28

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના યુ - ટર્ન માટે જાણીતા છે . હવે તેમની પ્લેટફોર્મ X પર એક નવી ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવાની વાત કરી છે. આ ટ્વીટમાં બને દેશો રશિયા અને યુક્રેનને સંવાદ અને સમાધાનના મંચ પર આવવાની તેમણે અપીલ કરી છે ,  જે રશિયા - યુક્રેન યુદ્ધ માટે શાંતિની દિશામાં ખુબ મહત્વપૂર્ણ પગલું મનાય છે  . તો આ તરફ યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે કેમ કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની યુક્રેનને અલગથી સૈન્ય સહાય આપવા પર સહેમત નથી .

તો આવો જાણીએ વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો વિશે.

કોઈ પણ યુદ્ધ હોય કે પછી કોઈ સરહદી વિવાદ એ હંમેશા  દ્વિપક્ષીય સંવાદ કે પછી બહુપક્ષીય સંવાદથી જ તેનો  ઉકેલ આવતો હોય છે . ઉદાહરણ તરીકે , બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિ વાર્તા હોય કે પછી ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછીનું સિમલાનું શિખર સંમેલન હોય.

હાલમાં પૂર્વીય યુરોપમાં રશિયા - યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ માટે શાંતિ ઈચ્છે છે . પરંતુ જે રીતે આજ થી અઠવાડિયા પેહલા તેમણે રશિયા સાથે એક તરફી પહેલ કરીને આ યુદ્ધનો નિવેડો લાવવાની પહેલ કરી તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયી ગયું હતું. જે રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ , યુક્રેનિઅન રાષ્ટ્રપતિ ઝેલનેસકી વચ્ચે પ્રેસવાર્તા દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઇ તેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી .

પરંતુ હવે જગતજમાદાર અમેરિકાને બહુપક્ષીય સંવાદની કિંમત થયી હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે રશિયા સાથે યુક્રેનને સાઈડ લાઈન કરી શાંતિ વાર્તા વિશે વાત કરવી તે અન્યાયપૂર્ણ ગણાશે .

હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્લેટફોર્મ X પર એક મહત્વની ટ્વીટ કરી છે . જેમાં તેમણે કહ્યું છે કે , હકીકતોના આધારે જોઈએ તો રશિયા યુક્રેનને યુદ્ધભૂમિમાં બઉ જ ફટકા મારી રહ્યું છે . હું રશિયા પર મોટા પાયે બેંકિંગ પ્રતિબંધો, અન્ય પ્રતિબંધો અને ટેરિફ લાદવાનો વિચાર કરી રહ્યો છું જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ પર અંતિમ સમાધાન ન થાય. રશિયા અને યુક્રેન માટે, ખૂબ મોડું થાય તે પહેલાં, હમણાં જ ટેબલ પર આવવાની ટ્રમ્પએ બેઉ દેશોને આ ટ્વીટમાં ગુહાર પણ લગાવી છે .

અમેરિકા અને યુરોપે અગાઉથી જ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવેલા છે . દાખલા તરીકે , રશિયાને  આંતરરાષ્ટ્રીય પેયમેન્ટ સિસ્ટમ SWIFT માંથી બરતરફ કરવામાં આવ્યું છે તેનાથી VISA અને માસ્ટરકાર્ડ એ રશિયામાં ના ચાલી શકે .

હવે યુએસ રશિયન બેંકો પર પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં છે . તો બીજી તરફ અમેરિકાએ યુક્રેનને મળતી તમામ

 લશ્કરી સહાય અટકાવી દીધી છે .

આમ યુએસ રશિયા અને યુક્રેનને શાંતિ વાર્તા શરુ કરવા માટે દબાણ કરી રહ્યું છે જે વૈશ્વિક શાંતિની દિશામાં ખુબ  મહત્વનું પગલું છે .

વાત કરીએ યુરોપની તો યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે , કેમ કે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે , યુક્રેન યુદ્ધ લડવા માટે યુરોપિઅન દેશોએ પોતાની સેના અલગથી મોકલવી જરૂરી નથી . 

આમ તેમણે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે આ રીતે અલગથી માત્ર યુરોયીયન દેશોની  સેના મોકલવાના વિચાર પર અસેહમતી દર્શાવી છે .

સાથે જ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ યુક્રેનને NATO સિકયોરિટી કવર આપવાની વાત કરી છે પણ યુક્રેનને NATO નું સભ્યપદ આપવાની તો સ્પષ્ટ ના જ કહી છે .

યુરોપિઅન યુનિયનના સભ્ય દેશોમાં આ રીતે અસેહમતીઓ બહાર આવી રહી છે , વાત કરીએ ઇટાલીની તો તે સ્પષ્ટરીતે સમગ્ર યુરોપ અને અમેરિકા વચ્ચે સંવાદનો એક બ્રિજ એટલેકે એક પુલ બનવા માંગે છે .

તો હવે જોવાનું એ છે કે , રશિયા - યુક્રેન યુદ્ધને લઇને કઈ રીતે એક રસ્તો નીકળે છે .

અમે તમને આ વિષય પર સતત અપડેટ આપતા રહીશું .




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.