અંધશ્રદ્ધામાં ગીર સોમનાથની બાળકીની હત્યા તેના પિતા-મોટાબાપુજીએ જ કરી હતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:44:49

તાલાલામાં તાત્રિક વિધિએ 14 વર્ષની બાળકીનો ભોગ લીધો?

રૂપિયા મેળવવાના લાલચે પિતાએ દીકરી પર કરી હતી વિધિ?

બાળકીનું મોત થયા બાદ તેને જીવતી કરવા પ્રયાસ કરાયા હતા!

પોલીસે પુરવા ફોરેન્સિક તપાસ માટે મોકલીને પૂછપરછ શરુ કરી.

14 વર્ષની દીકરીને વિધિના નામે તેના બાપ ભાવેશે ભારે યાતનાઓ આપી

દીકરીની સામે જ તેના કપડાંનો ઢગલો સળગાવી દીધો હતો અને ટોર્ચર કરી

બાપે ધૈર્યાને શેરડીના ખેતર વચ્ચે બાંધી દઈને પાણી-ખોરાક નહોતા આપ્યા


પિતા અને મોટાબાપુજી પોલીસના સકંજામાં 


21મી સદીના ટેક્નોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ લોકોના ભોગ લઈ રહી છે. ગીર સોમનાથના તાલાલામાં બનેલી ઘટનામાં પિતાએ દીકરી પર કરેલી તાંત્રિક વિધિ દરમિયાન 14 વર્ષની માસૂમનું મોત થયું હોવાની કથિત ઘટના સામે આવી છે. નવરાત્રીની આઠમ દરમિયાન બનેલી ઘટના અંગે પોલીસને 12 ઓક્ટો જાણ થતાં પુરાવા એકઠા કરીને તથા પિતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે કેટલાક પુરાવા ફોરેન્સિક તપાસ માટે પણ મોકલ્યા છે.


તાલાલામાં તાંત્રિક વિધિએ 14 વર્ષની બાળકીનો ભોગ લીધો? પોલીસ કરી રહી છે તપાસ


ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 14 વર્ષની બાળકી પર તાત્રિક વિધિ કરીને હત્યા કરવામાં આવી હોવાની કથિત ઘટના સામે આવી છે. બાળકી ધૈયાના પિતા ભાવેશ ગોપાલ અકબરીની માનસિક વિકૃતિએ પુત્રીનો ભોગ લીધો હોવાની શંકાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં ધંધો કરતા ભાવેશ અકબરીની પુત્રીનું આઠમા નોરતે તાંત્રિક વિધિ દરમિયાન મોત થયું હોવાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે બનાવના સ્થળ પરથી કુંકુ-ચૂંદડી સહિતની સામગ્રી કબજે લઈને તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે પૂછપરછ કરતા બાળકીના પિતા ભાવેશે બીમારી સહિતના ગોળ-ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. આ કેસમાં હવન અષ્ટમીએ બાળકીની બલી ચઢાવવામાં આવી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


ગઇકાલે પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી


14 વર્ષની છોકરીને 2 કલાક સુધી તાપણાની નજીક ઉભી રાખવામાં આવી હતી અને તેના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 12 તારીખે આ મામલે પોલીસને જાણ થતા તપાસ શરુ કરવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે ગીર સોમનાથના તાલાલા ના ધાવાગીર ગામની વાડીમાં અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષની માસૂમ દીકરીનો ભાવેશે ભોગ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાળકીનું તાત્રિક વિધિ ધરમિયાન મોત થયા પછી તેના મૃતદેહને ચાર દિવસ સુધી ગોદડામાં લપેટેલો રાખીને તેને જીવતી કરવાના પ્રયાસ પણ મૃતકના પિતા ભાવેશ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધાવાગીર ગામની વાડીમાં બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે.


ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની ધૈયા પર તાંત્રિક વિધિ કરીને તેની બલિ ચઢાવવામાં આવી છે કે તે અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. ધૈયાના પિતાને આ મામલે પૂછપરછ કરવામાં આવી તો તેણે અટપટા જવાબો આપ્યા છે, હવે પોલીસ આ મામલે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરી રહી છે.


આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે માસૂમના પિતાએ કોઈને જાણ કર્યા વગર રાત્રે બે વાગ્યે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ કેસમાં તાંત્રિક વિધિ અંગે બાળકીના પિતા ભાવેશ અકબરી તથા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી પરંતુ ઘટના શંકાસ્પદ લાગી રહી છે. આ કેસમાં ફોરેન્સિક પરીક્ષણ બાદ જ બલિ ચઢાવાઈ છે કે કેમ તે અંગેની હકીકત બહાર આવશે.


બાળકીની હત્યા માટે જવાબદાર કોણ?


નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યાં સ્ત્રીને માતાનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે ત્યારે કથિત વિકૃત માનસત ધરાવતા પિતાએ કરેલી કરતૂત અંગે લોકો ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ પણ આ કેસના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો કરી રહી છે. પુરાવા એકઠા કરીને તેને એફએસએલમાં મોકલવા સહિત અલગ-અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે મૃતક બાળકીના પરિવારના પાંચ જેટલા સભ્યોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ધન પ્રાપ્તિ માટે દીકરી પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાના મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.