ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર, કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે કરી જાણ


  • Published By :
  • Published Date : 2023-05-08 20:21:53

ગુજરાત સરકારના કર્મચારીઓના સ્માર્ટ ફોનમાં હવે Jio ટ્યુન સાભળવા મળશે. ગુજરાત સરકારે અચાનક જ એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ટેલિકોમ કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. સરકારે કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે જાણ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ વોડાફોન-આઈડિયા  કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી કર્મચારીઓને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરનારી કંપની બદલાશે પણ જુના નંબરો યથાવત રહેશે એટલે કે તે નંબરો બદલાશે નહીં.


કર્મચારીઓને શું લાભ થશે?


સરકારે એક પરિપત્ર બહાર પાડીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરી છે. એ મુજબ સરકારી કર્મચારીઓ માત્ર 37.50ના મંથલી રેન્ટલ પર Jioનો CUG પ્લાન લઈ શકશે. જેમાં 60 સેકન્ડની પલ્સ રેટ રહેશે. કોઈ પણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર SMS ફ્રી રહેશે. ત્યાર બાદ પ્રતિ SMSના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય SMS કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.


સરકારી કર્મચારીઓને પ્રતિ માસ 30 જીબી 4જી ડેટા વાપરવા મળશે. જોકે પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબી 4જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. 4જીનો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે.


રિલાયન્સ Jioનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. ઉપરાંત અનલિમિટેડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો ખર્ચવા પડશે.


મોબાઈલ સર્વિસ માટે સરકારે બહાર પાડ્યું હતું ટેન્ડર


ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે 3 નવેમ્બરે એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના સચિવાલય સહિતના કર્મચારીઓ અને અધિકારી માટે મોબાઈલ ફોન સેવા માટે એક ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં રિલાયન્સ Jio ઈન્ફોકોમે અમદાવાદ દ્વારા બે વર્ષ માટે આ બીડ કરાઈ હોવાનું શરતોમાં સામેલ છે.



૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.