ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર, કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે કરી જાણ


  • Published By :
  • Published Date : 2023-05-08 20:21:53

ગુજરાત સરકારના કર્મચારીઓના સ્માર્ટ ફોનમાં હવે Jio ટ્યુન સાભળવા મળશે. ગુજરાત સરકારે અચાનક જ એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ટેલિકોમ કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. સરકારે કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે જાણ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ વોડાફોન-આઈડિયા  કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી કર્મચારીઓને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરનારી કંપની બદલાશે પણ જુના નંબરો યથાવત રહેશે એટલે કે તે નંબરો બદલાશે નહીં.


કર્મચારીઓને શું લાભ થશે?


સરકારે એક પરિપત્ર બહાર પાડીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરી છે. એ મુજબ સરકારી કર્મચારીઓ માત્ર 37.50ના મંથલી રેન્ટલ પર Jioનો CUG પ્લાન લઈ શકશે. જેમાં 60 સેકન્ડની પલ્સ રેટ રહેશે. કોઈ પણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર SMS ફ્રી રહેશે. ત્યાર બાદ પ્રતિ SMSના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય SMS કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.


સરકારી કર્મચારીઓને પ્રતિ માસ 30 જીબી 4જી ડેટા વાપરવા મળશે. જોકે પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબી 4જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. 4જીનો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે.


રિલાયન્સ Jioનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. ઉપરાંત અનલિમિટેડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો ખર્ચવા પડશે.


મોબાઈલ સર્વિસ માટે સરકારે બહાર પાડ્યું હતું ટેન્ડર


ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે 3 નવેમ્બરે એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના સચિવાલય સહિતના કર્મચારીઓ અને અધિકારી માટે મોબાઈલ ફોન સેવા માટે એક ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં રિલાયન્સ Jio ઈન્ફોકોમે અમદાવાદ દ્વારા બે વર્ષ માટે આ બીડ કરાઈ હોવાનું શરતોમાં સામેલ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.