Gujarat Weather - વધ્યું વરસાદનું જોર, રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, સાંભળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


  • Published By :
  • Published Date : 2024-07-29 18:58:16

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. બે દિવસ માટે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે. આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત અંબાલાલ પટેલે કરી છે.   અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

આજ સવારથી જામ્યો છે વરસાદી માહોલ 

રાજ્યમાં ફરી  એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. 



આ તારીખો દરમિયાન આવી શકે છે વરસાદ!

આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાંઓની સાથે વરસાદ થશે. આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે. 



તમારે ત્યાં કેવો છે માહોલ?

મહત્વનું છે કે આ વખતે ચોમાસાની પેટન એકદમ અલગ જોવા મળી હતી. જ્યાં હતો ત્યાં ખુબ વરસાદ હતો અને જ્યાં વરસાદ ના હતો ત્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા હતા. દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.