Gujarat Weather - વધ્યું વરસાદનું જોર, રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, સાંભળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


  • Published By :
  • Published Date : 2024-07-29 18:58:16

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. બે દિવસ માટે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે. આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત અંબાલાલ પટેલે કરી છે.   અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

આજ સવારથી જામ્યો છે વરસાદી માહોલ 

રાજ્યમાં ફરી  એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. 



આ તારીખો દરમિયાન આવી શકે છે વરસાદ!

આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાંઓની સાથે વરસાદ થશે. આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે. 



તમારે ત્યાં કેવો છે માહોલ?

મહત્વનું છે કે આ વખતે ચોમાસાની પેટન એકદમ અલગ જોવા મળી હતી. જ્યાં હતો ત્યાં ખુબ વરસાદ હતો અને જ્યાં વરસાદ ના હતો ત્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા હતા. દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.