Gujarat Weather - વધ્યું વરસાદનું જોર, રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, સાંભળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


  • Published By :
  • Published Date : 2024-07-29 18:58:16

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. બે દિવસ માટે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે. આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત અંબાલાલ પટેલે કરી છે.   અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

આજ સવારથી જામ્યો છે વરસાદી માહોલ 

રાજ્યમાં ફરી  એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. 



આ તારીખો દરમિયાન આવી શકે છે વરસાદ!

આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાંઓની સાથે વરસાદ થશે. આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે. 



તમારે ત્યાં કેવો છે માહોલ?

મહત્વનું છે કે આ વખતે ચોમાસાની પેટન એકદમ અલગ જોવા મળી હતી. જ્યાં હતો ત્યાં ખુબ વરસાદ હતો અને જ્યાં વરસાદ ના હતો ત્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા હતા. દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.