શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો,આંતરરાષ્ટ્રિય કાયદો શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 17:55:58

ભારતના ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિગ કરતા સમગ્ર દેશ અને વિદેશમાં પણ 'મૂન મિશન'ની ચર્ચા થઈ રહી છે અને હવે  કેટલાક લોકો ચંદ્ર પર જમીન ખરીદવાના પણ સપના જોઈ રહ્યા છે. જો કે આ ક્ષણે સવાલ એ થાય કે શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે? ઉલ્લેખનિય છે કે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિગ કરનારો ભારત વિશ્વમાં એક માત્ર દેશ છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર ભારત ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. તો શું આ ચાર દેશો જ ચંદ્રની જમીન પર દાવો કરી શકે છે? આવો જાણીએ આ મામલે આંતરરાષ્ટ્રિય કાયદો શું કહે છે?


અંતરીક્ષ સંધિ શું કહે છે?


સોવિયેત સંઘે ઓક્ટોબર 1957માં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક-1 લોન્ચ કર્યો હતો. આ પ્રક્ષેપણે અવકાશમાં શક્યતાઓનું એક સંપૂર્ણ નવું ક્ષેત્ર ખોલ્યું હતું. તેમાંથી કેટલીક શક્યતાઓ વૈજ્ઞાનિક હતી, પરંતુ કેટલીક કાયદેસર હતી. એક દાયકા પછી, આંતરરાષ્ટ્રીય સમુદાયે બાહ્ય અંતરીક્ષ સંધિનો મુસદ્દો તૈયાર કર્યો, જે અવકાશ સંબંધિત પ્રથમ કાનૂની દસ્તાવેજ છે. આ સંધિ આજે અવકાશ કાયદાનો સૌથી પ્રભાવશાળી ભાગ છે, તેમ છતાં તેનો અમલ કરવો કુખ્યાત રીતે મુશ્કેલ છે. યુનિવર્સિટી ઑફ મિસિસિપી સ્કૂલ ઑફ લૉના અવકાશ કાયદાના નિષ્ણાત મિશેલ હેનલોને કહ્યું કે આ માત્ર માર્ગદર્શિકા અને સિદ્ધાંતો છે. હેનલોનું કહેવું છે કે અંતરીક્ષ સંધિ સ્પષ્ટપણે અવકાશમાં જમીનના કબજા વિશે જણાવે છે. સંધિની કલમ 2 મુજબ, કોઈપણ દેશ અવકાશ અથવા અવકાશી પદાર્થના કોઈપણ ભાગ પર પોતાનો કબજો જાહેર કરી શકતો નથી. કોઈ પણ દેશ ચંદ્ર પર સાર્વભૌમત્વનો દાવો કરી શકે નહીં. જો કે, જ્યારે ચંદ્ર પર  બેઝ બનાવવાની વાત આવે છે, ત્યારે વસ્તુઓ અસ્પષ્ટ બની જાય છે. હેનલોન કહે છે કે બેઝ એ એક પ્રકારનો પ્રદેશ પર કબજો જ છે.


 અંતરિક્ષમાં પ્રોપર્ટી ઉભી કરી શકાય?


સંધિની કલમ 3 મુજબ, કોઈપણ વ્યક્તિને બાહ્ય અવકાશમાં મિલકત ધરાવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ વ્યક્તિ ચંદ્ર પર ઘર બનાવી શકે છે અને તેના પર પોતાનો દાવો કરી શકે છે. કેટલાક લોકોએ ચંદ્રના કેટલાક ભાગો હોવાનો દાવો કર્યો છે. જો કે, કલમ 12 આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવી શકે છે. તે જણાવે છે કે કોઈપણ અન્ય અવકાશી પદાર્થ પર કોઈપણ પ્રકારની સ્થાપના બધા દ્વારા ઉપયોગ માટે હોવી જોઈએ. આ સાથે, જ કોઈપણ વ્યાપારી અથવા સ્વતંત્ર એકમને સ્વતંત્ર ગણવાને બદલે, તે તે દેશનું હોવાનું માનવામાં આવશે.


ચંદ્ર પર જમીન ખરીદવી કાયદેસર છે કે ગેરકાયદે?


10 ઓક્ટોબર, 1967ની આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર, ચંદ્ર પર જમીન ખરીદવી ગેરકાયદેસર છે. આઉટર સ્પેસ ટ્રીટી એ અવકાશમાં પહેલો કાનૂની દસ્તાવેજ હતો, જે ચંદ્ર અથવા પૃથ્વી સિવાયના કોઈ પણ ગ્રહ પર જમીન ખરીદવાની કાયદેસર પરવાનગી આપતું નથી. આ કરાર પર ભારત સહિત 109 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. સંધિ અનુસાર, બાહ્ય અવકાશ પર કોઈ પણ દેશનો અધિકાર નથી. આમાં, અવકાશયાત્રીઓના સંબંધમાં, એવું કહેવામાં આવ્યું હતું કે અંતરિક્ષમાં સ્ટડી કરવી એ તમામ દેશોના ફાયદા માટે જ છે.


ચંદ્ર પર જમીન કોણ વેચી રહ્યું છે?


ચંદ્ર પર જમીન ખરીદવી ગેરકાયદેસર છે, છતાં ઘણા લોકોએ જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુના સોસાયટી ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ લુનાર રજિસ્ટ્રી જેવી કંપનીઓ ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 37.50 ડોલર છે, એટલે કે તમે લગભગ 3075 રૂપિયા ખર્ચીને ચંદ્ર પર તમારા માટે એક એકર જમીન ખરીદી શકો છો. આ કંપનીઓનું કહેવું છે કે ઘણા દેશોએ તેમને આ માટે અધિકૃત કર્યા છે, જો કે તેમની પાસે આ વાતનો કોઈ પુરાવો નથી.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.