શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો,આંતરરાષ્ટ્રિય કાયદો શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 17:55:58

ભારતના ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિગ કરતા સમગ્ર દેશ અને વિદેશમાં પણ 'મૂન મિશન'ની ચર્ચા થઈ રહી છે અને હવે  કેટલાક લોકો ચંદ્ર પર જમીન ખરીદવાના પણ સપના જોઈ રહ્યા છે. જો કે આ ક્ષણે સવાલ એ થાય કે શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે? ઉલ્લેખનિય છે કે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિગ કરનારો ભારત વિશ્વમાં એક માત્ર દેશ છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર ભારત ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. તો શું આ ચાર દેશો જ ચંદ્રની જમીન પર દાવો કરી શકે છે? આવો જાણીએ આ મામલે આંતરરાષ્ટ્રિય કાયદો શું કહે છે?


અંતરીક્ષ સંધિ શું કહે છે?


સોવિયેત સંઘે ઓક્ટોબર 1957માં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક-1 લોન્ચ કર્યો હતો. આ પ્રક્ષેપણે અવકાશમાં શક્યતાઓનું એક સંપૂર્ણ નવું ક્ષેત્ર ખોલ્યું હતું. તેમાંથી કેટલીક શક્યતાઓ વૈજ્ઞાનિક હતી, પરંતુ કેટલીક કાયદેસર હતી. એક દાયકા પછી, આંતરરાષ્ટ્રીય સમુદાયે બાહ્ય અંતરીક્ષ સંધિનો મુસદ્દો તૈયાર કર્યો, જે અવકાશ સંબંધિત પ્રથમ કાનૂની દસ્તાવેજ છે. આ સંધિ આજે અવકાશ કાયદાનો સૌથી પ્રભાવશાળી ભાગ છે, તેમ છતાં તેનો અમલ કરવો કુખ્યાત રીતે મુશ્કેલ છે. યુનિવર્સિટી ઑફ મિસિસિપી સ્કૂલ ઑફ લૉના અવકાશ કાયદાના નિષ્ણાત મિશેલ હેનલોને કહ્યું કે આ માત્ર માર્ગદર્શિકા અને સિદ્ધાંતો છે. હેનલોનું કહેવું છે કે અંતરીક્ષ સંધિ સ્પષ્ટપણે અવકાશમાં જમીનના કબજા વિશે જણાવે છે. સંધિની કલમ 2 મુજબ, કોઈપણ દેશ અવકાશ અથવા અવકાશી પદાર્થના કોઈપણ ભાગ પર પોતાનો કબજો જાહેર કરી શકતો નથી. કોઈ પણ દેશ ચંદ્ર પર સાર્વભૌમત્વનો દાવો કરી શકે નહીં. જો કે, જ્યારે ચંદ્ર પર  બેઝ બનાવવાની વાત આવે છે, ત્યારે વસ્તુઓ અસ્પષ્ટ બની જાય છે. હેનલોન કહે છે કે બેઝ એ એક પ્રકારનો પ્રદેશ પર કબજો જ છે.


 અંતરિક્ષમાં પ્રોપર્ટી ઉભી કરી શકાય?


સંધિની કલમ 3 મુજબ, કોઈપણ વ્યક્તિને બાહ્ય અવકાશમાં મિલકત ધરાવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ વ્યક્તિ ચંદ્ર પર ઘર બનાવી શકે છે અને તેના પર પોતાનો દાવો કરી શકે છે. કેટલાક લોકોએ ચંદ્રના કેટલાક ભાગો હોવાનો દાવો કર્યો છે. જો કે, કલમ 12 આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવી શકે છે. તે જણાવે છે કે કોઈપણ અન્ય અવકાશી પદાર્થ પર કોઈપણ પ્રકારની સ્થાપના બધા દ્વારા ઉપયોગ માટે હોવી જોઈએ. આ સાથે, જ કોઈપણ વ્યાપારી અથવા સ્વતંત્ર એકમને સ્વતંત્ર ગણવાને બદલે, તે તે દેશનું હોવાનું માનવામાં આવશે.


ચંદ્ર પર જમીન ખરીદવી કાયદેસર છે કે ગેરકાયદે?


10 ઓક્ટોબર, 1967ની આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર, ચંદ્ર પર જમીન ખરીદવી ગેરકાયદેસર છે. આઉટર સ્પેસ ટ્રીટી એ અવકાશમાં પહેલો કાનૂની દસ્તાવેજ હતો, જે ચંદ્ર અથવા પૃથ્વી સિવાયના કોઈ પણ ગ્રહ પર જમીન ખરીદવાની કાયદેસર પરવાનગી આપતું નથી. આ કરાર પર ભારત સહિત 109 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. સંધિ અનુસાર, બાહ્ય અવકાશ પર કોઈ પણ દેશનો અધિકાર નથી. આમાં, અવકાશયાત્રીઓના સંબંધમાં, એવું કહેવામાં આવ્યું હતું કે અંતરિક્ષમાં સ્ટડી કરવી એ તમામ દેશોના ફાયદા માટે જ છે.


ચંદ્ર પર જમીન કોણ વેચી રહ્યું છે?


ચંદ્ર પર જમીન ખરીદવી ગેરકાયદેસર છે, છતાં ઘણા લોકોએ જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુના સોસાયટી ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ લુનાર રજિસ્ટ્રી જેવી કંપનીઓ ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 37.50 ડોલર છે, એટલે કે તમે લગભગ 3075 રૂપિયા ખર્ચીને ચંદ્ર પર તમારા માટે એક એકર જમીન ખરીદી શકો છો. આ કંપનીઓનું કહેવું છે કે ઘણા દેશોએ તેમને આ માટે અધિકૃત કર્યા છે, જો કે તેમની પાસે આ વાતનો કોઈ પુરાવો નથી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.