જાણો! PM મોદીના ગુજરાત પ્રવાસની પળેપળની વિગતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:15:47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 11 ઓક્ટોબર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા સમયની જ વાર છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14,500 કરોડથી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે. ગત મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. 


પ્રધાનમંત્રી આવતીકાલે મોઢેરા મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણાના મોઢેરામાં અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સાંજે પોણા સાત વાગ્યે મોઢેશ્વરી માતાની પૂજા અને દર્શન કરશે. મોઢેશ્વરી માતાની પૂજા બાદ સાંજે સાડા સાત કલાકે મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેશે. મોઢેરા ગામને 1300 રૂફટોપ સાથે ભારતના પ્રથમ 24X7 સૌરઊર્જાથી ચાલતા ગામ તરીકે જાહેર કરવામાં આવશે. મહેસાણામાં 3900 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.



પ્રધાનમંત્રીની ઉત્તર ગુજરાતની બીજી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અગાઉની મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતના અંબાજી ખાતે મુલાકાત કરી હતી. અંબાજી બનાસકાંઠા જિલ્લામાં છે ત્યારે આ મુલાકાતનું મોઢેરા મહેસાણા જિલ્લામાં છે. પ્રધાનમંત્રીનું વતન ઉત્તર ગુજરાતનું વડનગર છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. અર્બુદા સેના પણ તેમને સાથ આપી રહી છે. મહેસાણાના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાલ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. આસમાન સે ગીરે ખજુર પર અટકે જેવી સ્થિતિ વચ્ચે તેઓ પણ સતત ભાજપ તરફ અવનવા નિવેદનો આપી રહ્યા છે. નવી કેબિનેટમાં ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની પણ ત્યાંના નેતાઓ સાથે ખટરાગ ચાલી રહ્યો છે. સમગ્ર બાબત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જાદુ કેવી રીતે ચલાવશે તે હવે જોવાનું રહેશે. 


10 ઓક્ટોબરે ભરૂચ-અમદાવાદ-જામનગર મુલાકાતે 

સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી ભરૂચના આમોદની મુલાકાત કરશે અને ત્યાં 8 હજાર કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. બપોરે સવા ત્રણ કલાકે પ્રધાનમંત્રી અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે જામનગર ખાતે અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1300 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ સુવિધાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જ્યારે જામનગરમાં 1460 કરોડના ખર્ચથી સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને માળખાકીય સુવિધાનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે.


11 ઓક્ટોબરે અમદાવાદના અસારવા ખાતે કાર્યક્રમ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે બપોરે સવા બે વાગ્યે અમદાવાદની અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટનું લોકાર્પણ શિલાન્યાસ કરશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરામાં આવશે. 


જામગરનું રાજકીય ગણિત 

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત વિકાસલક્ષી છે છતાં થોડું જામનગર વિસ્તારની રાજકીય ચર્ચા પણ કરી લઈએ. વર્ષ 1985થી વસંત સંઘવીના સમયથી જામનગરમાં ભાજપનું એકહથ્થું શાસન છે. જામનગર ઉત્તર અને દક્ષિણમાં ધારાસભ્યો છે તે પૂર્વ મંત્રીઓ છે. જામગનર ઉત્તરમાં હકુભા અને જામનગર દક્ષિણથી આરસી ફળદુ ધારાસભ્ય છે. જામનગર શહેરમાં કમિટેડ વોટર ભાજપના છે. જામનગર મહાનગરપાલિકા પણ ભાજપના પ્રભાવ હેઠળની છે. જામનગર શહેરમાં સૌથી વધુ કોર્પોરેટર પણ ભાજપના છે. જામનગર ગ્રામ્ય વિસ્તારની બેઠકમાં મુસ્લીમ બેઠક વધુ છે છતાં રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી જીતીને ધારાસભ્ય બન્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે જામનગરમાં 3 બેઠક બીએસપીની આવી હતી.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.