Rajkot - આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ, પોલીસે નોંધ્યો ગુન્હો...


  • Published By :
  • Published Date : 2024-07-31 16:40:23

શાળાને આપણે ત્યાં એકદમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.. શાળામાં ભણીને દેશના ભાવિનું ઘડતર થાય છે.. પરંતુ અનેક વખત અનેક સ્થળોથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને થાય કે શું હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું..! આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.


વિદ્યાધામમાં કરવામાં આવ્યું શારીરિક શોષણ! 

બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોને લાંછન લગાડે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે   શિક્ષણ ધામમાં શારીરિક શોષણના સમાચાર આટકોટથી સામે આવ્યા છે. આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ કર્યા હોવાનો બનાવ આવ્યો સામે.. છેલ્લા એક વર્ષથી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિદ્યાર્થીનિનું શારીરિક શોષણ કરતા હતા તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


આ લોકો વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

જે બે લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તે છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી.. પરેશ રાદડિયા ડી.બી.એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ્યારે મધુ ટાઢાણીને કલરકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી જિલ્લા ભાજપના આગેવાનો છે. ફરિયાદને પગલે પોલીસે બંનેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. 



પોલીસે ફરિયાદ નોંધી પકડવાની કવાયત શરૂ કરી છે પરંતુ... 

મહત્વનું છે કે જ્યારે નેતાઓ ભાજપનો ખેસ પેહરે છે તો તેમને કંઈ પણ કરવાનો હક મળી ગયો છે તેવું તેમને લાગે છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે દુર્ઘટનાઓના અંતમાં તેનું કનેક્શન ભાજપના નેતા સાથે મળી આવે છે.. પોલીસે પકડવાની કવાયત તો હાથ ધરી છે જોવું રહ્યું કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરે છે.?



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.