Rajkot - આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ, પોલીસે નોંધ્યો ગુન્હો...


  • Published By :
  • Published Date : 2024-07-31 16:40:23

શાળાને આપણે ત્યાં એકદમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.. શાળામાં ભણીને દેશના ભાવિનું ઘડતર થાય છે.. પરંતુ અનેક વખત અનેક સ્થળોથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને થાય કે શું હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું..! આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.


વિદ્યાધામમાં કરવામાં આવ્યું શારીરિક શોષણ! 

બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોને લાંછન લગાડે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે   શિક્ષણ ધામમાં શારીરિક શોષણના સમાચાર આટકોટથી સામે આવ્યા છે. આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ કર્યા હોવાનો બનાવ આવ્યો સામે.. છેલ્લા એક વર્ષથી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિદ્યાર્થીનિનું શારીરિક શોષણ કરતા હતા તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


આ લોકો વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

જે બે લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તે છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી.. પરેશ રાદડિયા ડી.બી.એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ્યારે મધુ ટાઢાણીને કલરકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી જિલ્લા ભાજપના આગેવાનો છે. ફરિયાદને પગલે પોલીસે બંનેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. 



પોલીસે ફરિયાદ નોંધી પકડવાની કવાયત શરૂ કરી છે પરંતુ... 

મહત્વનું છે કે જ્યારે નેતાઓ ભાજપનો ખેસ પેહરે છે તો તેમને કંઈ પણ કરવાનો હક મળી ગયો છે તેવું તેમને લાગે છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે દુર્ઘટનાઓના અંતમાં તેનું કનેક્શન ભાજપના નેતા સાથે મળી આવે છે.. પોલીસે પકડવાની કવાયત તો હાથ ધરી છે જોવું રહ્યું કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરે છે.?



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.