Rajkot - આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ, પોલીસે નોંધ્યો ગુન્હો...


  • Published By :
  • Published Date : 2024-07-31 16:40:23

શાળાને આપણે ત્યાં એકદમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.. શાળામાં ભણીને દેશના ભાવિનું ઘડતર થાય છે.. પરંતુ અનેક વખત અનેક સ્થળોથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને થાય કે શું હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું..! આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.


વિદ્યાધામમાં કરવામાં આવ્યું શારીરિક શોષણ! 

બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોને લાંછન લગાડે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે   શિક્ષણ ધામમાં શારીરિક શોષણના સમાચાર આટકોટથી સામે આવ્યા છે. આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ કર્યા હોવાનો બનાવ આવ્યો સામે.. છેલ્લા એક વર્ષથી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિદ્યાર્થીનિનું શારીરિક શોષણ કરતા હતા તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


આ લોકો વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

જે બે લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તે છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી.. પરેશ રાદડિયા ડી.બી.એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ્યારે મધુ ટાઢાણીને કલરકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી જિલ્લા ભાજપના આગેવાનો છે. ફરિયાદને પગલે પોલીસે બંનેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. 



પોલીસે ફરિયાદ નોંધી પકડવાની કવાયત શરૂ કરી છે પરંતુ... 

મહત્વનું છે કે જ્યારે નેતાઓ ભાજપનો ખેસ પેહરે છે તો તેમને કંઈ પણ કરવાનો હક મળી ગયો છે તેવું તેમને લાગે છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે દુર્ઘટનાઓના અંતમાં તેનું કનેક્શન ભાજપના નેતા સાથે મળી આવે છે.. પોલીસે પકડવાની કવાયત તો હાથ ધરી છે જોવું રહ્યું કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરે છે.?



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.