Rajkot - આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ, પોલીસે નોંધ્યો ગુન્હો...


  • Published By :
  • Published Date : 2024-07-31 16:40:23

શાળાને આપણે ત્યાં એકદમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.. શાળામાં ભણીને દેશના ભાવિનું ઘડતર થાય છે.. પરંતુ અનેક વખત અનેક સ્થળોથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને થાય કે શું હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું..! આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.


વિદ્યાધામમાં કરવામાં આવ્યું શારીરિક શોષણ! 

બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોને લાંછન લગાડે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે   શિક્ષણ ધામમાં શારીરિક શોષણના સમાચાર આટકોટથી સામે આવ્યા છે. આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ કર્યા હોવાનો બનાવ આવ્યો સામે.. છેલ્લા એક વર્ષથી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિદ્યાર્થીનિનું શારીરિક શોષણ કરતા હતા તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


આ લોકો વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

જે બે લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તે છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી.. પરેશ રાદડિયા ડી.બી.એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ્યારે મધુ ટાઢાણીને કલરકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી જિલ્લા ભાજપના આગેવાનો છે. ફરિયાદને પગલે પોલીસે બંનેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. 



પોલીસે ફરિયાદ નોંધી પકડવાની કવાયત શરૂ કરી છે પરંતુ... 

મહત્વનું છે કે જ્યારે નેતાઓ ભાજપનો ખેસ પેહરે છે તો તેમને કંઈ પણ કરવાનો હક મળી ગયો છે તેવું તેમને લાગે છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે દુર્ઘટનાઓના અંતમાં તેનું કનેક્શન ભાજપના નેતા સાથે મળી આવે છે.. પોલીસે પકડવાની કવાયત તો હાથ ધરી છે જોવું રહ્યું કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરે છે.?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.