અમિતાભની પૌત્રી અને પુત્રવધૂ ઐશ્વર્યા પર રેખાએ વરસાવ્યો પ્રેમ, તસવીરો વાયરલ થઈ


  • Published By :
  • Published Date : 2023-04-02 21:15:52

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના પણ ઘણા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન, દિશા પટની, રેખા, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ, ગૌરી ખાન, સુહાના, કાજોલ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના અને વરુણ ધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાંથી રેખા અને આરાધ્યાનો એક અનસીન ફોટો પણ સામે આવ્યો છે. જે નિહાળીને ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.


મનીષ મલ્હોત્રાએ ફોટો શેઅર કર્યો


રેખા અને અમિતાભ બચ્ચનનો પરિવાર સામસામે આવે તેવા પ્રસંગો બહુ ઓછા બને છે. આજે પણ બોલિવૂડના સૌથી મોટા પ્રણય ત્રિકોણની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનનું નામ લેવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ આ ત્રણેય એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ રેખાએ આરાધ્યા અને ઐશ્વર્યા સાથે વાતચીત કરી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પ્રતિબિંબિત થાય છે. આ તસવીરો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેઅર કરી છે.


રેખાએ આરાધ્યા પર વરસાવ્યો પ્રેમ


આ તસવીરોમાં રેખા આરાધ્યાને ગળે લગાડતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે ઐશ્વર્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ચારેય સ્ટાર્સ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તે જ સમયે, રેખા નીસાને ગળે લગાડતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અજય દેવગન અને કાજોલની પુત્રી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.