અમિતાભની પૌત્રી અને પુત્રવધૂ ઐશ્વર્યા પર રેખાએ વરસાવ્યો પ્રેમ, તસવીરો વાયરલ થઈ


  • Published By :
  • Published Date : 2023-04-02 21:15:52

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના પણ ઘણા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન, દિશા પટની, રેખા, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ, ગૌરી ખાન, સુહાના, કાજોલ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના અને વરુણ ધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાંથી રેખા અને આરાધ્યાનો એક અનસીન ફોટો પણ સામે આવ્યો છે. જે નિહાળીને ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.


મનીષ મલ્હોત્રાએ ફોટો શેઅર કર્યો


રેખા અને અમિતાભ બચ્ચનનો પરિવાર સામસામે આવે તેવા પ્રસંગો બહુ ઓછા બને છે. આજે પણ બોલિવૂડના સૌથી મોટા પ્રણય ત્રિકોણની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનનું નામ લેવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ આ ત્રણેય એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ રેખાએ આરાધ્યા અને ઐશ્વર્યા સાથે વાતચીત કરી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પ્રતિબિંબિત થાય છે. આ તસવીરો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેઅર કરી છે.


રેખાએ આરાધ્યા પર વરસાવ્યો પ્રેમ


આ તસવીરોમાં રેખા આરાધ્યાને ગળે લગાડતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે ઐશ્વર્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ચારેય સ્ટાર્સ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તે જ સમયે, રેખા નીસાને ગળે લગાડતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અજય દેવગન અને કાજોલની પુત્રી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.