અમિતાભની પૌત્રી અને પુત્રવધૂ ઐશ્વર્યા પર રેખાએ વરસાવ્યો પ્રેમ, તસવીરો વાયરલ થઈ


  • Published By :
  • Published Date : 2023-04-02 21:15:52

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના પણ ઘણા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન, દિશા પટની, રેખા, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ, ગૌરી ખાન, સુહાના, કાજોલ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના અને વરુણ ધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાંથી રેખા અને આરાધ્યાનો એક અનસીન ફોટો પણ સામે આવ્યો છે. જે નિહાળીને ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.


મનીષ મલ્હોત્રાએ ફોટો શેઅર કર્યો


રેખા અને અમિતાભ બચ્ચનનો પરિવાર સામસામે આવે તેવા પ્રસંગો બહુ ઓછા બને છે. આજે પણ બોલિવૂડના સૌથી મોટા પ્રણય ત્રિકોણની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનનું નામ લેવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ આ ત્રણેય એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ રેખાએ આરાધ્યા અને ઐશ્વર્યા સાથે વાતચીત કરી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પ્રતિબિંબિત થાય છે. આ તસવીરો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેઅર કરી છે.


રેખાએ આરાધ્યા પર વરસાવ્યો પ્રેમ


આ તસવીરોમાં રેખા આરાધ્યાને ગળે લગાડતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે ઐશ્વર્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ચારેય સ્ટાર્સ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તે જ સમયે, રેખા નીસાને ગળે લગાડતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અજય દેવગન અને કાજોલની પુત્રી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી