સુષ્મિતા સેને એન્જિયોપ્લાસ્ટી બાદ ફરી શરૂ કર્યું વર્ક આઉટ, સોશિયલ મીડિયામાં શેઅર કરી તસવીર


  • Published By :
  • Published Date : 2023-03-08 15:37:38

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ફરીથી તેનું રૂટીન વર્કઆઉટ શરૂ કરી દીધું છે.  સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં તેની વર્કઆઉટ કરતી એક તસવીર પણ શૅર કરી છે. આ તસવીરમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી હતી. સુષ્મિતાએ હોળીની શુભેચ્છા આપીને કહ્યું હતું કે તેના વર્કઆઉટને કાર્ડિયોલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુષ્મિતાને 27 ફેબ્રુઆરીના દિવસે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સુસ્મિતા સેને જ તેને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. 


  સુષ્મિતા સેને શું કહ્યું?


સુષ્મિતાએ વર્કઆઉટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વ્હીલ ઑફ લાઇફ. આ મારા કાર્ડિયલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સ્ટ્રેચિંગ શરૂ થઈ ગયું છે. મજા આવે છે. આ મારી હેપ્પી હોલી છે. તમારી કેવી છે?'


શૂટિંગ દરમિયાન બીમાર પડી


સુષ્મિતા સેન શૂટિંગમાં દરમિયાન જ બિમાર પડતા સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. સુષ્મિતાને હાર્ટમાં 95% બ્લોકેજ હતું. નાણાવટી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ પહેલી માર્ચે સુષ્મિતા સેનને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એક્ટ્રેસે સો.મીડિયામાં ચાહકોને આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે 47 વર્ષીય સુસ્મિતા સેન બોલિવુડની ફિટેસ્ટ એક્ટ્રેસ પૈકીની એક છે. તે સોશિયલ મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો અને તસવીરો શૅર કરતી હોય છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી