સુષ્મિતા સેને એન્જિયોપ્લાસ્ટી બાદ ફરી શરૂ કર્યું વર્ક આઉટ, સોશિયલ મીડિયામાં શેઅર કરી તસવીર


  • Published By :
  • Published Date : 2023-03-08 15:37:38

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ફરીથી તેનું રૂટીન વર્કઆઉટ શરૂ કરી દીધું છે.  સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં તેની વર્કઆઉટ કરતી એક તસવીર પણ શૅર કરી છે. આ તસવીરમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી હતી. સુષ્મિતાએ હોળીની શુભેચ્છા આપીને કહ્યું હતું કે તેના વર્કઆઉટને કાર્ડિયોલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુષ્મિતાને 27 ફેબ્રુઆરીના દિવસે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સુસ્મિતા સેને જ તેને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. 


  સુષ્મિતા સેને શું કહ્યું?


સુષ્મિતાએ વર્કઆઉટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વ્હીલ ઑફ લાઇફ. આ મારા કાર્ડિયલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સ્ટ્રેચિંગ શરૂ થઈ ગયું છે. મજા આવે છે. આ મારી હેપ્પી હોલી છે. તમારી કેવી છે?'


શૂટિંગ દરમિયાન બીમાર પડી


સુષ્મિતા સેન શૂટિંગમાં દરમિયાન જ બિમાર પડતા સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. સુષ્મિતાને હાર્ટમાં 95% બ્લોકેજ હતું. નાણાવટી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ પહેલી માર્ચે સુષ્મિતા સેનને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એક્ટ્રેસે સો.મીડિયામાં ચાહકોને આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે 47 વર્ષીય સુસ્મિતા સેન બોલિવુડની ફિટેસ્ટ એક્ટ્રેસ પૈકીની એક છે. તે સોશિયલ મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો અને તસવીરો શૅર કરતી હોય છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .