વિકએન્ડ પર ફિલ્મ ભેડિયાએ કરી સારી કમાણી


  • Published By :
  • Published Date : 2022-11-28 11:05:53

બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 2 ધૂમ કમાણી કરી રહી છે. ત્યારે અજય દેવગનની ફિલ્મને વરુણ ધવનની ફિલ્મ ભેડિયા ટક્કર આપી રહી છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી રહી છે. બોલિવુડમાં ઘણા સમય બાદ આવી ફિલ્મ આવી છે દર્શકોને આકર્ષિત કરી રહી છે. દ્રશ્યમ 2ની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુરૂવારે રિલીઝ થયેલી વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાએ કુલ 28 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

भेड़िया

વિકએન્ડ પર ભેડિયાને મળ્યો સારો પ્રતિસાદ 

વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે થોડી ઓછી કમાણી કરી હતી પરંતુ રવિવારે આ ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મની કુલ કમાણી 28 કરોડ જેટલી થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ છે. આ કમાણીનો આંકડો ધીરે ધીરે વધી શકે છે. 

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today

દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ 

અજય દેવગની ફિલ્મ દ્રશ્યમ 2ને રિલીઝ થયાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી પણ દ્રશ્યમ 2ને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. 7 વર્ષ પહેલા જ્યારે દ્રશ્યમ પડઘા પર આવી હતી તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મને એના કરતા લોક ચાહના મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના થોડા દિવસો બાદ જ બમ્પર કમાણી લીધી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ તગડી કમાણી કરશે. અને આ ફિલ્મ તગડી કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 143 કરોડ જેટલું થઈ ગયું છે.      




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.