વિકએન્ડ પર ફિલ્મ ભેડિયાએ કરી સારી કમાણી


  • Published By :
  • Published Date : 2022-11-28 11:05:53

બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 2 ધૂમ કમાણી કરી રહી છે. ત્યારે અજય દેવગનની ફિલ્મને વરુણ ધવનની ફિલ્મ ભેડિયા ટક્કર આપી રહી છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી રહી છે. બોલિવુડમાં ઘણા સમય બાદ આવી ફિલ્મ આવી છે દર્શકોને આકર્ષિત કરી રહી છે. દ્રશ્યમ 2ની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુરૂવારે રિલીઝ થયેલી વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાએ કુલ 28 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

भेड़िया

વિકએન્ડ પર ભેડિયાને મળ્યો સારો પ્રતિસાદ 

વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે થોડી ઓછી કમાણી કરી હતી પરંતુ રવિવારે આ ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મની કુલ કમાણી 28 કરોડ જેટલી થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ છે. આ કમાણીનો આંકડો ધીરે ધીરે વધી શકે છે. 

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today

દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ 

અજય દેવગની ફિલ્મ દ્રશ્યમ 2ને રિલીઝ થયાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી પણ દ્રશ્યમ 2ને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. 7 વર્ષ પહેલા જ્યારે દ્રશ્યમ પડઘા પર આવી હતી તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મને એના કરતા લોક ચાહના મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના થોડા દિવસો બાદ જ બમ્પર કમાણી લીધી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ તગડી કમાણી કરશે. અને આ ફિલ્મ તગડી કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 143 કરોડ જેટલું થઈ ગયું છે.      




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.