વિકએન્ડ પર ફિલ્મ ભેડિયાએ કરી સારી કમાણી


  • Published By :
  • Published Date : 2022-11-28 11:05:53

બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 2 ધૂમ કમાણી કરી રહી છે. ત્યારે અજય દેવગનની ફિલ્મને વરુણ ધવનની ફિલ્મ ભેડિયા ટક્કર આપી રહી છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી રહી છે. બોલિવુડમાં ઘણા સમય બાદ આવી ફિલ્મ આવી છે દર્શકોને આકર્ષિત કરી રહી છે. દ્રશ્યમ 2ની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુરૂવારે રિલીઝ થયેલી વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાએ કુલ 28 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

भेड़िया

વિકએન્ડ પર ભેડિયાને મળ્યો સારો પ્રતિસાદ 

વરૂણ ધવનની ફિલ્મ ભેડિયાને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે થોડી ઓછી કમાણી કરી હતી પરંતુ રવિવારે આ ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મની કુલ કમાણી 28 કરોડ જેટલી થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ છે. આ કમાણીનો આંકડો ધીરે ધીરે વધી શકે છે. 

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today

દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ 

અજય દેવગની ફિલ્મ દ્રશ્યમ 2ને રિલીઝ થયાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી પણ દ્રશ્યમ 2ને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. 7 વર્ષ પહેલા જ્યારે દ્રશ્યમ પડઘા પર આવી હતી તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મને એના કરતા લોક ચાહના મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મે રિલીઝ થયાના થોડા દિવસો બાદ જ બમ્પર કમાણી લીધી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ તગડી કમાણી કરશે. અને આ ફિલ્મ તગડી કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 143 કરોડ જેટલું થઈ ગયું છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.