આતુરતાનો આવ્યો અંત, આ તારીખે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-04 15:46:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ ચર્ચાઓમાં આવી ગઈ છે. બેશરમ રંગ સોન્ગને કારણે ફિલ્મ વિવાદનો શિકાર બની છે. આ ગીતનો વિરોધ અનેક લોકો તેમજ સંગઠનનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. 10 જાન્યુઆરી આસપાસ આ ફિલ્મનું ટ્રેલર બહાર આવી જશે તેવી માહિતી સામે આવી રહી છે. 


બેશરમ રંગ સોન્ગને કારણે છેડાયો વિવાદ

શાહરૂખ ખાનની અનેક ફિલ્મો રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી છે. શાહરૂખ અને દિપીકાની પઠાણ ફિલ્મ પણ વિવાદનો શિકાર બની છે. આ ફિલ્મમાં દિપીકા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મના અનેક ગીત પણ રિલીઝ થઈ ગયા છે. તેમાં બેશમ સોન્ગને કારણે ફિલ્મ વિવાદમાં આવી છે. આ ગીતમાં દિપીકાએ ભગવા રંગની બિકીની પહેરી છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો.  આ રંગને હિંદુત્વની ભાવના સાથે જોડી દેવામાં આવ્યો હતો. 


10 જાન્યુઆરીએ ટ્રેલર થઈ શકે છે રિલીઝ 

અનેક સ્થળો પર પઠાણ ફિલ્મને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં  આવ્યું છે. અનેક લોકોએ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023એ રિલીઝ થશે તેવા સમાચાર મળી રહ્યા છે.


SRKના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ 

25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પર્દા પર દેખાવાના છે. આ ફિલ્મના બે સોન્ગ રિલીઝ થઈ ગયા છે. ત્યારે 10 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે તેવું હાલ લાગી રહ્યું છે. દર્શકો અને તેમના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.        



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી