આતુરતાનો આવ્યો અંત, આ તારીખે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-04 15:46:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ ચર્ચાઓમાં આવી ગઈ છે. બેશરમ રંગ સોન્ગને કારણે ફિલ્મ વિવાદનો શિકાર બની છે. આ ગીતનો વિરોધ અનેક લોકો તેમજ સંગઠનનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. 10 જાન્યુઆરી આસપાસ આ ફિલ્મનું ટ્રેલર બહાર આવી જશે તેવી માહિતી સામે આવી રહી છે. 


બેશરમ રંગ સોન્ગને કારણે છેડાયો વિવાદ

શાહરૂખ ખાનની અનેક ફિલ્મો રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી છે. શાહરૂખ અને દિપીકાની પઠાણ ફિલ્મ પણ વિવાદનો શિકાર બની છે. આ ફિલ્મમાં દિપીકા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મના અનેક ગીત પણ રિલીઝ થઈ ગયા છે. તેમાં બેશમ સોન્ગને કારણે ફિલ્મ વિવાદમાં આવી છે. આ ગીતમાં દિપીકાએ ભગવા રંગની બિકીની પહેરી છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો.  આ રંગને હિંદુત્વની ભાવના સાથે જોડી દેવામાં આવ્યો હતો. 


10 જાન્યુઆરીએ ટ્રેલર થઈ શકે છે રિલીઝ 

અનેક સ્થળો પર પઠાણ ફિલ્મને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં  આવ્યું છે. અનેક લોકોએ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023એ રિલીઝ થશે તેવા સમાચાર મળી રહ્યા છે.


SRKના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ 

25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પર્દા પર દેખાવાના છે. આ ફિલ્મના બે સોન્ગ રિલીઝ થઈ ગયા છે. ત્યારે 10 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે તેવું હાલ લાગી રહ્યું છે. દર્શકો અને તેમના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.