આતુરતાનો આવ્યો અંત, આ તારીખે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 15:46:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ ચર્ચાઓમાં આવી ગઈ છે. બેશરમ રંગ સોન્ગને કારણે ફિલ્મ વિવાદનો શિકાર બની છે. આ ગીતનો વિરોધ અનેક લોકો તેમજ સંગઠનનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. 10 જાન્યુઆરી આસપાસ આ ફિલ્મનું ટ્રેલર બહાર આવી જશે તેવી માહિતી સામે આવી રહી છે. 


બેશરમ રંગ સોન્ગને કારણે છેડાયો વિવાદ

શાહરૂખ ખાનની અનેક ફિલ્મો રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી છે. શાહરૂખ અને દિપીકાની પઠાણ ફિલ્મ પણ વિવાદનો શિકાર બની છે. આ ફિલ્મમાં દિપીકા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મના અનેક ગીત પણ રિલીઝ થઈ ગયા છે. તેમાં બેશમ સોન્ગને કારણે ફિલ્મ વિવાદમાં આવી છે. આ ગીતમાં દિપીકાએ ભગવા રંગની બિકીની પહેરી છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો.  આ રંગને હિંદુત્વની ભાવના સાથે જોડી દેવામાં આવ્યો હતો. 


10 જાન્યુઆરીએ ટ્રેલર થઈ શકે છે રિલીઝ 

અનેક સ્થળો પર પઠાણ ફિલ્મને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં  આવ્યું છે. અનેક લોકોએ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023એ રિલીઝ થશે તેવા સમાચાર મળી રહ્યા છે.


SRKના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ 

25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પર્દા પર દેખાવાના છે. આ ફિલ્મના બે સોન્ગ રિલીઝ થઈ ગયા છે. ત્યારે 10 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે તેવું હાલ લાગી રહ્યું છે. દર્શકો અને તેમના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.        



ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત T-20 વર્લ્ડ કપ માટે કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ રોહિત શર્માને આપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..