શું ફરી તારક મહેતાના રોલમાં જોવા મળશે શૈલેષ લોઢા?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:20:02

દરેક લોકોના દિલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ પોતાની જગ્યા બનાવી દીધી છે. દરેક ઉંમરના લોકોએ આ શોને જોવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. તારક મહેતા ઉર્ફે શેલૈષ લોઢાએ પણ શોને ખાસા ટાઈમ પહેલા અલવિદા કહી દીધું હતું. ત્યારે શોના ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જેમાં મહેતા સાહેબ દેખાઈ રહ્યા છે. તેમની આ તસવીર સામે આવતા દર્શકોને એક આશા જાગી છે કે શૈલેષ લોઢા ફરી એક વખત શોમાં દેખાઈ શકે છે.


અનેક એક્ટરોએ છોડી દીધો છે શો

છેલ્લા અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પૂરૂ પાડી રહ્યું છે. પરિવાર સાથે જોઈ શકાય તવી આ સિરિયલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિરિયલના મુખ્ય પાત્રો શોને છોડી રહ્યા છે. તેમાં દયાભાભી, અંજલી મહેતા, સોઢી, મહેતા સાહેબ સહિતના કલાકારો શોને છોડી દીધો છે. શોના મેકર્સે બધા કલાકારોના રિપેસ્ટમેન્ટ શોધી કાઢ્યા છે. 

Shailesh Lodha talks about why he quit Taarak Mehta ka Ooltah Chashmah -  Hindustan Times

શું ફરી શોમાં આવશે શૈલેષ લોઢા 

શોમાં નવા અનેક પાત્રો આવ્યા છે. પરંતુ હજી સુધી દયાભાભીનું રિપેલ્સમેન્ટ નથી મળ્યું. એવું પણ માનવામાં આવતું હતું કે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને મેકર્સ મનાવી લેશે. પરંતુ તેમણે શોને છોડી દીધો હતો. અને તેમનું રિપેલ્સમેન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે શૈલેષ પાછા નહીં ફરે. પરંતુ એક ફોટાને કારણે એવું ફરી એક વખત ચર્ચાઈ રહ્યું છે કે તેવો શોમાં પાછા ફરી શકે છે. 




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે