શું ફરી તારક મહેતાના રોલમાં જોવા મળશે શૈલેષ લોઢા?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:20:02

દરેક લોકોના દિલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ પોતાની જગ્યા બનાવી દીધી છે. દરેક ઉંમરના લોકોએ આ શોને જોવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. તારક મહેતા ઉર્ફે શેલૈષ લોઢાએ પણ શોને ખાસા ટાઈમ પહેલા અલવિદા કહી દીધું હતું. ત્યારે શોના ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જેમાં મહેતા સાહેબ દેખાઈ રહ્યા છે. તેમની આ તસવીર સામે આવતા દર્શકોને એક આશા જાગી છે કે શૈલેષ લોઢા ફરી એક વખત શોમાં દેખાઈ શકે છે.


અનેક એક્ટરોએ છોડી દીધો છે શો

છેલ્લા અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પૂરૂ પાડી રહ્યું છે. પરિવાર સાથે જોઈ શકાય તવી આ સિરિયલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિરિયલના મુખ્ય પાત્રો શોને છોડી રહ્યા છે. તેમાં દયાભાભી, અંજલી મહેતા, સોઢી, મહેતા સાહેબ સહિતના કલાકારો શોને છોડી દીધો છે. શોના મેકર્સે બધા કલાકારોના રિપેસ્ટમેન્ટ શોધી કાઢ્યા છે. 

Shailesh Lodha talks about why he quit Taarak Mehta ka Ooltah Chashmah -  Hindustan Times

શું ફરી શોમાં આવશે શૈલેષ લોઢા 

શોમાં નવા અનેક પાત્રો આવ્યા છે. પરંતુ હજી સુધી દયાભાભીનું રિપેલ્સમેન્ટ નથી મળ્યું. એવું પણ માનવામાં આવતું હતું કે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને મેકર્સ મનાવી લેશે. પરંતુ તેમણે શોને છોડી દીધો હતો. અને તેમનું રિપેલ્સમેન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે શૈલેષ પાછા નહીં ફરે. પરંતુ એક ફોટાને કારણે એવું ફરી એક વખત ચર્ચાઈ રહ્યું છે કે તેવો શોમાં પાછા ફરી શકે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.