શું ફરી તારક મહેતાના રોલમાં જોવા મળશે શૈલેષ લોઢા?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:20:02

દરેક લોકોના દિલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ પોતાની જગ્યા બનાવી દીધી છે. દરેક ઉંમરના લોકોએ આ શોને જોવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. તારક મહેતા ઉર્ફે શેલૈષ લોઢાએ પણ શોને ખાસા ટાઈમ પહેલા અલવિદા કહી દીધું હતું. ત્યારે શોના ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જેમાં મહેતા સાહેબ દેખાઈ રહ્યા છે. તેમની આ તસવીર સામે આવતા દર્શકોને એક આશા જાગી છે કે શૈલેષ લોઢા ફરી એક વખત શોમાં દેખાઈ શકે છે.


અનેક એક્ટરોએ છોડી દીધો છે શો

છેલ્લા અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પૂરૂ પાડી રહ્યું છે. પરિવાર સાથે જોઈ શકાય તવી આ સિરિયલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિરિયલના મુખ્ય પાત્રો શોને છોડી રહ્યા છે. તેમાં દયાભાભી, અંજલી મહેતા, સોઢી, મહેતા સાહેબ સહિતના કલાકારો શોને છોડી દીધો છે. શોના મેકર્સે બધા કલાકારોના રિપેસ્ટમેન્ટ શોધી કાઢ્યા છે. 

Shailesh Lodha talks about why he quit Taarak Mehta ka Ooltah Chashmah -  Hindustan Times

શું ફરી શોમાં આવશે શૈલેષ લોઢા 

શોમાં નવા અનેક પાત્રો આવ્યા છે. પરંતુ હજી સુધી દયાભાભીનું રિપેલ્સમેન્ટ નથી મળ્યું. એવું પણ માનવામાં આવતું હતું કે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને મેકર્સ મનાવી લેશે. પરંતુ તેમણે શોને છોડી દીધો હતો. અને તેમનું રિપેલ્સમેન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે શૈલેષ પાછા નહીં ફરે. પરંતુ એક ફોટાને કારણે એવું ફરી એક વખત ચર્ચાઈ રહ્યું છે કે તેવો શોમાં પાછા ફરી શકે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી