ભાજપમાં થશે નવા જૂની? જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર સાધ્યું નિશાન! શું નિવેદનના માધ્યમથી જવાહર ચાવડાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:57:50

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાઓ પહોંચ્યા છે તેવું ધણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખા જ નડ્યા છે સૌથી વધારે. ભાજપના નેતાઓમાં રહેલો અસંતોષ ખુલ્લીને સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જે સાંભળ્યા બાદ લાગે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈક નવા જૂની કરી શકે છે.   

ભાજપના જ ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભુમિકા!

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવી મળી શકે છે. ભાજપના નેતાઓમાં ચાલતો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક નેતાઓની આવતી પ્રતિક્રિયા જાણે આ વાતને સંદેશો આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વખત ભાજપના ધારાસભ્યો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવે છે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી રજૂઆત કરે છે. 



મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ સાધ્યું નિશાન!

આ બધા વચ્ચે ટૂંક સમયમાં જો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની જોવા મળે તો પણ નવાઈ નહીં. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ મનસુખ માંડવિયા પર ખુલીને બોલ્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને  મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.     


 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.