ભાજપમાં થશે નવા જૂની? જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર સાધ્યું નિશાન! શું નિવેદનના માધ્યમથી જવાહર ચાવડાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:57:50

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાઓ પહોંચ્યા છે તેવું ધણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખા જ નડ્યા છે સૌથી વધારે. ભાજપના નેતાઓમાં રહેલો અસંતોષ ખુલ્લીને સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જે સાંભળ્યા બાદ લાગે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈક નવા જૂની કરી શકે છે.   

ભાજપના જ ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભુમિકા!

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવી મળી શકે છે. ભાજપના નેતાઓમાં ચાલતો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક નેતાઓની આવતી પ્રતિક્રિયા જાણે આ વાતને સંદેશો આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વખત ભાજપના ધારાસભ્યો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવે છે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી રજૂઆત કરે છે. 



મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ સાધ્યું નિશાન!

આ બધા વચ્ચે ટૂંક સમયમાં જો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની જોવા મળે તો પણ નવાઈ નહીં. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ મનસુખ માંડવિયા પર ખુલીને બોલ્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને  મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.     


 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.